શોધખોળ કરો

Jammu and Kashmir: LOC પાસે સેનાના વાહન પર આતંકી હુમલો, બે જવાન શહીદ, બે મજૂરના મોત

નોંધનીય છે કે એલઓસી નજીક બોટાપથ્થર ગુલમર્ગના નાગિન પોસ્ટ વિસ્તાર પાસે સેનાના એક વાહન પર હુમલો કરવામાં આવ્યો હતો

જમ્મુ-કાશ્મીરમાં LOC પાસે આતંકી હુમલાના સમાચાર છે. આતંકીઓએ સેનાના વાહનને નિશાન બનાવ્યું છે. આ હુમલામાં બે જવાનો શહીદ થયા હતા, જ્યારે સેના માટે કામ કરતા બે મજૂરોના પણ મોત થયા હતા. બે જવાનો ઘાયલ થયા છે. આતંકી સંગઠન PAFF એ આ હુમલાની જવાબદારી લીધી છે. આ જૈશ-એ-મોહમ્મદનો પ્રોક્સી ફ્રન્ટ છે.

નોંધનીય છે કે એલઓસી નજીક બોટાપથ્થર ગુલમર્ગના નાગિન પોસ્ટ વિસ્તાર પાસે સેનાના એક વાહન પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાની પુષ્ટી કરી છે. જોકે, સેના તરફથી પુષ્ટીની રાહ જોવાઈ રહી છે. સૂત્રોનું કહેવું છે કે આ ઘૂસણખોરીનો પ્રયાસ હોઈ શકે છે.

આતંકવાદીઓ સામે તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ- એલજી

જમ્મુ અને કાશ્મીરના એલજી મનોજ સિન્હાએ કહ્યું કે, બુટાપથરી સેક્ટરમાં થયેલા જઘન્ય આતંકવાદી હુમલા પર સેનાના ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી હતી. આતંકવાદીઓને ઠાર મારવા માટે ઝડપી અને યોગ્ય જવાબ આપવા સૂચના આપી હતી. તેમણે કહ્યું કે  આપણા શહીદોનું બલિદાન વ્યર્થ નહીં જાય. તેમના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.

ઓમર અબ્દુલ્લાએ કહ્યું- હું હુમલાની સખત નિંદા કરું છું.

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ હુમલા પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર લખ્યું હતું કે "ઉત્તર કાશ્મીરના બુટા પથરી વિસ્તારમાં સેનાના વાહનો પર થયેલો હુમલો ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ સમાચાર છે, જેમાં કેટલાક લોકો ઘાયલ થયા અને કેટલાકે જીવ ગુમાવ્યો છે." કાશ્મીરમાં તાજેતરના હુમલાઓની ગંભીર ચિંતાનો વિષય છે. હું આ હુમલાની સખત નિંદા કરું છું અને જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમના પ્રિયજનો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. હું પ્રાર્થના કરું છું કે ઘાયલ લોકો સંપૂર્ણ અને ઝડપથી સાજા થાય.

મહબૂબા મુફ્તીએ શોક વ્યક્ત કર્યો

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ આ હુમલા પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું હતું કે "બારામુલ્લામાં સેનાના કાફલા પર થયેલા આતંકવાદી હુમલાથી ખૂબ જ દુઃખી છું, જેમાં એક નાગરિકનું મોત થયું છે." હું સ્પષ્ટપણે આની નિંદા કરું છું અને ઘાયલ સૈનિકો ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના કરું છું.

