શોધખોળ કરો

બાબા સિદ્દીકીની મુંબઈમાં ગોળી મારી હત્યા, NCP અજીત જૂથના નેતા હતા

Firing on Baba Siddique: બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાન સિદ્દીકીની ઓફિસ બાંદ્રા ખેરવાડી સિગ્નલ પાસે આ ગોળીબાર થયો. ગોળી વાગ્યા પછી અત્યંત ગંભીર હાલતમાં તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Baba Siddique News: એનસીપી અજિત પવાર જૂથના વરિષ્ઠ નેતા બાબા સિદ્દીકી પર ફાયરિંગ કરવામાં આવ્યું. પ્રાથમિક માહિતી અનુસાર બાબા સિદ્દીકીને ત્રણ ગોળી વાગી, જેના પછી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. જ્યાં તેમનું મૃત્યું થયું છે. સિદ્દીકીના પુત્ર ઝીશાન સિદ્દીકીની ઓફિસ બાંદ્રા ખેરવાડી સિગ્નલ પાસે તેમના પર ગોળીબાર થયો.

બાબા સિદ્દિકી રાજ્યના ભૂતપૂર્વ મંત્રી અને અજિત પવાર જૂથના નેતા છે. લોકસભાની ચૂંટણી પહેલાં તેમણે કોંગ્રેસને અલવિદા કહીને અજિત પવારની રાષ્ટ્રવાદીમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે તેમના પુત્ર ઝીશાન સિદ્દિકી વાંદ્રે પૂર્વ મતવિસ્તારના ધારાસભ્ય છે.

ઝીશાન સિદ્દિકીના કાર્યાલય સામે આ ઘટના બની હોવાની માહિતી છે. ત્રણ અજાણ્યા વ્યક્તિઓએ તેમના પર ગોળીબાર કર્યો છે. બાબા સિદ્દિકી પર ત્રણ ગોળીઓ છોડવામાં આવી છે અને તેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

બાબા સિદ્દિકી પર કોણે ગોળીબાર કર્યો તેની તપાસ મુંબઈ પોલીસ કરી રહી છે. ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય માહિતીના આધારે પોલીસ તપાસ કરી રહી છે.

બાબા સિદ્દીકી બાંદ્રા પશ્ચિમથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. અગાઉ સિદ્દીકી કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા અને ગયા ફેબ્રુઆરીમાં પાર્ટી છોડીને અજિત પવારની એનસીપીમાં જોડાયા હતા. તે જ સમયે તેમના પુત્ર જીશાન સિદ્દીકીને ઓગસ્ટમાં કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

આ ગોળીબાર આ વર્ષના અંતમાં યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના થોડા મહિના પહેલા થયો હતો. સિદ્દીકી 1999, 2004 અને 2009માં બાંદ્રા પશ્ચિમ મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને 2004 અને 2008 વચ્ચે ખાદ્ય અને નાગરિક પુરવઠા, શ્રમ અને એફડીએના રાજ્ય મંત્રી તરીકે પણ સેવા આપી હતી.

ભૂતપૂર્વ ધારાસભ્ય તેમની રાજકીય કુશળતા માટે જ નહીં પરંતુ ભવ્ય પાર્ટીઓનું આયોજન કરવા માટે પણ જાણીતા છે. સિદ્દીકી દ્વારા આયોજિત ઇફ્તાર પાર્ટીમાં સુપરસ્ટાર શાહરૂખ ખાન અને સલમાન ખાન વચ્ચેનો વિવાદ ઉકેલાયો હતો.

બાબા સિદ્દીકી પર હુમલાની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ હાલમાં નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજને સ્કેન કરી રહી છે. પોલીસે શંકાના આધારે કેટલાક લોકોની અટકાયત પણ કરી છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. જો કે બાબા સિદ્દીકીને ક્યાં ગોળી વાગી હતી તે અંગે પોલીસે માહિતી આપી નથી. 

