શોધખોળ કરો

Panchmahal: યાત્રાધામ પાવાગઢ જતા ભક્તો માટે મોટા સમાચાર, આ સેવા કરવામાં આવી બંધ

પંચમહાલ:  યાત્રાધામ પાવાગઢ જતા ભક્તો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. પાવાગઢ ખાતે આ સેવા 5 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પંચમહાલ:  યાત્રાધામ પાવાગઢ જતા ભક્તો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. પાવાગઢ ખાતે રોપવે સેવા આગામી 5 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ જાહેરાત પાવાગઢ ખાતે રોપવે સેવા આપતી ઉષા બ્રેકો કંપની દ્વારા કરવામાં આવી છે. રોપવેમાં મેઇન્ટેનન્સને લઈને યાત્રાળુઓ માટે પાચ દિવસ રોપવે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તા.18 જુલાઈથી તા. 22 જુલાઈ સુધી બંધ રહેશે. જો કે તારીખ  23 જુલાઈનાં રોજથી રોપવે સેવા રાબેતા મુજબ શરૂ કરી દેવામા આવશે. રોપવે સેવા બંધ રહેવાના કારણે દિવ્યંગો તેમજ સિનિયર સિટીઝન દર્શનાર્થીઓને અગવડતા પડશે.

 

આજે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા અને રાજકોટમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. આ વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને નર્મદામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ સિવાય પોરબંદર, જુનાગઢ, ભાવનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરામાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. આગામી ત્રણ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. આગામી ત્રણ કલાકમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાશે. આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન આપવામાં આવ્યું છે.

આવતીકાલથી રાજકોટ જામનગર અને કચ્છમાં રેડ એલર્ટ

મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ગઈ કાલ કરતા આજે વરસાદ નું પ્રમાણ અને જોર ઘટ્યું છે. આવતી કાલ થી રાજકોટ જામનગર અને કચ્છમાં રેડ એલર્ટ છે. તંત્રને સુસજજ રહેવા કહેવાયું છે. સાંજ બાદ નુક્શાની ના સર્વેની કામગીરી શરૂ થશે. 18 એનડીઆરએફ ની ટિમો હાલ ડિપોલોઇડ કરવામાં આવી છે. 511 વ્યક્તિઓ ને રેસકયું કરવા પડ્યા છે. ગઈ કાલે નર્મદા ના કરજણ ખાતે 21 વ્યક્તિઓને નદી માં વહેણમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા. 17896 લોકો નું સ્થળાંતરણ કરવું પડ્યું છે. 9671 લોકો ને ફરી ઘરે પહોંચાડી દીધા છે. 73 બસ રૂટ બંધ છે. 124 ગામોમા વીજળી ડુલ થઈ હતી જે પૈકી મોટાભાગના ગામમાં વીજ પુરવઠો પુનઃ કાર્યરત થઈ જશે.

રોડ પર પાણી નીકળતું હોય ત્યારે ત્યાંથી પસાર થવાનો પ્રયાસ ન કરવો.   6 જેટલા લોકો ના મૃત્યુ ના બનાવો બન્યા છે પણ તેમાં તંત્ર ની ભૂલ ન હતી.   3 ઓટો રીક્ષા પર ઝાડ પડ્યું દહેગામમા. ત્રણ મૃત્યુ થયા. વલસાડમા વેનમા બેસેલા 4 વ્યક્તિએ ચેક ડેમ પરથી રસ્તો પસાર કરવાનો પ્રયાસ કર્યો જેમાં ત્રણ વ્યક્તિના મૃત્યુ થયા, જ્યારે એક વ્યક્તિનો બચાવ થયો. 69 મૃત્યુની ઘટના વરસાદની સિઝનમા ગુજરાતમાં થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ સેવા અને રાજકીય નિષ્ઠાનો સંગમ: જનક રમણલાલ જોશીનું પ્રેરણાદાયી વ્યક્તિત્વ
સમાજ સેવા અને રાજકીય નિષ્ઠાનો સંગમ: જનક રમણલાલ જોશીનું પ્રેરણાદાયી વ્યક્તિત્વ
Rain: ભારતમાં આ વર્ષે ચોમાસું નબળું રહેશે, સ્કાયમેટે જૂન-જુલાઈના વરસાદને લઈ કરી મોટી આગાહી
Rain: ભારતમાં આ વર્ષે ચોમાસું નબળું રહેશે, સ્કાયમેટે જૂન-જુલાઈના વરસાદને લઈ કરી મોટી આગાહી
'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર
'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર
ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની હાલમાં શું છે સ્થિતિ? સરકારે આપ્યો મોટો રિપોર્ટ
ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની હાલમાં શું છે સ્થિતિ? સરકારે આપ્યો મોટો રિપોર્ટ

