શોધખોળ કરો

Union Cabinet decisions: કેન્દ્રીય કેબીનેટમાં લેવામાં આવ્યા 6 મોટા નિર્ણયો, LPGમાં સબસિડી ચાલું રહેશે, ખેડૂતો માટે પણ થઈ મહત્વની જાહેરાત

Union Cabinet decisions: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા મોદી સરકાર દ્વારા અનેક મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. મોદી સરકારે એલપીજી સિલિન્ડર પર આપવામાં આવતી સબસિડી એક વર્ષ માટે લંબાવી છે.

Union Cabinet decisions: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા મોદી સરકાર દ્વારા અનેક મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. મોદી સરકારે એલપીજી સિલિન્ડર પર આપવામાં આવતી સબસિડી એક વર્ષ માટે લંબાવી છે. પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 31 માર્ચ 2025 સુધી એલપીજી સિલિન્ડર પર સબસિડી મળતી રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં એલપીજી સિલિન્ડર પર સબસિડી આપવાનો સમયગાળો એક વર્ષ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

1. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) લાભાર્થીઓ માટે, સરકારે દર વર્ષે 12 રિફિલ સુધી 14.2 કિગ્રા સિલિન્ડર દીઠ ₹300 ની લક્ષિત સબસિડી ચાલુ રાખવાની મંજૂરી આપી છે. લાભાર્થીઓ 1 એપ્રિલ, 2024થી શરૂ થયેલી આ યોજનાનો લાભ 31 માર્ચ, 2025 સુધી મેળવી શકે છે. પીયૂષ ગોયલે કહ્યું કે, આના પર કુલ 12,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

2. ગુરુવાર, 7 માર્ચ, 2024 ના રોજ કેબિનેટની બેઠક મળી હતી, જેમાં મોંઘવારી ભથ્થું 46 ટકાથી વધારીને 50 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારના આ નિર્ણયથી લગભગ 49 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને લગભગ 68 લાખ પેન્શનરોને ફાયદો થશે. હોળી પહેલા મોદી સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે તિજોરી ખોલી દેવામાં આવી છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતને 46 ટકાથી વધારીને 50 ટકા કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરીથી 30 જૂન 2024 સુધી વધારવામાં આવ્યું છે.

3. પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ પ્રેસ બ્રીફિંગમાં મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે કેબિનેટે પાંચ વર્ષ માટે 10,371.92 કરોડ રૂપિયાના ખર્ચ સાથે 'ઈન્ડિયા એઆઈ મિશન'ને મંજૂરી આપી છે. ઈન્ડિયાએઆઈ મિશન જાહેર અને ખાનગી ક્ષેત્રોમાં વ્યૂહાત્મક કાર્યક્રમો અને ભાગીદારી દ્વારા AI નવીનતાને વેગ આપવા માટે એક વ્યાપક ઇકોસિસ્ટમ બનાવશે. કોમ્પ્યુટિંગને બધા માટે સુલભ બનાવવું, ડેટાની ગુણવત્તામાં સુધારો કરવો, સ્વદેશી AI ક્ષમતાઓ વિકસાવવી, ટોચની AI પ્રતિભાઓને આકર્ષિત કરશે. તે AI ઉદ્યોગ સહયોગને સક્ષમ કરશે, સ્ટાર્ટઅપ જોખમ મૂડી પ્રદાન કરશે, સામાજિક રીતે અસરકારક AI પ્રોજેક્ટ્સની ખાતરી કરશે અને નૈતિક AIને મજબૂત કરશે.

4.  સરકારે 2024-25ની સીઝન માટે શણના લઘુત્તમ ટેકાના ભાવ રૂ. 5,050 થી વધારીને રૂ. 5,335 કર્યા છે. આ રીતે કાચા શણની એમએસપીમાં 5.6 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે કાચા શણની લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરવાથી 40 લાખ શણ ખેડૂત પરિવારોને સીધો ફાયદો થશે.

5. સુરક્ષા પરની કેબિનેટ સમિતિએ ભારતીય સેના અને ભારતીય કોસ્ટ ગાર્ડ માટે 34 નવા ALH ધ્રુવ હેલિકોપ્ટર ખરીદવાની દરખાસ્તોને મંજૂરી આપી. એએનઆઈએ સંરક્ષણ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે, ભારતીય સેનાને આમાંથી 25 હેલિકોપ્ટર મળશે, જ્યારે ભારતીય કોસ્ટ ગાર્ડને 9 મળશે. આ હેલિકોપ્ટર જાહેર ક્ષેત્રની કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા સ્વદેશી રીતે બનાવવામાં આવશે.

6. કેબિનેટે ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં ઔદ્યોગિકીકરણને પ્રોત્સાહન આપવા માટે ₹10,037 કરોડની યોજનાને મંજૂરી આપી. એક અખબારી નોંધમાં જણાવવામાં આવ્યું હતું કે, સૂચિત યોજનામાં અંદાજે 2180 અરજીઓની પરિકલ્પના કરવામાં આવી છે, અને યોજનાના સમયગાળા દરમિયાન અંદાજે 83,000 પ્રત્યક્ષ રોજગારની તકો પેદા કરવાનો અંદાજ છે. નોંધપાત્ર સંખ્યામાં પરોક્ષ રોજગારી પણ ઉત્પન્ન થવાની અપેક્ષા છે. યોજના હેઠળ, રોકાણકારોને નવા એકમો સ્થાપવા અથવા હાલના એકમોને નોંધપાત્ર રીતે વિસ્તૃત કરવા માટે પ્રોત્સાહનો આપવામાં આવશે. આ યોજના નોટિફિકેશનની તારીખથી 31 માર્ચ, 2034 સુધી અમલમાં રહેશે, જેમાં આઠ વર્ષની પ્રતિબદ્ધ જવાબદારીઓ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

VerSe Innovation એ P.R. રમેશને ઓડિટ સમિતિના અધ્યક્ષ નિયુક્ત કર્યા, જાણો શું છે કંપનીનો પ્લાન
VerSe Innovation એ P.R. રમેશને ઓડિટ સમિતિના અધ્યક્ષ નિયુક્ત કર્યા, જાણો શું છે કંપનીનો પ્લાન
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
રાજ્યસભામાં OBC અનામત પર વિવાદ, ભાજપ સાંસદે કહ્યું- 'મુસ્લિમોને OBCમાંથી બહાર કરો'
રાજ્યસભામાં OBC અનામત પર વિવાદ, ભાજપ સાંસદે કહ્યું- 'મુસ્લિમોને OBCમાંથી બહાર કરો'

વિડિઓઝ

PM Modi Speech: સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ લોકાર્પણ કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન
PM Modi Gujarat Visit: PM મોદીએ કોબામાં જૈન મ્યૂઝિયમનું કર્યું ઉદ્ઘાટન
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત
Mehsana Hit and Run News: મહેસાણાના બહુચરાજીમાં રફતારનો કહેર, બે લોકોના મોત, આઠ લોકો થયા ઘાયલ
Hun To Bolish : હું તો બોલીશ : PM આવશે, વિકાસ લાવશે

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ 
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ 
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો
1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
Embed widget