આ પણ વાંચોઃ

કોંગ્રેસે ચાલી એવી ચાલ, 20 બેઠકો પર ફરીથી થશે ચૂંટણી! શું હવે CM તરીકે શપથ નહીં લઈ શકે નાયબ સિંહ સૈની?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાબા સિદ્દીકીની મુંબઈમાં ગોળી મારી હત્યા, NCP અજીત જૂથના નેતા હતા
બાબા સિદ્દીકીની મુંબઈમાં ગોળી મારી હત્યા, NCP અજીત જૂથના નેતા હતા
IND vs BAN: ભારતે બાંગ્લાદેશને 133 રનથી હરાવ્યું, સૈમસનની શાનદાર સદીથી સિરીઝ પર 3-0થી કબ્જો કર્યો
IND vs BAN: ભારતે બાંગ્લાદેશને 133 રનથી હરાવ્યું, સૈમસનની શાનદાર સદીથી સિરીઝ પર 3-0થી કબ્જો કર્યો
Mehsana News: મહેસાણામાં માટી ધસી પડવાથી 9 મજૂરોના મોત, કેન્દ્ર સરકારે સહાયની કરી જાહેરાત
Mehsana News: મહેસાણામાં માટી ધસી પડવાથી 9 મજૂરોના મોત, કેન્દ્ર સરકારે સહાયની કરી જાહેરાત
કોંગ્રેસે ચાલી એવી ચાલ, 20 બેઠકો પર ફરીથી થશે ચૂંટણી! શું હવે CM તરીકે શપથ નહીં લઈ શકે નાયબ સિંહ સૈની?
કોંગ્રેસે ચાલી એવી ચાલ, 20 બેઠકો પર ફરીથી થશે ચૂંટણી! શું હવે CM તરીકે શપથ નહીં લઈ શકે નાયબ સિંહ સૈની?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આ મોત માટે જવાબદાર કોણ?Hun To Bolish | હું તો બોલીશ | ભ્રષ્ટ અધિકારીઓ થશે ઘરભેગા?Kadi Landslide : કડીમાં ભેખડ ધસી પડતા 9 લોકોના મોત, પરિવારનો આંક્રદ સાંભળી ધ્રુજી જશોJunagadh Farmer | જૂનાગઢ જિલ્લામાં સોયાબીનનું વાવેતર કરનારા ખેડૂતો ચિંતામાં મુકાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાબા સિદ્દીકીની મુંબઈમાં ગોળી મારી હત્યા, NCP અજીત જૂથના નેતા હતા
બાબા સિદ્દીકીની મુંબઈમાં ગોળી મારી હત્યા, NCP અજીત જૂથના નેતા હતા
IND vs BAN: ભારતે બાંગ્લાદેશને 133 રનથી હરાવ્યું, સૈમસનની શાનદાર સદીથી સિરીઝ પર 3-0થી કબ્જો કર્યો
IND vs BAN: ભારતે બાંગ્લાદેશને 133 રનથી હરાવ્યું, સૈમસનની શાનદાર સદીથી સિરીઝ પર 3-0થી કબ્જો કર્યો
Mehsana News: મહેસાણામાં માટી ધસી પડવાથી 9 મજૂરોના મોત, કેન્દ્ર સરકારે સહાયની કરી જાહેરાત
Mehsana News: મહેસાણામાં માટી ધસી પડવાથી 9 મજૂરોના મોત, કેન્દ્ર સરકારે સહાયની કરી જાહેરાત
કોંગ્રેસે ચાલી એવી ચાલ, 20 બેઠકો પર ફરીથી થશે ચૂંટણી! શું હવે CM તરીકે શપથ નહીં લઈ શકે નાયબ સિંહ સૈની?
કોંગ્રેસે ચાલી એવી ચાલ, 20 બેઠકો પર ફરીથી થશે ચૂંટણી! શું હવે CM તરીકે શપથ નહીં લઈ શકે નાયબ સિંહ સૈની?
IND vs BAN: 6,6,6,6,6..., સંજુ સેમસનનો તરખાટ; બાંગ્લાદેશના બોલરોને ધોઈ નાંખ્યા
IND vs BAN: 6,6,6,6,6..., સંજુ સેમસનનો તરખાટ; બાંગ્લાદેશના બોલરોને ધોઈ નાંખ્યા
સૂર્યકુમારે રોહિતનો મોટો રેકોર્ડ તોડ્યો, પરંતુ વિરાટ અને બાબરથી પાછળ રહી ગયો
સૂર્યકુમારે રોહિતનો મોટો રેકોર્ડ તોડ્યો, પરંતુ વિરાટ અને બાબરથી પાછળ રહી ગયો
કોઈ ક્રિકેટર કેવી રીતે પોલીસ અધિકારી બને છે, શું ધરપકડ કરવાની પણ સત્તા મળે છે?
કોઈ ક્રિકેટર કેવી રીતે પોલીસ અધિકારી બને છે, શું ધરપકડ કરવાની પણ સત્તા મળે છે?
સરઘસ પર પથ્થરમારો થાય તો શું કરવું? મોહન ભાગવતે ચેતવણી આપતા કહ્યું - હું આ ડરાવવા માટે નથી કહી રહ્યો
સરઘસ પર પથ્થરમારો થાય તો શું કરવું? મોહન ભાગવતે ચેતવણી આપતા કહ્યું - હું આ ડરાવવા માટે નથી કહી રહ્યો
Embed widget