શોધખોળ કરો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન પર અમિત શાહે તોડ્યું મૌન, આપ્યું મોટું નિવેદન

સુપ્રીમ કોર્ટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન આપ્યા હતા

સુપ્રીમ કોર્ટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન આપ્યા હતા. જેના કારણે તેઓ 1 જૂન સુધી તિહારમાંથી બહાર આવી ગયા છે અને જાહેર સભાઓ અને રેલીઓને સંબોધિત કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન પર આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પ્રતિક્રિયા આપી હતી.

ગૃહ પ્રધાન અમિત શાહે આજે ANIને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તેઓ માનતા નથી કે અરવિંદ કેજરીવાલનું અચાનક જેલમાંથી બહાર આવવું એક રૂટીન જજમેન્ટ નથી. તેમણે વધુમાં કહ્યું કે દેશમાં મોટી સંખ્યામાં લોકોનું માનવું છે કે તેમને સ્પેશ્યલ ટ્રીટમેન્ટ આપવામાં આવી છે.

બાદમાં જ્યારે અમિત શાહને અરવિંદ કેજરીવાલ દ્ધારા ઇન્ડિયા ગઠબંધનના ચૂંટણી પ્રચાર અંગે સવાલ કરવામાં આવતા તેમણે કહ્યુ કે હાલમાં કેજરીવાલ સ્વાતિ માલીવાલ પર હુમલાના મામલામાં ફસાયા છે. તેમને મુક્ત થવા દો અને પછી જોઇએ છીએ કે શું થાય છે.

કેજરીવાલ કોર્ટની અવમાનના કરી રહ્યા છે

આ સાથે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ અરવિંદ કેજરીવાલના એ નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી જેમાં કેજરીવાલે કહ્યું હતું કે જો લોકો ઝાડુને વોટ આપશે તો તેમને 4 મે પછી જેલમાં જવું પડશે નહીં. અરવિંદ કેજરીવાલના આ નિવેદન પર અમિત શાહે કહ્યું કે તેઓ ખુલ્લેઆમ કોર્ટની અવમાનના કરી રહ્યા છે. તેઓનું કહેવું છે કે જો ચૂંટણીમાં વિજય મળે છે તો તેમને સુપ્રીમ કોર્ટ દોષિત હોવા પર જેલમાં મોકલી શકે નહી. આ પછી અમિત શાહે કહ્યું કે હવે સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશોએ અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા છે તેઓએ વિચારવું પડશે કે શું તેમના ચુકાદાનો દુરુપયોગ થઈ રહ્યો છે કે પછી તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બાદમાં જ્યારે ઇન્ટરવ્યૂમાં અમિત શાહને પૂછવામાં આવ્યું કે તમે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર શું કહેશો જેના પર અમિત શાહે કહ્યું કે ન્યાયની વ્યાખ્યા કરવાનો સુપ્રીમ કોર્ટને અધિકાર છે પરંતુ મારું માનવું છે કે આ નોર્મલ પ્રકારનો જજમેન્ટ નથી. દેશના મોટાભાગના લોકોનું માનવું છે કે સ્પેશ્યલ ટ્રીટમેન્ટ આપવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી વિભાગોની પોલ ખોલતો રિપોર્ટHun To Bolish : હું તો બોલીશ : કેમ સૂકાયા બગીચા, ક્યાં ગયું પાણી?Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Embed widget