શોધખોળ કરો

Air India: 150 યાત્રીઓ સાથે ઉડેલા વિમાનમાં લાગી આગ, દિલ્હી એરપોર્ટ પર ફુલ ઈમરજન્સી જાહેર

Air India: શુક્રવારે (17 મે) દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-807 તેના AC યુનિટમાં આગ લાગ્યા બાદ પરત ફરી હતી.

Air India: શુક્રવારે (17 મે) દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-807 તેના AC યુનિટમાં આગ લાગ્યા બાદ પરત ફરી હતી, ત્યારબાદ સમગ્ર એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. આ ફ્લાઈટમાં 175 મુસાફરો હતા. શુક્રવારે સાંજે 6.38 કલાકે ફ્લાઇટનું દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ થયું હતું.

 

ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર, દિલ્હી એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું કે ફ્લાઈટ દિલ્હી પરત આવી ગઈ છે અને સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગઈ છે.

એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર

સૂત્રોએ પુષ્ટિ આપી કે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના અધિકારીઓએ ફ્લાઈટને લેન્ડ કરવા માટે ઈમરજન્સી જાહેર કરવી પડી હતી. ફ્લાઇટ પહેલા બેંગલુરુમાં લેન્ડ થવાની હતી. એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઇમરજન્સી કોલ મળતાની સાથે જ એરપોર્ટ ઓથોરિટી તરત જ એક્શનમાં આવી ગઈ હતી અને એરપોર્ટ પર એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. કોઈપણ ઈમરજન્સીને પહોંચી વળવા એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ સાથે સુરક્ષા ટીમ અને ફાયર બ્રિગેડને તાત્કાલિક રનવે પર મોકલવામાં આવ્યા હતા.

એર ટ્રાફિક કંટ્રોલે પ્લેનના ઈમરજન્સી લેન્ડિંગની મંજૂરી આપી

ANIએ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI એરપોર્ટ)ના અધિકારીઓને ટાંકીને આ ઘટનાની પુષ્ટિ કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI-807 શુક્રવારે સાંજે દિલ્હી એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. ટેક ઓફ કરતા પહેલા વિમાનની સંપૂર્ણ સુરક્ષા અને તકનીકી તપાસ કરવામાં આવી હતી. ચેકઅપ દરમિયાન પ્લેનમાં કોઈ ખામી જોવા મળી નથી. શુક્રવારે સાંજે 175 મુસાફરો સાથે વિમાને દિલ્હી એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. ફ્લાઈટ ટેકઓફ થતાની સાથે જ પાઈલટ પાસે ફાયર સિગ્નલો ચેતવણી આપવા લાગ્યા. પાયલોટે પ્લેન ફેરવ્યું અને એર ટ્રાફિક કંટ્રોલને જાણ કરી. મામલાની ગંભીરતાને સમજીને એર ટ્રાફિક કંટ્રોલે પ્લેનના ઈમરજન્સી લેન્ડિંગની મંજૂરી આપી હતી. આ પછી પાયલટે સાંજે 6.38 કલાકે ફરીથી વિમાનને દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું હતું.

એર ઈન્ડિયાના વિમાન સાથે સંકળાયેલી આ સતત બીજી ઘટના છે. આ પહેલા ગુરુવારે (16 મે) દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટને તેની ફ્લાઈટ કેન્સલ કરવી પડી હતી. પુણે એરપોર્ટના રનવે પર એર ઈન્ડિયાનું વિમાન ટગ ટ્રેક્ટર સાથે અથડાયું હતું. તે ફ્લાઈટમાં 180 લોકો હાજર હતા અને તમામ મુસાફરોને ફ્લાઈટમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ગોઝારો શુક્રવાર, રાજ્યમાં રક્ષાબંધનના પૂર્વે રોડ અકસ્માતની હારમાળા,10 લોકોના મૃત્યુ
ગોઝારો શુક્રવાર, રાજ્યમાં રક્ષાબંધનના પૂર્વે રોડ અકસ્માતની હારમાળા,10 લોકોના મૃત્યુ
ઉત્તરકાશીમાં 'ઓપરેશન જિંદગી'ને મોટી સફળતા,  ગુજરાતના 131 પ્રવાસીઓના કરાયા રેસ્ક્યુ, જાણો અપડેટસ
ઉત્તરકાશીમાં 'ઓપરેશન જિંદગી'ને મોટી સફળતા, ગુજરાતના 131 પ્રવાસીઓના કરાયા રેસ્ક્યુ, જાણો અપડેટસ
Accident: મોરબીના માળિયા નજીક 2 ટ્રક અને કારનો ભયંકર અકસ્માત,  4 લોકો આગમાં ભૂંજાયા, 7 લોકોનું રેસ્ક્યુ
Accident: મોરબીના માળિયા નજીક 2 ટ્રક અને કારનો ભયંકર અકસ્માત, 4 લોકો આગમાં ભૂંજાયા, 7 લોકોનું રેસ્ક્યુ
Weather Updates: યુપી સહિત દેશના આ રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, જાણો વેધર અપડેટ્સ
Weather Updates: યુપી સહિત દેશના આ રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, જાણો વેધર અપડેટ્સ
Advertisement

વિડિઓઝ

Mehsana Accident : મહેસાણામાં કારની ટક્કરે એક્ટિવા પર જતાં 2 લોકોના મોત, ચાલક ફરાર
Surat Accident : સુરતમાં બેફામ કારે સાયકલને ટક્કર મારતા 2ના ઘટનાસ્થળે જ મોત, જુઓ અહેવાલ
Banaskantha Farmers Protest :  પાલનપુરમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન, જમીનનું પૂરતું વળતર આપવા માંગ
Morbi Accident : મોરબીમાં ભયંકર અકસ્માત , ચાર લોકો જીવતા ભૂંજાયા, 7 લોકોનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને ખેતીબેંકનો ટેકો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગોઝારો શુક્રવાર, રાજ્યમાં રક્ષાબંધનના પૂર્વે રોડ અકસ્માતની હારમાળા,10 લોકોના મૃત્યુ
ગોઝારો શુક્રવાર, રાજ્યમાં રક્ષાબંધનના પૂર્વે રોડ અકસ્માતની હારમાળા,10 લોકોના મૃત્યુ
ઉત્તરકાશીમાં 'ઓપરેશન જિંદગી'ને મોટી સફળતા,  ગુજરાતના 131 પ્રવાસીઓના કરાયા રેસ્ક્યુ, જાણો અપડેટસ
ઉત્તરકાશીમાં 'ઓપરેશન જિંદગી'ને મોટી સફળતા, ગુજરાતના 131 પ્રવાસીઓના કરાયા રેસ્ક્યુ, જાણો અપડેટસ
Accident: મોરબીના માળિયા નજીક 2 ટ્રક અને કારનો ભયંકર અકસ્માત,  4 લોકો આગમાં ભૂંજાયા, 7 લોકોનું રેસ્ક્યુ
Accident: મોરબીના માળિયા નજીક 2 ટ્રક અને કારનો ભયંકર અકસ્માત, 4 લોકો આગમાં ભૂંજાયા, 7 લોકોનું રેસ્ક્યુ
Weather Updates: યુપી સહિત દેશના આ રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, જાણો વેધર અપડેટ્સ
Weather Updates: યુપી સહિત દેશના આ રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, જાણો વેધર અપડેટ્સ
NSA અજીત ડોભાલે મોસ્કોમાં પુતિન સાથે કરી મુલાકાત, રશિયાના રાષ્ટ્રપતિએ આ મુદ્દાઓ પર કરી ચર્ચા 
NSA અજીત ડોભાલે મોસ્કોમાં પુતિન સાથે કરી મુલાકાત, રશિયાના રાષ્ટ્રપતિએ આ મુદ્દાઓ પર કરી ચર્ચા 
રાહુલ ગાંધીએ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને ચૂંટણી પંચ વિરુદ્ધ 'પુરાવા' બતાવ્યા, ડિનર પોલિટિક્સથી આ મુદ્દાઓ પર બની સહમતિ
રાહુલ ગાંધીએ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને ચૂંટણી પંચ વિરુદ્ધ 'પુરાવા' બતાવ્યા, ડિનર પોલિટિક્સથી આ મુદ્દાઓ પર બની સહમતિ
વધારે કોફીનું સેવન સ્વાસ્થ્ય માટે ખતરનાક, થઈ શકે છે આ 4 મોટા નુકસાન
વધારે કોફીનું સેવન સ્વાસ્થ્ય માટે ખતરનાક, થઈ શકે છે આ 4 મોટા નુકસાન
કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફરી ફાયરિંગ, આ ગેંગસ્ટરે લીધી જવાબદારી
કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફરી ફાયરિંગ, આ ગેંગસ્ટરે લીધી જવાબદારી
Embed widget