શોધખોળ કરો

Corona Third Wave: ત્રણ મહિનામાં બાદ દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવે તેવી શક્યતા, જાણો નિષ્ણાંતોએ શું આપી ચેતવણી

દુનિયાભરના 40 સ્વાસ્થ્ય નિષ્ણાંતો, ડોક્ટરો, વિજ્ઞાનીઓ, વાયરોલોજિસ્ટ, મહામારી વૈજ્ઞાનિકો અને પ્રોફેસરોના 3થી 17 જૂન વચ્ચે કરવામાં આવેલા સર્વે પરથી જાણવા મળ્યું છે.

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર હવે ધીમી પડી રહી છે. જોકે બીજી લહેરે દેશમાં હાહાકાર મચાવી દીધો હતો. જોકે હવે નિષ્ણાંતોએ ત્રીજી લહેર માટે તૈયાર રહેવાની ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે આગામી ત્રણ મહિનામાં દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. જોકે સરકાર પણ કોરોના વાયરસની ત્રીજી લહેરને લઈને સાવચેત જોવા મળી રહી છે. સરકારે ત્રીજી લહેરને પહોંચી વળવા માટે પહેલાથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

તબીબી નિષ્ણાંતોનું કહેવું છે કે, ઓક્ટોબર મહિનામાં સુધીમાં ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવી શકે છે. જોકે બીજી લહેરમાં જેવી મુશ્કેલી પડી તેને જોતા આ વખતે ત્રીજ લહેરને સારી રીતે નિયંત્રિત કરી શકાશે. જોકે એક વાત નક્કી છે કે આ મહામારી વધુ એક વર્ષ જોખમી બની રહેશે.

દુનિયાભરના 40 સ્વાસ્થ્ય નિષ્ણાંતો, ડોક્ટરો, વિજ્ઞાનીઓ, વાયરોલોજિસ્ટ, મહામારી વૈજ્ઞાનિકો અને પ્રોફેસરોના 3થી 17 જૂન વચ્ચે કરવામાં આવેલા સર્વે પરથી જાણવા મળ્યું છે કે ત્રીજી લહેરના પ્રકોપને ઘટાડવા માટે રસીકરણ સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવશે. ત્રીજી લહેરની આગાહી કરનારાઓમાં 85 ટકા કરતાં વધારે નિષ્ણાંતોનું કહેવું છે કે, વાયરસની ત્રીજી લહેર ઓક્ટોબર મહિનામાં સુધીમાં આવશે. આ સિવાય કેટલાક લોકો સપ્ટેમ્બર અને નવેમ્બરમાં ત્રીજી લહેર આવશે તેવું માની રહ્યા છે.

દેશમાં કોરોનાની બીજી લહેર હવે ધીમે ધીમે નબળી પડી રહી છે. સતત 12માં દિવસે નવા કેસની સંખ્યા 1 લાખ કરતાં ઓછી આવી છે અને સતત પાંચમાં દિવસે 70 હજારથી ઓછા કેસ નોંધાયા છે. કોરોનાથી મોતનો આંકડો પણ ઘટ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, વિતેલા 24 કલાકમાં 60753 નવા કોરોનાના કેસ આવ્યા અને 1647 સંક્રમિતોના મોત થયા છે.  97,743 લોકો કોરોનાથી ઠીક થયા છે .

દેશમાં કોરોનાની સ્થિતિ

કુલ કોરોના કેસ - બે કરોડ 98 લાખ 23 હજાર 546

કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 86 લાખ 78 હજાર 390

કુલ એક્ટિવ કેસ - 7 લાખ 60 હજાર 

કુલ મોત - 3 લાખ 85 હજાર 137

દેશમાં સતત 37માં દિવસે કોરોના વાયરસના નવા કેસ કરતાં રિકવર થયેલ લોકોની સંખ્યા વધારે છે. 74 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા એક્ટિવ કેસ નોંધાયા છે. 18 જૂન સુધી દેશભરમાં 27 કરોડ 23 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 33 લાખ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. જ્યારે અત્યાર સુધીમાં અંદાજે 38 કરોડ 92 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે અંદાજે 19 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો પોઝિટિવિટી રેટ 4 ટકાથી વધારે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
આગામી 7 દિવસ સુધી મુશળધાર વરસાદ અને વાવાઝોડાની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
આગામી 7 દિવસ સુધી મુશળધાર વરસાદ અને વાવાઝોડાની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીલ મંત્ર 'હું નહીં,આપણે'
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં 'રેસના ઘોડા' કોણ?,'બલિના બકરા' કોણ?
Hun To Bolish: હું તો બોલીશ : હેલ્મેટનો સગવડિયો નિયમ !
Morbi Politics: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની જીત છતાં મોટો ઝટકો
Ambalal Patel Prediction: રાજ્યમાં ફરી કમોસમી વરસાદની અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય
શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય
Embed widget