શોધખોળ કરો

Ayodhya : 'મંદિર વહીં બનાયેંગે પર તારીખ નહીં બતાંયેગે' કહેનારાઓને એકનાથ શિંદેએ ઝીંક્યો તમાચો

Ram Mandir Ayodhya: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ આજે રવિવારે અયોધ્યા પહોંચ્યા હતા.

Ram Mandir Ayodhya: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ આજે રવિવારે અયોધ્યા પહોંચ્યા હતા. આ દરમિયાન સીએમ શિંદેએ કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં રામ મંદિરના નિર્માણ પર શંકા કરનારાઓને ઘર ભેગા કરી દેવામાં આવ્યા છે. રામ મંદિરનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ સંભાળ્યા બાદ સીએમ એકનાથ શિંદે પહેલીવાર અયોધ્યા પહોંચ્યા છે. તેમણે કહ્યું હતું કે, મને ખુશી છે કે, શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેનું અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય રામ મંદિર બનાવવાનું સ્વપ્ન હવે સાકાર થઈ રહ્યું છે.

મંદિર ત્યાં જ બનશે પણ...

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાને કોઈનું નામ લીધા વિના કહ્યું હતું કે, દરેક વ્યક્તિ વિચારતો હતો કે રામ મંદિર કેવી રીતે બનશે? પહેલા કેટલાક લોકો કહેતા હતા કે, મંદિર વહીં બનાયેંગે પર તારીખ નહીં બતાયેંગે. પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌકોઈને ખોટા પાડ્યા  અને રામ મંદિરનું નિર્માણ શરૂ થઈ ગયું છે.

મોદીએ તારીખ પણ આપી દીધી

તેમણે કહ્યું હતું કે, મંદિર પણ બની રહ્યું છે અને મોદીએ તારીખ પણ જણાવી દીધી છે. એટલું જ નહીં જે લોકો પૂછતા હતા તેમને ઘરનો રસ્તો પણ બતાવી દીધો છે. હું તમારા બધાનો આભાર માનીશ કે, રામ મંદિરનું સપનું સાકાર થયું છે. તમારી નજર સામે જ તે પૂર્ણ થતું જણાય છે. આ માટે હું વડાપ્રધાન મોદી અને આ રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો આભાર માનું છું.

અયોધ્યા જતા પહેલા શિંદેએ લખનૌમાં પત્રકારોને કહ્યું હતું કે, હું ભગવાન રામના દર્શન કરવા અયોધ્યા જઈ રહ્યો છું. અમને ભગવાન રામના આશીર્વાદ છે, તેથી ધનુષ અને તીર (શિવસેનાનું ચૂંટણી પ્રતીક) અમારી સાથે છે.

અયોધ્યાની યાત્રા આનંદદાયક

મુખ્યમંત્રી શિંદેએ લખનૌમાં કહ્યું હતું કે, આ પ્રવાસ ખૂબ જ આનંદદાયક છે, પરંતુ કેટલાક લોકો એવા છે જેમને હિંદુત્વથી એલર્જી હતી, તે હજુ પણ થઈ રહ્યું છે. આઝાદી પછી પણ ઘણા લોકો જાણીજોઈને હિંદુત્વનું અપમાન કરી રહ્યા હતા. ઘણા લોકોને લાગે છે કે, જો હિન્દુત્વ ઘરે ઘરે પહોંચી જશે તો તેમની રાજકીય જ દુકાન બંધ થઈ જશે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વખાણ કરતા તેમણે કહ્યું હતું કે, ગુંડાઓ બુલડોઝર બાબાથી ડરે છે. યુપીમાં વિકાસ થઈ રહ્યો છે. પહેલાના ઉત્તર પ્રદેશ અને આજના યુપીમાં ઘણો તફાવત છે. શિંદેએ વધુમાં કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં રહેનારા ઉત્તર ભારતીયો મહારાષ્ટ્રીયન છે અને શિવસેના અને ભાજપની વિચારધારા એક જ છે. 2024માં મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપને બહુમતી મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષના મેસેજથી સાવધાન!
Hun To Bolish : હું તો બોલીશ : ફરજી IPSની ફાંકા ફોજદારી
Hun To Bolish : હું તો બોલીશ : લગ્નસંસ્કાર પર સવાલ કેમ?
Ambalal Patel Rain Prediction : ગુજરાતમાં ક્યાં પડશે માવઠું? અંબાલાલની ચોકાંવનારી આગાહી
Marriage Registration Rule Change : ભાગેડુ લગ્નને લઈ સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
‘મારી પાછળ તો ઘણાં ક્રિકેટર..., સૂર્યકુમાર યાદવ તો મને...’ - બોલિવૂડ એક્ટ્રેસના દાવાથી ખળભળાટ
‘મારી પાછળ તો ઘણાં ક્રિકેટર..., સૂર્યકુમાર યાદવ તો મને...’ - બોલિવૂડ એક્ટ્રેસના દાવાથી ખળભળાટ
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
હાર્ટ એટેક અને સ્ટ્રોકથી બચવું છે ? ધમનીઓ સાફ રાખવા અપનાવો આ 3 રીત, ડોક્ટરની સલાહ
હાર્ટ એટેક અને સ્ટ્રોકથી બચવું છે ? ધમનીઓ સાફ રાખવા અપનાવો આ 3 રીત, ડોક્ટરની સલાહ
CBSE Board Exam 2026: ધોરણ 10 અને 12 ની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર, 3 March નું પેપર હવે આ નવી તારીખે લેવાશે
CBSE Board Exam 2026: ધોરણ 10 અને 12 ની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર, 3 March નું પેપર હવે આ નવી તારીખે લેવાશે
Embed widget