શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
વંદે ભારત મિશનઃ એર ઈન્ડિયા અમેરિકા માટે શરૂ કરશે 36 ફ્લાઇટ, જાણો ક્યારથી શરૂ થશે બુકિંગ
ભારત સરકાર વિશ્વભરમાં કોરોના મહામારીના કારણે લોકડાઉનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા વંદે ભારત મિશન ચલાવી રહી છે.
![વંદે ભારત મિશનઃ એર ઈન્ડિયા અમેરિકા માટે શરૂ કરશે 36 ફ્લાઇટ, જાણો ક્યારથી શરૂ થશે બુકિંગ Air India will operate 36 flights between India and USA from 11th July to 19th July વંદે ભારત મિશનઃ એર ઈન્ડિયા અમેરિકા માટે શરૂ કરશે 36 ફ્લાઇટ, જાણો ક્યારથી શરૂ થશે બુકિંગ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/05231236/air-india.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય એરલાઇન્સ કંપની એર ઈન્ડિયાએ વંદે ભારત મિશન હેઠળ 11 થી 19 જુલાઈ, 2020 સુધી અમેરિકાથી ફલાઇટ ચલાવવાની જાહેરાત કરી છે. ભારત અને અમેરિકા વચ્ચે કુલ 36 ફ્લાઇટ ચલાવવામાં આવશે. આ ફ્લાઇટ ચલાવવાથી કોરોના વાયરસના કારણે અમેરિકામાં ફસાયેલા ભારતીયો સ્વદેશ પરત ફરી શકશે. ઉપરાંત ભારતમાં ફસાયેલા લોકો અમેરિકા જઈ શકશે.
એર ઈન્ડિયા તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, અમેરિકા માટેની ફ્લાઇટની ટિકિટનું બુકિંગ માત્ર એર ઈન્ડિયાની સત્તાવાર વેબસાઇટ કે એરઈન્ડિયાની બુકિંગ ઓફિસથી થઈ શકશે. ફ્લાઇટનું બુકિંગ 6 જુલાઈ 2020થી સવારે 2 વાગ્યાથી શરૂ થશે.
6 જુલાઈ 2020ની સવારે 2 વાગ્યે ન્યૂયોર્કમાં સવારના 10.30 વાગ્યા હશે. શિકાગોમાં સવારે 9.30થી બુકિંગ શરૂ થશે. સાન ફ્રાન્સિસ્કોમાં સવારે 7.30 બુકિંગ શરૂ થશે.
ભારત સરકાર વિશ્વભરમાં કોરોના મહામારીના કારણે લોકડાઉનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા વંદે ભારત મિશન ચલાવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)