શોધખોળ કરો

હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી

Haryana Assembly Election 2024: કોંગ્રેસ નેતા અશોક તંવરે એબીપી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે એક્ઝિટ પોલ આવશે ત્યારે ખબર પડશે કે કોંગ્રેસ પાર્ટી 75થી 90 બેઠકોની વચ્ચે સરકાર આપવાની છે.

Ashok Tanwar News: હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ચાલી રહેલા મતદાન વચ્ચે કોંગ્રેસ નેતા અશોક તંવરે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ ઓછામાં ઓછી 75 બેઠકો જીતશે. હરિયાણામાં વિધાનસભાની 90 બેઠકો છે.

અશોક તંવરે સિરસામાં કહ્યું, "પરિવર્તનનો માહોલ દેખાઈ રહ્યો છે. નિશ્ચિતપણે કોંગ્રેસને મોટી સફળતા મળશે. કોંગ્રેસના નેતૃત્વે દેશને જોડવા અને નફરતને ખતમ કરવાની વાત કહી. ખેડૂત, ગરીબ, મજૂર, કર્મચારી... સમાજમાં જેને પણ જરૂર હતી, કોંગ્રેસ તેની સાથે ઊભી હતી."

ભાજપ પર અશોક તંવરનું નિશાન

પૂર્વ સાંસદ તંવરે કહ્યું, "આ બહુમત તેમની (ભાજપ) વિરુદ્ધ છે, જેમને મેન્ડેટ મળ્યો અને જનતાની ભાવનાઓ પર ખરા ન ઉતર્યા. ઉત્તર ભારતની વાત કરીએ તો યુવાનોમાં ઘણો આક્રોશ છે. ખેડૂત, ગરીબ દલિતમાં પણ આક્રોશ છે. આ આક્રોશ મતદાનમાં દેખાઈ રહ્યો છે."

તેમણે એબીપી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં કહ્યું, "જેટલી પણ ટીમ છે તે બધાનું મૂલ્યાંકન 8 તારીખે ખબર પડશે. આજે સાંજ સુધી તો કોઈ કંઈ પણ બોલી શકે છે, પરંતુ એક્ઝિટ પોલ આવશે ત્યારે ખબર પડશે કે કોંગ્રેસ પાર્ટી 75થી 90 બેઠકોની વચ્ચે સરકાર આપવાની છે."

અશોક તંવરે વિધાનસભા ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે 3 ઓક્ટોબરે ભાજપને મોટો ઝટકો આપ્યો હતો. તેઓ મહેન્દ્રગઢની રેલીમાં ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા.

કોંગ્રેસે આપ્યો એકતાનો સંદેશ

તંવરે આ જ વર્ષે જાન્યુઆરીમાં ભાજપનો દામન પકડ્યો હતો અને લોકસભા ચૂંટણીમાં સિરસાથી મેદાનમાં ઉતર્યા. જોકે તેમને કોંગ્રેસ ઉમેદવાર કુમારી સૈલજાએ હરાવ્યા. અશોક તંવરે ઓક્ટોબર 2019માં ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાથી નારાજગી બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. આ પછી તેઓ તૃણમૂલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં થોડા થોડા દિવસ રહ્યા. હવે તેમણે ઘર વાપસી કરી છે.

અશોક તંવર મોટા દલિત નેતા માનવામાં આવે છે. કોંગ્રેસમાં જોડાયા બાદ તેઓ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને દીપેન્દ્ર સિંહ હુડ્ડા સાથે મુલાકાત કરી ચૂક્યા છે. આ મુલાકાતથી કોંગ્રેસ એકતાનો સંદેશ આપવા માંગે છે.

નોંધનીય છે કે, હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024ની તમામ 90 બેઠકો પર આજે એટલે કે શનિવારે મતદાન થઈ રહ્યું છે. એક તરફ ભાજપ હેટ્રિક ફટકારવાનો પ્રયાસ કરી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ તેના પુનરાગમનની રાહ જોઈ રહી છે. આજે મતદાન દરમિયાન પણ નેતાઓ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર ચાલુ છે.

આ પણ વાંચોઃ

મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
Embed widget