શોધખોળ કરો

Anant Radhika Wedding: અનંત રાધિકાના લગ્નસ્થળની બહાર વડાપ્રધાનના સ્વાગતના પોસ્ટર લાગ્યા! શું PM મોદી પણ હાજરી આપશે?

Anant Radhika Wedding: PM મોદીનો 13 જુલાઈએ મુંબઈનો પ્રવાસ પ્રસ્તાવિત છે, જ્યાં તેઓ અનેક પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે. લગ્નસ્થળની આસપાસ PM મોદીના સ્વાગતના પોસ્ટર લગાવવામાં આવ્યા છે.

Anant Ambani Radhika Merchant Wedding: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને ઉદ્યોગપતિ વીરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટના લગ્ન માટે મુંબઈમાં આજે એટલે કે 12 જુલાઈ 2024ના રોજ દેશ વિદેશની પ્રમુખ હસ્તીઓ મુંબઈ પહોંચી ચૂકી છે.

મોદીના સ્વાગતના પોસ્ટર

આ લગ્નમાં અનેક કંપનીઓના ગ્લોબલ CEOઓ પણ સામેલ થવા માટે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ સ્થિત જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર પહોંચી ચૂક્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શનિવારે (13 જુલાઈ 2024) મુંબઈનો પ્રવાસ કરશે. આને લઈને મુંબઈમાં લગ્નસ્થળ સુધી જતા રસ્તાઓમાં PM મોદીના સ્વાગતના પોસ્ટર લગાવવામાં આવ્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ પોસ્ટર ભારતીય જનતા પાર્ટી (BJP) તરફથી લગાવવામાં આવ્યા છે, જેના પર લખ્યું છે, "ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મુંબઈમાં હાર્દિક સ્વાગત છે." જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં બોલીવુડ, રાજકારણ, રમતગમત, વ્યાપાર, હોલીવુડ સહિત બાકી તમામ ક્ષેત્રોના સિતારાઓના પહોંચવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે.

લગ્ન સમારોહ માટે પહોંચ્યા અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી

આ લગ્નમાં સામેલ થવા માટે અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી જોન કેરી પણ મુંબઈ પહોંચી ચૂક્યા છે તો બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ટોની બ્લેર અને વડાપ્રધાન બોરિસ જોનસનના પણ મુંબઈ આવવાની સંભાવના છે. જોકે મહેમાનોની સંભવિત યાદીમાં PM મોદીનું નામ નહોતું.

મુંબઈમાં આ છે PM મોદીનો કાર્યક્રમ

અનંત રાધિકાના લગ્નમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેલ થશે કે નહીં એના પર હજુ સુધી કોઈ અધિકૃત નિવેદન સામે આવ્યું નથી. મુંબઈ પ્રવાસ પર PM મોદી ગોરેગાંવના નેસ્કો સેન્ટરમાં આયોજિત સમારોહમાં ગોરેગાંવ મુલુંડ લિંક રોડના ત્રીજા તબક્કાનું પણ ઉદ્ઘાટન કરશે. લોકસભા ચૂંટણી 2024 પછી આ PM મોદીનો પ્રથમ મુંબઈ પ્રવાસ હશે.

12 જુલાઈએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્ન પછી 13 જુલાઈએ શુભ આશીર્વાદ સમારોહ અને 14 જુલાઈએ ભવ્ય રિસેપ્શનનો કાર્યક્રમ છે. આ કારણે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે જો PM મોદી લગ્નમાં ન આવી શકે તો બાકીના બે કાર્યક્રમોમાંથી કોઈ એકમાં સામેલ થઈ શકે છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Manav Manglani (@manav.manglani)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં આગામી સાત દિવસ રહેશે વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain: રાજ્યમાં આગામી સાત દિવસ રહેશે વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain: ભારે વરસાદથી રાજ્યના 333 રસ્તાઓ વાહન વ્યવહાર માટે કરાયા બંધ
Gujarat Rain: ભારે વરસાદથી રાજ્યના 333 રસ્તાઓ વાહન વ્યવહાર માટે કરાયા બંધ
Rain News: ભારે વરસાદથી નવસારીના 'હાલ બેહાલ', અનેક લોકો સ્થળાંતર કરવા બન્યા મજબૂર
Rain News: ભારે વરસાદથી નવસારીના 'હાલ બેહાલ', અનેક લોકો સ્થળાંતર કરવા બન્યા મજબૂર
Gujarat Rain:  રાજ્યમાં 47 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઇ એલર્ટ જાહેર, 60 ટકા ભરાયો સરદાર સરોવર ડેમ
Gujarat Rain:  રાજ્યમાં 47 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઇ એલર્ટ જાહેર, 60 ટકા ભરાયો સરદાર સરોવર ડેમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Murder | દ્વારકામાં મુસ્લીમ યુવતી સાથે લગ્ન કરનાર હિન્દુ યુવકની હત્યા, જુઓ અહેવાલNavsari Rescue | વાંસદામાં ધોધ જોવા ગયેલા 1200 પ્રવાસીઓનું રેસ્ક્યૂ | વલસાડમાં 9નું રેસ્ક્યૂShravan Month 2024 | શ્રાવણ મહિનાના પહેલા સોમવારે સોમનાથ મહાદેવના દર્શને ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂરShare Market | શેર બજારમાં સૌથી મોટો કડાકો, રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી સાત દિવસ રહેશે વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain: રાજ્યમાં આગામી સાત દિવસ રહેશે વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain: ભારે વરસાદથી રાજ્યના 333 રસ્તાઓ વાહન વ્યવહાર માટે કરાયા બંધ
Gujarat Rain: ભારે વરસાદથી રાજ્યના 333 રસ્તાઓ વાહન વ્યવહાર માટે કરાયા બંધ
Rain News: ભારે વરસાદથી નવસારીના 'હાલ બેહાલ', અનેક લોકો સ્થળાંતર કરવા બન્યા મજબૂર
Rain News: ભારે વરસાદથી નવસારીના 'હાલ બેહાલ', અનેક લોકો સ્થળાંતર કરવા બન્યા મજબૂર
Gujarat Rain:  રાજ્યમાં 47 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઇ એલર્ટ જાહેર, 60 ટકા ભરાયો સરદાર સરોવર ડેમ
Gujarat Rain:  રાજ્યમાં 47 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઇ એલર્ટ જાહેર, 60 ટકા ભરાયો સરદાર સરોવર ડેમ
Heavy Rain: નવસારીમાં 9 ઇંચ વરસાદથી ધોલ ગામ બેટમાં ફેરવાયું, અંબિકા નદીના પાણી ઘરો-ખેતરોમાં ફરી વળ્યા
Heavy Rain: નવસારીમાં 9 ઇંચ વરસાદથી ધોલ ગામ બેટમાં ફેરવાયું, અંબિકા નદીના પાણી ઘરો-ખેતરોમાં ફરી વળ્યા
Navsari Rain: નવસારીની ત્રણેય નદીઓ કાવેરી, અંબિકા અને પૂર્ણામાં ઘોડાપૂર, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Navsari Rain: નવસારીની ત્રણેય નદીઓ કાવેરી, અંબિકા અને પૂર્ણામાં ઘોડાપૂર, લોકોના જીવ તાળવે ચોંટ્યા
નવસારીમાં વાંસદા પોલીસની સરાહનીય કામગીરી, 1200થી વધુ પ્રવાસીઓનું કર્યુ રેસ્ક્યૂ
નવસારીમાં વાંસદા પોલીસની સરાહનીય કામગીરી, 1200થી વધુ પ્રવાસીઓનું કર્યુ રેસ્ક્યૂ
Monsoon: નવસારીના 3 તાલુકા વરસાદી પાણીમાં ગરકાવ, પુરની સ્થિતિ-લોકો ઘરોમાં પૂરાયા, પાણી ઓસરવાની જોઇ રહ્યાં છે રાહ
Monsoon: નવસારીના 3 તાલુકા વરસાદી પાણીમાં ગરકાવ, પુરની સ્થિતિ-લોકો ઘરોમાં પૂરાયા, પાણી ઓસરવાની જોઇ રહ્યાં છે રાહ
Embed widget