શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ભાજપના કયા દિગ્ગજ નેતાએ મોદીને પત્ર લખી પોતાને પ્રધાનમંડળમાં નહીં લેવા કહ્યું? જાણો વિગત
વિતેલા દિવોસમાં અચાનક અરૂણ જેટલીના સ્વાસ્થ્યને લઈને સોશિયલ મીડિયા પર અહેવાલ વાયરલ થયા હતા.
![ભાજપના કયા દિગ્ગજ નેતાએ મોદીને પત્ર લખી પોતાને પ્રધાનમંડળમાં નહીં લેવા કહ્યું? જાણો વિગત arun jaitley written a letter to the pm narendra modi over minister post ભાજપના કયા દિગ્ગજ નેતાએ મોદીને પત્ર લખી પોતાને પ્રધાનમંડળમાં નહીં લેવા કહ્યું? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/29133939/3-modi.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીએ પ્રધાનમંત્રી મોદીને પત્ર લખીને કહ્યું કે, તેમને બીજા કાર્યકાળમાં મંત્રી ન બનાવવામાં આવે. તેમણે પોતાના પત્રમાં ખરાબ સ્વાસ્થ્યનો ઉલ્લેખ કર્યો છે. અરૂણ જેટલીએ પીએમ મોદીને કહ્યું કે, ‘મારું સ્વાસ્થ્ય છેલ્લા ઘણાં સમયથી ખરાબ ચે અને ડોક્ટરોએ આરામ કરવાની સલાહ આપી છે. હું આ પત્ર વિનંતી કરતાં લખી રહ્યો છું કે, હું મારા સ્વાસ્થ્ય અને મારા માટે સમય ઈચ્છું છું. માટે કોઈપણ પ્રકારની જવાબદારી હાલની અને નવી સરકારમાં નહીં સંભાળી શકું.’
New Delhi: Union Finance Minister Arun Jaitley addressing media after the 22nd meeting of the Goods and Services Tax (GST) Council, in New Delhi on Friday. PTI Photo by Atul Yadav(PTI10_6_2017_000240A)
વિતેલા દિવોસમાં અચાનક અરૂણ જેટલીના સ્વાસ્થ્યને લઈને સોશિયલ મીડિયા પર અહેવાલ વાયરલ થયા હતા. ત્યાર બાદ સરકારે સ્પષ્ટતા કરી હતી કે, ‘મીડિયામાં એક સમયે રહેલ કેન્દ્રીય મંત્રીની સ્વાસ્થ્યની સ્થિતિને લઈને જે અહેવાલ ચાવી રહ્યા છે, તે ખોટા અને આધારવિહોણા છે.’
તેમણે કહ્યું કે, વિતેલા 18 મહિનાથી તબિયત ખરાબ છે. અરૂણ જેટલીએ કહ્યું, ‘આ મારા માટે સન્માનની વાત રહી છે કે હું વિતેલા પાંચ વર્ષતી એ સરકારનો હિસ્સો રહ્યો જેનું નેતૃત્વ તમે (મોદી) કરી રહ્યા હતા. આ પહેલા પણ પાર્ટીએ એનડીએના કાર્યકાળમાં મને અનેક જવાબદારી સોંપી હતી. જ્યારે આપણે સરકારમાં હતા ત્યારે અને જ્યારે વિપક્ષમાં હતા ત્યારે પણ. હું આથી વધારેની માગ ન કરી શકું.’I have today written a letter to the Hon’ble Prime Minister, a copy of which I am releasing: pic.twitter.com/8GyVNDcpU7
— Arun Jaitley (@arunjaitley) May 29, 2019
![ભાજપના કયા દિગ્ગજ નેતાએ મોદીને પત્ર લખી પોતાને પ્રધાનમંડળમાં નહીં લેવા કહ્યું? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/05/29133908/arun-jaitley-600x422.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)