શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાતમાં આ વર્ષે પણ વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન ? જાણો શિક્ષણ મંત્રીએ શું કહ્યું
શાળાએ આવતા વિદ્યાર્થીઓએ વાલીની સંમતિ લઇને પત્રકમાં મંજૂરી આપવાની રહેશે. આ માટેના જરૂરી ફોર્મ શાળાઓને મોકલી દેવામાં આવ્યાં છે.
![ગુજરાતમાં આ વર્ષે પણ વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન ? જાણો શિક્ષણ મંત્રીએ શું કહ્યું Schools Reopening in Gujarat: Should mass promotion for this academic year check details ગુજરાતમાં આ વર્ષે પણ વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન ? જાણો શિક્ષણ મંત્રીએ શું કહ્યું](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/07153312/schools-reopen5.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(પ્રતીકાત્મક તસવીર)
ગાંધીનગરઃ ગુજરાત સરકારે રાજ્યમાં 11 જાન્યુઆરીથી શાળો અને કોલેજો શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જો કે પહેલા તબક્કામાં ધોરણ 11 અને ધોરણ 12ના ક્લાસ શરૂ કરાશે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કેબિનેટની બેઠક બાદ જાહેરાત કરી કે, રાજ્ય સરકારે ધોરણ 11 અને ધોરણ 12ના ક્લાસ 11 જાન્યુઆરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. તેમણ કહ્યું કે, આગામી અન્ય ઘોરણોના ક્લાસ શરૂ કરવા મુદે તબક્કાવાર નિર્ણય લેવામાં આવશે અને સરકાર દ્વારા તેની જાહેરાત કરવામાં આવશે.
ગુજરાતની વિજય રૂપાણી કેબિનેટની બેઠકમાં આગામી અન્ય ઘોરણો શરૂ કરવા મુદે ચર્ચા થઈ હતી પણ અંતે ધોરણ 10 અને ધોરણ 12ના ક્લાસ શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કેબિનેટની બેઠક બાદ આ જાહેરાત કરી હતી. રાજ્યની તમામ બોર્ડની સ્કૂલોને આ નિર્ણય લાગુ પડશે. આ ઉપરાંત પોસ્ટ ગ્રેજ્યુએટ તથા ગ્રેજ્યુએટ કક્ષાના છેલ્લા વર્ષના ક્લાસ પણ શરૂ કરાશે.
11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12, પીજી, યુજી છેલ્લા વર્ષનું શિક્ષણ ચાલુ કરવામાં આવશે. આ નિર્ણય ગુજરાતનાં તમામ બોર્ડને લાગુ પડશે. તેમણ કહ્યું કે, કેન્દ્ર સરકાર ની એસઓપીનો રાજય સરકારે સ્વીકાર કર્યો છે તેથી શાળામાં સાવચેતી અને આરોગ્યની સાવચેતી રાખવી પડશ. આ ઉપરાંત સ્થાનિક પીએસસી સીએચસી સાથે સંકલન કરવું પડશે. તેમણે કહ્યું કે, બેઠક વ્યવસ્થામાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવશે અને શાળામાં વિધાર્થીને જવા માટે વાલીની સંમતિ લેવી પડશે. વિધાર્થિની હાજરી શાળામાં ફરજીયાત નથી તેથી ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ રહેશે. વિધાર્થી અને શિક્ષકોએ માસ્ક અને એસઓપી નું પાલન કરવું પડશે.
વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે નહીં. શાળામાં જેટલો અભ્યાસ કરાવાયો છે એટલા જ શૈક્ષણિક કાર્યની પરીક્ષા લેવામાં આવશે. અન્ય ધોરણના વર્ગો ક્યારે શરૂ કરવા તે અંગે પણ રાજ્ય સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે અને તે અંગે પણ ટૂંક સમયમાં નિર્ણય લેવાશે. શાળામાં હાજરી ફરજિયાત રહેશે નહીં. શાળાએ આવતા વિદ્યાર્થીઓએ વાલીની સંમતિ લઇને પત્રકમાં મંજૂરી આપવાની રહેશે. આ માટેના જરૂરી ફોર્મ શાળાઓને મોકલી દેવામાં આવ્યાં છે. હાલ રાજ્યમાં જે ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે પણ રાબેતા મુજબ યથાવત રહેશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
સમાચાર
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)