શોધખોળ કરો

દિલ્હી હિંસા: અમર્ત્ય સેને ઉઠાવ્યા સવાલ, પૂછ્યું- પોલીસ અસક્ષમ કે સરકાર દ્વારા પૂરતા પ્રયાસો ન કરવામાં આવ્યા

અમર્ત્ય સેને કહ્યું, “આ ઘટના જ્યાં બની તે દેશની રાજધાની છે અને કેન્દ્ર શાસિત છે. જો લઘુમતીઓને ત્યાં ત્રાસ આપવામાં આવે છે અને પોલીસ નિષ્ફળ અથવા પોતાનું કર્તવ્ય નિભાવવામાં નિષ્ફળ રહે છે તો આ એક ગંભીર ચિંતાનો વિષય છે. ”

બોલપુર: દિલ્હી હિંસા બાદ વિપક્ષ સતત દિલ્હી પોલીસ અને સરકાર પર સવાલો ઉઠાવી રહ્યું છે. તેની વચ્ચે નોબેલ પુરસ્કાર વિજેતા અમર્ત્ય સેને ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું કે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે અને લોકોને ધાર્મિકતાના આધારે ભાગલા પાડી શકાય નહીં. તેમણે હિંસા પર સવાલ ઉઠાવતા કહ્યું કે સરકારે એ તપાસ કરવી જોઈએ કે હિંસાને કાબુમાં કરવા પોલીસ અસક્ષમ હતી કે પછી હિંસા સામે લડવા માટે સરકાર તરફથી પૂરતા પ્રયાસો ન કરવામાં આવ્યા. અમર્ત્ય સેને કહ્યું, “દિલ્હીમાં જ્યારે હિંસા થઈ હતી, ત્યારે મે નોર્થ ઈસ્ટ દિલ્હીના વિસ્તારની મુલાકાત લીધી હતી. ત્યાં ન માત્ર લઘુમતીઓ, બહુમતીઓ પણ ડર અનુભવી રહ્યાં હતા. હિંસા દરમિયાન પોલીસ નિષ્ક્રિય હતી. ” એક ટ્રસ્ટ દ્વારા આયોજીત કાર્યક્રમમાં અમર્ત્ય સેને કહ્યું, “હું ખૂબજ ચિંતિત છું કે, આ ઘટના જ્યાં બની તે દેશની રાજધાની છે અને કેન્દ્ર શાસિત છે. જો લઘુમતીઓને ત્યાં ત્રાસ આપવામાં આવે છે અને પોલીસ નિષ્ફળ અથવા પોતાનું કર્તવ્ય નિભાવવામાં નિષ્ફળ રહે છે તો આ એક ગંભીર ચિંતાનો વિષય છે. ” અહેવાલ એવા છે કે, જે લોકો માર્યા ગયા અથવા જેમને ત્રાસ આપવામાં આવ્યો તેમાં મોટાભાગના મુસલમાન છે. ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે, આપણે હિંદુ અને મુસ્લિમના ભાગલા પાડી શકીએ નહીં. એક ભારતીય નાગરિક તરીકે હું ચિંતિત થવા સિવાય બીજુ કંઈ કરી શકતો નથી. સેને કહ્યું, જો કે સમગ્ર મામલે વિશ્લેષણ કર્યા વગર નિષ્કર્ષ કાઢી શકાય નહીં. તેમણે કહ્યું કે જસ્ટિસ એસ મુરલીધનનું ટ્રાન્સફર દિલ્હી હાઈ કોર્ટથી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં થવા પર સવાલ ઉઠે તે સ્વાભાવિક છે. હું વ્યક્તિગત રીતે તેમને ઓળખું છું.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget