શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં ત્રીજો પક્ષ ક્યારેય ફાવ્યો નથી પણ મહાપાલિકાની ચૂંટણીમાં AAPની શાનદાર એન્ટ્રી
સુરતમાં AAPના શાનદાર દેખાવ બાદ પાર્ટીએ સંકેત આપી આપ્યો છે કે તે 2022ની વિધાનાસભા ચૂંટણીમાં પણ ઝંપલાવશે.
ગુજરાત માટે આમ તો રાજકીય પંડિતો માને છે કે અહીંયા ક્યારેય ત્રીજો પક્ષ ફાવ્યો નથી. પરંતુ મહાપાલિકાની આ ચૂંટણી યોજવામાં આવી તેમાં જે પરિણામો સામે આવ્યા તેમાં રાજનીતિ માટે કંઈક નવા જ સંકેત મળી રહ્યા છે.
સુરતમાં કૉંગ્રેસ ખાતું પણ ખોલાવી ન શકી. જ્યારે આમ આદમી પાર્ટીએ 27 બેઠક જીતી મહાનગરપાલિકામાં વિપક્ષ તરીકે એન્ટ્રી કરી છે. સુરતમાં આમ આદમી પાર્ટીને સૌથી વધુ ફાયદો પાટીદારોથી મળ્યો છે.
સુરતમાં AAPના શાનદાર દેખાવ બાદ પાર્ટીએ સંકેત આપી આપ્યો છે કે તે 2022ની વિધાનાસભા ચૂંટણીમાં પણ ઝંપલાવશે. એવામાં સવાલ એ છે કે શું કૉંગ્રેસનું અસ્તિત્વ હવે વિપક્ષી પાર્ટીના વિકલ્પ તરીકે પણ નથી બચ્યું.
તો અમદાવાદમાં પણ ઓવૈસીની પાર્ટી AIMIMને મળી 7 બેઠક મળી છે. આ સાથે જ ઓવૈસીની પાર્ટીની પણ ગુજરાતમાં એન્ટ્રી થઈ છે. જ્યારે જામનગરમાં BSPના 3 ઉમેદવારોએ જીત મેળવી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion