શોધખોળ કરો

GUJARAT ELECTIONS 2022: PM મોદીની જાહેરસભાની લઈને કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું, અનેક રૂટ કરાયા ડાયવર્ટ

GUJARAT ELECTIONS 2022: બીજા તબક્કાના મતદાનને લઈને પીએમ મોદી ફરી ચૂંટણી પ્રસારમાં સક્રીય થયા છે. આવતીકાલે પીએમ મોદી ફરી સભા ગજવશે. કાલોલનાં બેઢિયા ખાતે આવતીકાલે પીએમ મોદીની જાહેરસભા યોજાવાની છે.

GUJARAT ELECTIONS 2022: બીજા તબક્કાના મતદાનને લઈને પીએમ મોદી ફરી ચૂંટણી પ્રસારમાં સક્રીય થયા છે. આવતીકાલે પીએમ મોદી ફરી સભા ગજવશે. પંચમહાલના કાલોલનાં બેઢિયા ખાતે આવતીકાલે પીએમ મોદીની જાહેરસભા યોજાવાની છે. પીએમ મોદીના કાર્યક્રમને લઈ અધિક કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે. ગોધરા વડોદરા હાઈવે પરનાં વાહનો અન્ય રૂટ પર ડાયવર્ટ કરવાની માહિતી સામે આવી છે.  આવતીકાલે સવારના 10થી બપોરના 2 વાગ્યા સુઘી ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

વડોદરાથી ગોધરા તરફ જતાં ભારે વાહનોને જરોદ ગામથી સાવલી, ઉદલપુર, પંડ્યાપુરા, ફાટક ઍકસઠ પાટિયાથી અમદાવાદ ઈન્દોર હાઈવેના વાવડી ટોલ નાકા પસાર કરી ગોધરા આવવાનું રહેશે. ગોધરાથી વડોદરા જતાં વાહનો બામરોલી, દામાવાવ રાજગઢ વડા તળાવ જેપુરા થઈને હાલોલથી વડોદરા જઈ શકશે. સવારના 6થી સાંજના 6 સુધી વાહનો અન્ય રૂટ પર ડાયવર્ટ કરાયા છે.

અલ્પેશ ઠાકોરની વિરોધીઓને ધમકી

બનાસકાંઠાના ભાભર તાલુકાના વડાણા ખાતે ગાંધીનગર દક્ષિણથી ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરની સભા યોજાઇ હતી. વાવના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરના સમર્થનમાં અલ્પેશ ઠાકોરની સભા યોજાઇ હતી. અલ્પેશ ઠાકોરે કોગ્રેસ તેમજ ગેનીબેન ઠાકોર પર પ્રહાર કર્યા હતા. અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે કોંગ્રેસ સસ્તી રાજનીતિ કરી રહી છે. ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે વિરોધીઓને ચીમકી આપી હતી અને કહ્યું હતું કે મર્યાદામાં રહેજો અઠવાડિયા પછી અમારી જ સરકાર છે. કેટલાક અસામાજિક તત્વો લોકોને ડરાવવાનો પ્રયાસ કરે છે. ગામમાં ઘૂસવા નહી દઇએ. લોકો ચેતી જજો અઠવાડિયા પછી અમે જ છીએ. અઠવાડિયા પછી તમારા અડ્ડા બંધ થઇ જશે. ગેનીબેન  પર આડકતરી રીતે પ્રહાર કરતા કહ્યું હતું કે જે બીપીએલ કહેતા હતા તે ચૂંટણીમાં કરોડો રૂપિયા વાપરે છે એ ક્યાંથી આવ્યા?

મતદારોને હવે કોઈ સમસ્યા નહીં રહે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના કલાકો જ બાકી છે. તમામ રાજકીય પક્ષોના ઉમેદવારોની સાથે-સાથે તમામ મતદારો પણ ચૂંટણીમાં મતદાન કરવા તૈયાર છે. ઘણીવાર એવું જોવા મળે છે કે મતદારોને મતદાન કરવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મતદારોને ખબર નથી હોતી કે તેમણે કયા મતદાન મથકમાં મતદાન કરવાનું છે. જેના કારણે ઘણા મતદારો તેમનો મત નોંધવામાં નિષ્ફળ જાય છે. જોકે, હવે આવું નહીં થાય. રાજ્યના તમામ મતદારો ઘરે બેસીને તેમના મતદાન મથક વિશે ઓનલાઈન માહિતી મેળવી શકે છે. આ માટે તમારે કેટલાક મહત્વપૂર્ણ સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget