શોધખોળ કરો
આધાર કાર્ડમાં આ ફેરફાર જીવનમાં 1 જ વાર થશે! જો ભૂલ કરી તો પસ્તાવાનો વારો આવશે
નામ, જન્મતારીખ અને લિંગ સુધારવા માટેની મર્યાદા અને સરનામા માટેના નિયમોની સંપૂર્ણ જાણકારી.
Aadhaar card update rules: શું તમે તમારા આધાર કાર્ડમાં સુધારો કરવા જઈ રહ્યા છો? તો થોભો અને UIDAI ના આ કડક નિયમો જાણી લો. આધાર કાર્ડમાં નામ, જન્મતારીખ અને લિંગ જેવી વિગતો બદલવા માટે ચોક્કસ મર્યાદા (Limit) નક્કી કરવામાં આવી છે. અમુક ફેરફારો જીવનમાં માત્ર 1 જ વાર શક્ય છે. જો તમે આ મર્યાદા પૂરી કરી દીધી, તો ભવિષ્યમાં તમારે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
1/7

વર્તમાન સમયમાં બેંક એકાઉન્ટ ખોલાવવાથી લઈને સરકારી યોજનાઓનો લાભ લેવા સુધી, દરેક જગ્યાએ આધાર કાર્ડ એક અનિવાર્ય દસ્તાવેજ બની ગયું છે. ઘણીવાર ઉતાવળમાં કે ટાઈપિંગની ભૂલને કારણે આધાર કાર્ડમાં ખોટી માહિતી છપાઈ જાય છે. UIDAI નાગરિકોને ડેટા અપડેટ કરવાની સુવિધા આપે છે, પરંતુ ઘણા લોકો એ નથી જાણતા કે આ સુવિધા અમર્યાદિત નથી. વારંવાર માહિતી બદલવી તમને ભારે પડી શકે છે, કારણ કે UIDAI એ સુરક્ષાના કારણોસર અપડેટ કરવા માટે ચોક્કસ લિમિટ નક્કી કરી છે.
2/7

સૌ પ્રથમ નામમાં ફેરફારની વાત કરીએ તો, ઘણીવાર સ્પેલિંગ મિસ્ટેકને કારણે અથવા લગ્ન બાદ મહિલાઓને અટક (Surname) બદલવાની જરૂર પડે છે. UIDAI ના નિયમો અનુસાર, કોઈપણ આધાર ધારક પોતાના આખા જીવનકાળ દરમિયાન મહત્તમ 2 વાર જ નામમાં સુધારો કરાવી શકે છે. તેથી, જ્યારે પણ તમે નામમાં ફેરફાર કરાવો, ત્યારે સ્પેલિંગ અને સરનેમ બરાબર છે કે નહીં તેની ખાસ ચકાસણી કરી લેવી જોઈએ.
Published at : 27 Dec 2025 03:48 PM (IST)
આગળ જુઓ
Advertisement




