વિડિઓઝ

Gujarat Weather Forecast : આજે ગુજરાતના 18 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, જુઓ આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : અપમાનની રાજનીતિ!
Amreli BJP : અમરેલી ભાજપમાં ભડકો, હેમાશ્રીબેન રાદડિયાનું રાજીનામું
US Israel Iran War Update : મહાયુદ્ધનો આવી શકે છે અંત, પ્રસ્તાવ પર સહમતિ તો 15-20 દિવસમાં યુદ્ધવિરામ
Hun To Bolish: હું તો બોલીશ : રૂપિયા રળવાની રાજનીતિ!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર
'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર
Ahmedabad News: અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ, મિનિમમ ભાડુ 20થી 30 કરવા માંગ
Ahmedabad News: અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ, મિનિમમ ભાડુ 20થી 30 કરવા માંગ
LPG Crisis: ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન, હવે મળશે ડબલ LPG સિલિન્ડર, જાણો કોને થશે ફાયદો ?
LPG Crisis: ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન, હવે મળશે ડબલ LPG સિલિન્ડર, જાણો કોને થશે ફાયદો ?
MI vs RR Preview: જસપ્રીત બુમરાહનો સામનો કરશે વૈભવ સૂર્યવંશી, પંડ્યાની ફિટનેસ પર આવ્યું મોટું અપડેટ
MI vs RR Preview: જસપ્રીત બુમરાહનો સામનો કરશે વૈભવ સૂર્યવંશી, પંડ્યાની ફિટનેસ પર આવ્યું મોટું અપડેટ
એક પાયલટને બચાવવા માટે મોકલ્યા 155 એરક્રાફ્ટ, ટ્રમ્પે આપી ઈરાનમાં સૈન્ય મિશનની તમામ જાણકારી
એક પાયલટને બચાવવા માટે મોકલ્યા 155 એરક્રાફ્ટ, ટ્રમ્પે આપી ઈરાનમાં સૈન્ય મિશનની તમામ જાણકારી
પંજાબ ચૂંટણી પહેલા નવજોત સિંહ સિદ્ધૂએ કર્યુ નવી પાર્ટીનું એલાન, કોંગ્રેસથી અલગ થયા બાદ મોટું પગલું
પંજાબ ચૂંટણી પહેલા નવજોત સિંહ સિદ્ધૂએ કર્યુ નવી પાર્ટીનું એલાન, કોંગ્રેસથી અલગ થયા બાદ મોટું પગલું
'આવી ફિલ્મ પહેલા ક્યારેય...', ધુરંધર-2 જોઈને શું બોલ્યો કોહલી?, રણવીર સિંહની એક્ટિંગ પર શું કહ્યું?
'આવી ફિલ્મ પહેલા ક્યારેય...', ધુરંધર-2 જોઈને શું બોલ્યો કોહલી?, રણવીર સિંહની એક્ટિંગ પર શું કહ્યું?
Amravati: અમરાવતી બની આંધ્રપ્રદેશની રાજધાની, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
Amravati: અમરાવતી બની આંધ્રપ્રદેશની રાજધાની, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
Embed widget