શોધખોળ કરો

Ayodhya : 'મંદિર વહીં બનાયેંગે પર તારીખ નહીં બતાંયેગે' કહેનારાઓને એકનાથ શિંદેએ ઝીંક્યો તમાચો

Ram Mandir Ayodhya: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ આજે રવિવારે અયોધ્યા પહોંચ્યા હતા.

Ram Mandir Ayodhya: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ આજે રવિવારે અયોધ્યા પહોંચ્યા હતા. આ દરમિયાન સીએમ શિંદેએ કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં રામ મંદિરના નિર્માણ પર શંકા કરનારાઓને ઘર ભેગા કરી દેવામાં આવ્યા છે. રામ મંદિરનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ સંભાળ્યા બાદ સીએમ એકનાથ શિંદે પહેલીવાર અયોધ્યા પહોંચ્યા છે. તેમણે કહ્યું હતું કે, મને ખુશી છે કે, શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેનું અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય રામ મંદિર બનાવવાનું સ્વપ્ન હવે સાકાર થઈ રહ્યું છે.

મંદિર ત્યાં જ બનશે પણ...

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાને કોઈનું નામ લીધા વિના કહ્યું હતું કે, દરેક વ્યક્તિ વિચારતો હતો કે રામ મંદિર કેવી રીતે બનશે? પહેલા કેટલાક લોકો કહેતા હતા કે, મંદિર વહીં બનાયેંગે પર તારીખ નહીં બતાયેંગે. પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌકોઈને ખોટા પાડ્યા  અને રામ મંદિરનું નિર્માણ શરૂ થઈ ગયું છે.

મોદીએ તારીખ પણ આપી દીધી

તેમણે કહ્યું હતું કે, મંદિર પણ બની રહ્યું છે અને મોદીએ તારીખ પણ જણાવી દીધી છે. એટલું જ નહીં જે લોકો પૂછતા હતા તેમને ઘરનો રસ્તો પણ બતાવી દીધો છે. હું તમારા બધાનો આભાર માનીશ કે, રામ મંદિરનું સપનું સાકાર થયું છે. તમારી નજર સામે જ તે પૂર્ણ થતું જણાય છે. આ માટે હું વડાપ્રધાન મોદી અને આ રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો આભાર માનું છું.

અયોધ્યા જતા પહેલા શિંદેએ લખનૌમાં પત્રકારોને કહ્યું હતું કે, હું ભગવાન રામના દર્શન કરવા અયોધ્યા જઈ રહ્યો છું. અમને ભગવાન રામના આશીર્વાદ છે, તેથી ધનુષ અને તીર (શિવસેનાનું ચૂંટણી પ્રતીક) અમારી સાથે છે.

અયોધ્યાની યાત્રા આનંદદાયક

મુખ્યમંત્રી શિંદેએ લખનૌમાં કહ્યું હતું કે, આ પ્રવાસ ખૂબ જ આનંદદાયક છે, પરંતુ કેટલાક લોકો એવા છે જેમને હિંદુત્વથી એલર્જી હતી, તે હજુ પણ થઈ રહ્યું છે. આઝાદી પછી પણ ઘણા લોકો જાણીજોઈને હિંદુત્વનું અપમાન કરી રહ્યા હતા. ઘણા લોકોને લાગે છે કે, જો હિન્દુત્વ ઘરે ઘરે પહોંચી જશે તો તેમની રાજકીય જ દુકાન બંધ થઈ જશે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વખાણ કરતા તેમણે કહ્યું હતું કે, ગુંડાઓ બુલડોઝર બાબાથી ડરે છે. યુપીમાં વિકાસ થઈ રહ્યો છે. પહેલાના ઉત્તર પ્રદેશ અને આજના યુપીમાં ઘણો તફાવત છે. શિંદેએ વધુમાં કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં રહેનારા ઉત્તર ભારતીયો મહારાષ્ટ્રીયન છે અને શિવસેના અને ભાજપની વિચારધારા એક જ છે. 2024માં મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપને બહુમતી મળશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Manek Chowk Closed: ખાણી-પીણીના શોખીન અમદાવાદીઓ માટે મોટા સમાચારHun To Bolish:  હું તો બોલીશ : પહેલા બકવાસ, પછી માફીHun To Bolish : હું તો બોલીશ : બુટલેગરની સાથે કોણ સામે કોણ?BJP Parliamentary Board Meeting: કાલે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક, આ મુદ્દે થશે મંથન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત
ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત
Petrol Price Cut: આ રાજ્યમાં સસ્તું થઈ ગયું પેટ્રોલ, બજેટમાં થઈ મોટી જાહેરાત
Petrol Price Cut: આ રાજ્યમાં સસ્તું થઈ ગયું પેટ્રોલ, બજેટમાં થઈ મોટી જાહેરાત
સ્વામીનારાયણ સાધુ જ્ઞાનપ્રકાશે જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
સ્વામીનારાયણ સાધુ જ્ઞાનપ્રકાશે જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
Embed widget