શોધખોળ કરો

પાટણ કોલેજમાં ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થીએ મોબાઈલથી રીલ બનાવી વાયરલ કરી, પ્રશાસન સામે સવાલો ઉઠ્યા

રીલ વાયરલ થતાં, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આ ઘટનાને ગંભીરતાથી લીધી અને ટ્વીટ કરીને શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટી પાસે કાર્યવાહીની માંગણી કરી છે.

Patan College exam viral reel: પાટણની બાસ્પા ખાતે આવેલી મહર્ષિ દયાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રશાસનની ગંભીર બેદરકારી સામે આવી છે. કોલેજની ચાલુ પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થીએ મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને રીલ બનાવી અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી છે.

આ ઘટના સોમવારે બની હતી જ્યારે કોલેજમાં સમાજશાસ્ત્રની ઇન્ટરનલ પરીક્ષા ચાલી રહી હતી.  jayu_thakor_345 નામની ઇન્સ્ટાગ્રામ આઈડી ધરાવતા એક વિદ્યાર્થીએ પરીક્ષા ખંડમાં મોબાઈલ ફોન લઈ જઈને રીલ બનાવી હતી અને તેને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી હતી.  પરીક્ષા દરમિયાન મોબાઈલ લઈ જવો પ્રતિબંધ હોવા છતાં, વિદ્યાર્થીએ નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.

રીલ વાયરલ થતાં, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આ ઘટનાને ગંભીરતાથી લીધી અને ટ્વીટ કરીને શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટી પાસે કાર્યવાહીની માંગણી કરી છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે શું શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટી આ મામલે કોઈ પગલાં લેશે કે કેમ.

યુવરાજસિંહે પોતાના ટ્વીટમાં કોલેજ પ્રશાસનની બેદરકારી અને ગેરરીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, "આ કોઈ કોલેજની બેદરકારી કે લાપરવાહી નથી, પરંતુ વિદ્યાર્થીઓનું સારું રિઝલ્ટ આવે અને આવનાર વર્ષમાં વધારે વિદ્યાર્થીઓના એડમિશનના ધંધા ચાલે તે માટે દરેક જગ્યાએ આવું જ ચાલે છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "ચાલુ પરીક્ષામાં બેફામ ચોરી અને ગેરરીતિ ચાલે છે. અહીંયા તો આ એક રીલ સામે આવી હતી, બાકી બધું બંધ દરવાજામાં ચાલે છે."

યુવરાજસિંહે HNGU યુનિવર્સિટીની તકેદારી અને ધ્યાન રાખવાની જવાબદારી પર પણ સવાલ ઉઠાવ્યા હતા અને કોલેજ સત્તાધીશોને મહર્ષિ દયાનંદના નામને ન લજવવા વિનંતી કરી હતી.

પાટણની મહર્ષિ દયાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની આ ઘટનાએ શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે અને સત્તાધીશો સામે ગંભીર સવાલો ઉભા થયા છે. હવે જોવાનું એ રહે છે કે શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટી આ વાયરલ વીડિયો બાદ શું પગલાં લે છે.

આ પણ વાંચો...

છોટાઉદેપુરમાં પ્રેમ લગ્ન કરનાર યુગલ સામે તાલિબાની ફરમાન: પંચનો 9 લાખનો દંડ અને સામાજિક બહિષ્કારનો આદેશ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
Good Governance Day: આજે પૂર્વ વડા પ્રધાનની 101મી જન્મજયંતિ; રાષ્ટ્રપતિ અને PM એ વાજપેયીને આપી શ્રદ્ધાંજલિ
Good Governance Day: આજે પૂર્વ વડા પ્રધાનની 101મી જન્મજયંતિ; રાષ્ટ્રપતિ અને PM એ વાજપેયીને આપી શ્રદ્ધાંજલિ
શું તમને પણ લોહી જોઈને ચક્કર આવે છે? જાણો આ સમસ્યા કેટલી જીવલેણ છે?
શું તમને પણ લોહી જોઈને ચક્કર આવે છે? જાણો આ સમસ્યા કેટલી જીવલેણ છે?
Embed widget