શોધખોળ કરો

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

ભાજપ પ્રમુખ નીતિન નવીને નવી ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં ગુજરાતમાંથી ચાર નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Team BJP: ભાજપ પ્રમુખ નીતિન નવીને નવી ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં ગુજરાતમાંથી ચાર નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીની નવી ટીમમાં અનેક નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. 

ગુજરાતમાંથી વર્ષાબેન દોશી, જગદીશ ઈશ્વરભાઈ પટેલ, રોહન ગુપ્તા, ડૉ હેમાંશ જોશીનો સમાવેશ કરવામાં આવ્યો છે.  વર્ષાબેન દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.  જગદીશ ઈશ્વરભાઈ પટેલને રાષ્ટ્રીય મંત્રી બનાવાયા છે. રોહન ગુપ્તાને પણ રાષ્ટ્રીય મંત્રી બનાવાયા છે. ડૉ હેમાંશ જોશીને યુવા મોરચાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. 

ઉપાધ્યક્ષ,  મહાસચિવો, સચિવો અને પ્રવક્તાઓની યાદીમાં Gen Z અને મહિલાઓની સાથે જાતી સમીકરણોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ભાજપે ઉત્તર પ્રદેશના ઘણા નેતાઓનો સમાવેશ કર્યો છે, જ્યાં આગામી વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે.

સૌથી પહેલા પરીક્ષા 2027 માં થશે

ભાજપે તેના આગામી મિશન માટે નીતિન નવીનની ટીમ તૈયાર કરી છે. સાત મહિના પહેલા પાર્ટીનું નેતૃત્વ સંભાળનારા નીતિન નવીન પાસે મહત્વપૂર્ણ જવાબદારી રહેશે.સૌથી પહેલી પરીક્ષા 2027માં થશે.  ઉત્તર પ્રદેશની ચૂંટણી ભાજપ માટે ઉત્તર પ્રદેશમાં જીતની હેટ્રિક હાંસલ કરવાનો સૌથી મોટો પડકાર હશે. સ્મૃતિ ઈરાનીને નીતિન નવીનની ટીમમાં સૌથી મોટી એન્ટ્રી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભાજપ તેમને રાજ્યસભામાં પણ મોકલી શકે છે.

ભાજપ પ્રમુખ નીતિન નવીને  એક પોસ્ટમાં કહ્યું, "ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય ટીમના તમામ નવનિયુક્ત પદાધિકારીઓને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ. અનુભવ અને ઉર્જાથી સમૃદ્ધ આ ટીમ આદરણીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સંગઠનને નવી ગતિ પ્રદાન કરશે. મને પૂર્ણ વિશ્વાસ છે કે ટીમના તમામ સભ્યો, તેમની કાર્યકર્તા જેવી ભાવનાથી, સંગઠનને વધુ મજબૂત બનાવશે અને 'વિકસિત ભારત' અને રાષ્ટ્રીય સેવાના લક્ષ્યને નવી ઊંચાઈઓ પર લઈ જશે."

વસુંધરા રાજે સહિત અન્ય 13 નેતાઓને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા

ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર વસુંધરા રાજે સિંધિયા, તીરથ સિંહ રાવત, રામ માધવ, બૈજયંત જય પાંડા, ડી. પુરંદેશ્વરી, રેખા વર્મા, વર્ષાબેન નરેન્દ્રભાઈ દોશી, ડૉ. ભારતી પ્રવીણ પવાર, સરદાર મનપ્રીત સિંહ બાદલ, લાલ સિંહ આર્ય, પ્રો. એમ. નાગરાજા, પ્રો તારક મંસૂર અને ડૉ મધુચંદ્ર કરને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવાયા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
Embed widget