ત્રણ દિવસ પહેલા થયેલા હુમલામાં 7 લોકોના મોત થયા હતા

આના ત્રણ દિવસ પહેલા જ ગંદરબાલમાં જ સુરંગ નિર્માણમાં રોકાયેલા મજૂરોના હાઉસિંગ કેમ્પ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં છ મજૂરો અને એક ડોક્ટરના મોત થયું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ
Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ
PM Modi: પીએમ મોદીએ કર્યા સોમનાથ દાદાના દર્શન, લોક કલ્યાણ માટે પ્રાર્થના કરી, શેર કર્યો વીડિયો
PM Modi: પીએમ મોદીએ કર્યા સોમનાથ દાદાના દર્શન, લોક કલ્યાણ માટે પ્રાર્થના કરી, શેર કર્યો વીડિયો
PM Kisan Yojana: 10 દિવસ બાદ પણ ખાતામાં નથી આવ્યા 19મા હપ્તાના 2000 રૂપિયા? આ કારણ હોઇ શકે છે
PM Kisan Yojana: 10 દિવસ બાદ પણ ખાતામાં નથી આવ્યા 19મા હપ્તાના 2000 રૂપિયા? આ કારણ હોઇ શકે છે
અમદાવાદમાં સોલા બ્રિજ અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી, પ્રથમ વખત નેશનલ હાઈવે ઓથોરિટી સામે નોંધાશે ગુનો
અમદાવાદમાં સોલા બ્રિજ અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી, પ્રથમ વખત નેશનલ હાઈવે ઓથોરિટી સામે નોંધાશે ગુનો
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi Visit Lion Safari at Gir National Park : PM મોદીએ માણી જંગલ સફારીની મજા, કરી ફોટોગ્રાફીAhmedabad Murder Case : અમદાવાદમાં યુવકની છરીના ઘા મારીને હત્યાVinchhiya Koli Sammelan meeting: વીંછીયામાં 9 માર્ચે કોળી-ઠાકોર સમાજનું સંમેલન | શું ઉઠી માંગ?Hun To Bolish :  હું તો બોલીશ : બેફામ ડ્રાઈવર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ
Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ
PM Modi: પીએમ મોદીએ કર્યા સોમનાથ દાદાના દર્શન, લોક કલ્યાણ માટે પ્રાર્થના કરી, શેર કર્યો વીડિયો
PM Modi: પીએમ મોદીએ કર્યા સોમનાથ દાદાના દર્શન, લોક કલ્યાણ માટે પ્રાર્થના કરી, શેર કર્યો વીડિયો
PM Kisan Yojana: 10 દિવસ બાદ પણ ખાતામાં નથી આવ્યા 19મા હપ્તાના 2000 રૂપિયા? આ કારણ હોઇ શકે છે
PM Kisan Yojana: 10 દિવસ બાદ પણ ખાતામાં નથી આવ્યા 19મા હપ્તાના 2000 રૂપિયા? આ કારણ હોઇ શકે છે
અમદાવાદમાં સોલા બ્રિજ અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી, પ્રથમ વખત નેશનલ હાઈવે ઓથોરિટી સામે નોંધાશે ગુનો
અમદાવાદમાં સોલા બ્રિજ અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી, પ્રથમ વખત નેશનલ હાઈવે ઓથોરિટી સામે નોંધાશે ગુનો
માર્ચમાં 'હીટવેવ' માટે રહો તૈયાર, આ 10 જિલ્લામાં 7મી માર્ચથી પડશે આકરો તાપ, પારો 41 ડિગ્રીથી ઉપર જવાની સંભાવના...
માર્ચમાં 'હીટવેવ' માટે રહો તૈયાર, આ 10 જિલ્લામાં 7મી માર્ચથી પડશે આકરો તાપ, પારો 41 ડિગ્રીથી ઉપર જવાની સંભાવના...
Rajkot: કાળજાળ ગરમીની વચ્ચે રાજકોટવાસીઓને એપ્રિલથી નહીં મળે નર્મદાનું પાણી, જાણો કારણ
Rajkot: કાળજાળ ગરમીની વચ્ચે રાજકોટવાસીઓને એપ્રિલથી નહીં મળે નર્મદાનું પાણી, જાણો કારણ
Oscars 2025: 97મા ઓસ્કાર એવોર્ડની કરાઇ જાહેરાત, જુઓ વિનર્સની સંપૂર્ણ યાદી
Oscars 2025: 97મા ઓસ્કાર એવોર્ડની કરાઇ જાહેરાત, જુઓ વિનર્સની સંપૂર્ણ યાદી
Ind vs Aus Live Streaming: પ્રથમ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે ભારત, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઇવ મેચ
Ind vs Aus Live Streaming: પ્રથમ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે ભારત, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઇવ મેચ
Embed widget