શોધખોળ કરો

13 વર્ષીય દિકરી પર દિવ્યાંગ પિતાએ દુષ્કર્મ આચર્યું, પોલીસ ફરિયાદ નોંધાઈ   

ખેડા જીલ્લામા પિતા પુત્રી ના સંબધ પર લાંછન લગાવતો કિસ્સો પ્રકાશમા આવ્યો છે. જેમા દિવ્યાંગ પિતાએ પોતાની જ 13 વર્ષીય દિકરી પર દુષ્કર્મ કરતા ચકચાર મચી છે.

ખેડા જીલ્લામા પિતા પુત્રી ના સંબધ પર લાંછન લગાવતો કિસ્સો પ્રકાશમા આવ્યો છે. જેમા દિવ્યાંગ પિતાએ પોતાની જ 13 વર્ષીય દિકરી પર દુષ્કર્મ કરતા ચકચાર મચી છે. એટલુજ નહી પિતા ન હોય ત્યારે સાત જેટલા સગીર વયના કિશોરોએ પણ સગીરા પર દુષ્કર્મ આચર્યુ હોવાનો પણ આક્ષેપ કરવામા આવતા ચકચાર મચી છે. જોકે હાલ આ સમગ્ર ઘટનામા ખેડા જીલ્લા બાળ સુરક્ષા એકમના આધિકારીની સામે આ ઘટના આવતા નડીયાદ રૂરલ પોલીસે ફરીયાદ નોંધી પિતાની ધરપકડ કરી પુછપરછ શરૂ કરી છે. 

ખેડા જિલ્લાના નડિયાદમાંથી એક એવી ઘટના સામે આવી છે, જેને લઈને હાલ પિતા-દીકરીના જે સંબંધ છે તેના પર કલંક લાગ્યું છે. ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં એક ગામમાં રહેતા દિવ્યાંગ પિતા પર 13 વર્ષીય દીકરી પર દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. આ ઘટના ત્યારે પ્રકાશમા આવી જ્યારે દિકરી જે હોસ્ટેલમા રહીને ભણતી હતી ત્યા બાળ સુરક્ષા વિભાગ દ્વારા પોક્સો એક્ટને લઈ એક સેમિનાર યોજવામા આવ્યો હતો. સેમિનાર જેવો પુર્ણ થયોને દીકરી તુરંત જ રડવા લાગી હતી. જેને લઈને બાળ સુરક્ષા વિભાગના અધિકારીઓએ દીકરીનુ કાઉન્સિલિંગ શરૂ કર્યું હતું. ત્યારબાદ ચોંકાવનારી વિગતો સામે આવી હતી. 

જેમા ખેડા જિલ્લાના નડિયાદના એક ગામમાં રહેતી 13 વર્ષીય સગીરાના માતા બાળકી નાની હતી ત્યારે જ મૃત્યુ પામી હતી. અને તેના પિતા દિવ્યાંગ હતા. થોડા સમય બાદ તેના પિતાએ નેપાળી યુવતી સાથે બીજા લગ્ન કર્યા હતા. સગીરાને પોતાની ઘરે ભણવાનું ફાવતું ન હતું. તેને લઈને તે બીજા ધોરણમા હતી ત્યારથી જ હોસ્ટેલમાં રહેતી હતી. પરંતુ સમયાંતરે તે પોતાની ઘરે પણ જતી હતી. જેમાં છેલ્લા પાંચ વર્ષથી દીકરીના પિતા કે જે પોતે દિવ્યાંગ છે તે દીકરી પર અવારનવાર દુષ્કર્મ આચરતો હતો.

એટલું જ નહીં આ દીકરી પર સાત જેટલા કિશોરોએ પણ દુષ્કર્મ આચર્યુ હોવાની વાત દિકરી દ્વારા કરવામા આવી રહી છે. જેમાં દીકરી કહી રહી છે કે જે સાત કિશોર હતા તે બે-બેની જોડીમાં તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આ વાત દિકરીએ જિલ્લા બાળ સુરક્ષા વિભાગની કાઉન્સિલિંગ ટીમને કરતા તેઓ પણ ચોંકી ગયા હતા. સગીર દિકરીનું અલગ અલગ દિવસે કાઉન્સિલિંગ કરી સમગ્ર હકીકત મેળવી જિલ્લા બાળ સુરક્ષા વિભાગ દ્વારા નડીયાદ રૂરલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે નરાધમ પિતાને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે. આ સાથે જ પોલીસ સાત કિશોરો પર પણ જે આક્ષેપ કરવામા આવ્યા છે , તેમની પણ તપાસ કરી રહી છે. હાલ તો સગીરાનુ મેડીકલ પણ કરાવવામા આવી રહ્યુ હોવાનુ સામે આવ્યુ છે.

ખેડા જિલ્લા બાળ સુરક્ષા વિભાગના અધિકારી કીર્તિ જોશીના જણાવ્યા અનુસાર,  "એક સગીર વયની દીકરીએ અમને કાઉન્સિલિંગ દરમિયાન ફરિયાદ કરી હતી, તે ફરિયાદના આધારે એ દીકરી એવું જણાવ્યું હતું કે, મારા સગા પિતાએ મારી સાથે અવારનવાર દુષ્કૃત્ય કરે છે. જેથી અને રૂરલ પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા અને આજે સમગ્ર ઘટના છે એ દીકરીએ લેખીતમાં અને કાઉન્સેલિંગમાં અમને આપેલી છે. તેના આધારે અમે નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવી છે.  હું જાતે ફરિયાદી છું. અન્ય સાત લોકોના નામ પણ દીકરી બોલી રહી છે. અમે હાલ એફઆઇઆર આપી છે.  પોલીસને તપાસમાં  જે આવે એ તપાસનો વિષય છે. પણ અમારી પાસે જે પ્રાથમિક વિગતો આવી છે એના આધારે અમે એફઆઇઆર નોંધાવી છે. દીકરી હાલ ધોરણ સાતમાં ભણે છે. દીકરીની સાવકી માં છે.  દીકરીના માતા દીકરી બે વર્ષની હતી ત્યારે મૃત્યું પામ્યા હતા.  દીકરીના પિતા જોબ કરે છે. પિતા પોતે દિવ્યાંગ છે. દીકરી અમારી દેખરેખ હેઠળ છે. જેથી કરીને એનો અવારનવાર કાઉન્સિલિંગ થતું હોય છે. દીકરી જે સ્કૂલમાં ભણે છે ત્યાં અમારું બાળ સુરક્ષાનો એક પ્રોગ્રામ કર્યો હતો. જ્યાં પોક્સો એક્ટને લઈને માહિતી આપવામાં આવી હતી. જેને લઈને દીકરીને ખબર પડી કે આવું કઈ છે. દીકરી‌ સેમિનાર દરમિયાન રડી પણ હતી. બધાએ પૂછ્યું પણ  દીકરી કઈ જવાબ ના આપ્યો પણ ત્યારબાદ દીકરીની થોડી હિંમત ખુલી અને એ પ્રોગ્રામ થયા પછી પણ વીસ દિવસ એને લાગ્યા હતા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget