Talati Exam Live Update: તલાટી કમ મંત્રીની શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ, પેપર સરળ હોવાનો પરીક્ષાર્થીનો દાવો
આજે તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવાશે, રાજ્યના 2697 કન્દ્ર પર આ પરીક્ષા યોજાશે. તલાટીની પરીક્ષા 3400થી વધુ જગ્યાઓ માટે લેવાવાની છે, જેમાં અંદાજે 8.50 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના છે.

Background
Talati Exam: શાંતિપૂર્ણ માહોલમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા શરૂ
Talati Exam:પાંચ વર્ષના લાંબા ઇંતેજાર બાદ આજે તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવાઇ રહી છે. શાંતિપૂર્ણ માહોલમાં 8 લાખથી વધુ ઉમેદવાર પરીક્ષા આપી રહ્યા છે. રાજ્યમાં તલાટી કમ મંત્રીની 3,437 ખાલી જગ્યા છે, જેની સામે 8,64,400 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યાં છે. પેપર એક કલાકનું છે. 12:30 સમયસર પરીક્ષા શરૂ થઇ ગઇ હતી જે 1:30 પૂર્ણ થશે. રાજ્યના 2697 કેન્દ્ર પર આ પરીક્ષા લેવાઇ રહી છે.
શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજવા માટે તમામ તૈયારીઓ કરી દેવાઇ હતી. ઉમેદવારોને હાલાકી ના પડે તે માટે એસટી નિગમે વધુ બસો દોડાવી છે. રાજકોટ એસટી ડિવિઝને ઉમેદવારો માટે 200થી વધારે બસ મુકી છે. પંચાયત સેવા વર્ગ-૩ની તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા માટે રાજ્યના 17.10 લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી, જે પૈકીના 8,64, 400ઉમેદવારો પરીક્ષા આપી રહ્શેયાં છે . રાજ્યના ગીર સોમનાથ, ડાંગ અને નર્મદા સિવાયના બાકી તમામ 30 જિલ્લામાં ફાળવવામાં આવેલા કુલ 2694 ૪ પરીક્ષા કેન્દ્રોના 28814 વર્ગખંડોમાં બેસીને ઉમેદવારો આ પરીક્ષા આપી રહ્યાં છે. કોઇ ગેરરીતિ ન થાય માટે દરેક ઉમેદવારોનો પરીક્ષા કેન્દ્રમાં પવેશ વીડિયોગ્રાફી બાદ જ કરાયો હતો. ઉમેદવારની કોલ લેટર સાથે વીડિયોગ્રાફી કરવામાં આવી હતી..
વડોદરા: આવતી કાલે લગ્ન અને આજે આપશે પરીક્ષા, એક્ઝામ માટે વડોદરાથી દાહોદ પહોંચી
તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઇને પરીક્ષાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરીક્ષા આપવા માટે દુલ્હન પણ પહોંચી હતી. તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા માટે વડોદરા થી દાહોદ દુલ્હન પહોંચી હતી. આ યુવતીના આવતી કાલે લગ્ન છે પરંતુ તેમણે પરીક્ષાને પ્રાથમિકતા આપતા તે વડોદરા થી દાહોદ પરીક્ષા આપવા પહોંચી હતી.
ગાંધીનગર પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હસમુખ પટેલ, વ્યવસ્થાનું કર્યું નિરીક્ષણ
તલાટી કમ મંત્રીની પરીક્ષા શરૂ થવાનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. કોઇ ગરબડી વિના સુવ્યવસ્થિ રીતે પરીક્ષા લેવાઇ માટે આ વખત સધન વ્યવસ્થા કરવામાં આવી છે. આ બધા વચ્ચે પરીક્ષાની તૈયારીની સમીક્ષા કરલા ઓચિંતા જ હસમુખ પટેલ પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા અને સ્થિતિની સમીક્ષા કરી હતી.
ગાંધીનગર જિલ્લામાં 109 પરીક્ષા કેન્દ્રો પર 30,060 જેટલા ઉમેદવારો આપશે પરીક્ષા
ગાંધીનગર જિલ્લામાં 109 પરીક્ષા કેન્દ્રો પર 30,060 જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. ગાંધીનગર જિલ્લાના પ્રશ્નપત્રો સ્ટ્રોંગ રૂમમાંથી પરીક્ષા કેન્દ્રો સુધી સઘન પોલીસ સુરક્ષા સાથે પહોંચાડવામાં આવશે, ગાંધીનગર જિલ્લા પંચાયતથી ગાંધીનગ ના 109 કેન્દ્રો પર પ્રશ્ન પત્રો રૂટ મુજબ પહોંચાડવામાં આવશે.
અમદાવાદ:તલાટીની પરીક્ષાને લઇને શહેરમાં શરૂ કરાયા 4 સ્ટ્રોન્ગ રૂમ
તલાટીની પરીક્ષા સુવ્યવસ્થિત રીતે યોજાઇ માટે સધન વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરમાં 4 સ્ટ્રોન્ગ રૂમ તૈયાર કરવામાં આવ્યાં છે. જ્યાંથી જ તલાટી પરીક્ષાના પ્રશ્નપત્ર પરીક્ષા કેન્દ્રો પર પહોંચાડવામાં આવશે. સ્ટ્રોંગ રૂમથી વાહનમાં પોલીસ સાથે 4 કર્મીના સ્ટાફ સાથે પરીક્ષા કેન્દ્ર પર મોકલવામાં આવશે પ્રશ્નપત્ર સહિતનું સાહિત્ય કેન્દ્રો પર પહોચાડવામાં આવશે.

