શોધખોળ કરો

Ayodhyaમાં બની રહેલ રામ મંદિર ક્યાં સુધીમાં થઇ જશે તૈયાર? કેટલો થશે ખર્ચ? ટ્રસ્ટે આપી જાણકારી

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણમાં 1800 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. મંદિરના નિર્માણ માટે રચાયેલી સંસ્થા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રવિવારે આ માહિતી આપી હતી

Ayodhya Ram Mandir: અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણમાં 1800 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. મંદિરના નિર્માણ માટે રચાયેલી સંસ્થા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રવિવારે આ માહિતી આપી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ પર રામ મંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટે અહીં લાંબી બેઠક બાદ ટ્રસ્ટના નિયમોને પણ મંજૂરી આપી દીધી છે. ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે ફૈઝાબાદ સર્કિટ હાઉસમાં યોજાયેલી આ બેઠકમાં ટ્રસ્ટના સભ્યોએ સર્વસંમતિથી નિર્ણય લીધો હતો કે હિન્દુ ધર્મ સાથે સંકળાયેલી મહાન હસ્તીઓ અને સંતોની પ્રતિમાઓને પણ રામ જન્મભૂમિ સંકુલમાં સ્થાન આપવામાં આવશે.

તેમણે કહ્યું કે નિષ્ણાતો દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટના આધારે લગાવવામાં આવેલા ટ્રસ્ટના અંદાજ મુજબ રામ મંદિરના નિર્માણ પર 1800 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. બાંધકામ ખર્ચ અંગે રાયે જણાવ્યું હતું કે, “કેટલાક સુધારા પછી અમે આ અંદાજ પર પહોંચ્યા છીએ. તે વધી પણ શકે છે."

બેઠકમાં નિયમો અને કાયદાઓ અને પેટા કાયદાઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો

રાયે એમ પણ જણાવ્યું હતું કે લાંબા ગાળાની વિચારણા અને રામ મંદિરના નિર્માણ સાથે જોડાયેલા તમામ લોકોના તમામ સૂચનો બાદ બેઠકમાં ટ્રસ્ટ સંબંધિત નિયમો અને કાયદાઓ અને પેટા-કાયદોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે આ બેઠકમાં ટ્રસ્ટના 15માંથી 14 સભ્યોએ ભાગ લીધો હતો, જેમાં બાંધકામ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા, ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસ, ગોવિંદ દેવ ગિરી, ખજાનચી ગોવિંદ દેવ ગિરી, ઉડુપી પીઠાધીશ્વર વિશ્વ તીર્થ પ્રસન્નાચાર્યનો સમાવેશ થાય છે.

તેમણે કહ્યું હતું કે ટ્રસ્ટે ભગવાન રામની મૂર્તિના નિર્માણમાં સફેદ આરસપહાણનો ઉપયોગ કરવાનો પણ નિર્ણય લીધો છે. રામ મંદિરમાં રામાયણ કાળના અન્ય ઘણા દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવશે.

ભવ્ય રામ મંદિરનું નિર્માણ 2023 સુધીમાં થવાનો અંદાજ છે

નોંધનીય છે કે રામ જન્મભૂમિ સંકુલમાં ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય ઝડપથી થઈ રહ્યું છે અને તે ડિસેમ્બર 2023 સુધીમાં તૈયાર થઈ જવાનો અંદાજ છે અને જાન્યુઆરી 2024 (મકરસંક્રાંતિ) સુધીમાં મંદિરમાં ભગવાન રામની પ્રતિમા સ્થાપિત થવાની શક્યતા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Update: આજે રાજ્યમાં 159 તાલુકામાં થઈ મેઘમહેર, નવસારી તાલુકામાં સૌથી વધુ સવા ચાર ઇંચ ખાબક્યો
Rain Update: આજે રાજ્યમાં 159 તાલુકામાં થઈ મેઘમહેર, નવસારી તાલુકામાં સૌથી વધુ સવા ચાર ઇંચ ખાબક્યો
પાર્ટ ટાઈમ કર્મચારી સરકારના સમાન કામ, સમાન વેતનની માંગ કરી શકે નહીઃ ગુજરાત હાઈકોર્ટ
પાર્ટ ટાઈમ કર્મચારી સરકારના સમાન કામ, સમાન વેતનની માંગ કરી શકે નહીઃ ગુજરાત હાઈકોર્ટ
આજનું હવામાનઃ આજે 17 રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, દિલ્હીમાં વરસાદે 88 વર્ષનો રેકોર્ડ તોડ્યો
આજનું હવામાનઃ આજે 17 રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, દિલ્હીમાં વરસાદે 88 વર્ષનો રેકોર્ડ તોડ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Monsoon Updates| આ રોડ પરથી નીકળતા પહેલા ચેતી જજો નહિંતર ધડામ કરી પડશો ખાડામાંGujarat Rain Forecast | સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીBJP Updates | પૂર્ણેશ મોદીને મળી શકે છે મોટી જવાબદારી, જાણો નડ્ડા અને અમિત શાહની મીટિંગમાં શું થયું?Gujarat Rain Updates | છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ? Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Update: આજે રાજ્યમાં 159 તાલુકામાં થઈ મેઘમહેર, નવસારી તાલુકામાં સૌથી વધુ સવા ચાર ઇંચ ખાબક્યો
Rain Update: આજે રાજ્યમાં 159 તાલુકામાં થઈ મેઘમહેર, નવસારી તાલુકામાં સૌથી વધુ સવા ચાર ઇંચ ખાબક્યો
પાર્ટ ટાઈમ કર્મચારી સરકારના સમાન કામ, સમાન વેતનની માંગ કરી શકે નહીઃ ગુજરાત હાઈકોર્ટ
પાર્ટ ટાઈમ કર્મચારી સરકારના સમાન કામ, સમાન વેતનની માંગ કરી શકે નહીઃ ગુજરાત હાઈકોર્ટ
આજનું હવામાનઃ આજે 17 રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, દિલ્હીમાં વરસાદે 88 વર્ષનો રેકોર્ડ તોડ્યો
આજનું હવામાનઃ આજે 17 રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, દિલ્હીમાં વરસાદે 88 વર્ષનો રેકોર્ડ તોડ્યો
ITR Filing 2024: યોગ્ય ફોર્મ પસંદ ન કરવાથી ITR રિજેક્ટ થઈ શકે છે, જાણો કેવી રીતે પસંદ કરવું?
ITR Filing 2024: યોગ્ય ફોર્મ પસંદ ન કરવાથી ITR રિજેક્ટ થઈ શકે છે, જાણો કેવી રીતે પસંદ કરવું?
ITRથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી, આગામી એક મહિનામાં ઘણી ડેડલાઈન પૂરી થઈ જશે
ITRથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી, આગામી એક મહિનામાં ઘણી ડેડલાઈન પૂરી થઈ જશે
Greater Noida News: દિલ્લીમાં દુર્ઘટના, મકાન ધરાશાયી થતાં 6 બાળકો દબાયા, ત્રણના કરૂણ મોત
Greater Noida News: દિલ્લીમાં દુર્ઘટના, મકાન ધરાશાયી થતાં 6 બાળકો દબાયા, ત્રણના કરૂણ મોત
જો વરસાદથી ભારત સાઉથ આફ્રિકા ફાઇનલ ધોવાઈ જાય તો કઈ ટીમ ચેમ્પિયન બનશે? જાણો સમીકરણ
જો વરસાદથી ભારત સાઉથ આફ્રિકા ફાઇનલ ધોવાઈ જાય તો કઈ ટીમ ચેમ્પિયન બનશે? જાણો સમીકરણ
Embed widget