શોધખોળ કરો

'જો બાંગ્લાદેશ જેવી સ્થિતિ ભારતમાં થાય તો...', બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન

Pandit Dhirendra Shastri: પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે અમે કોઈ ધર્મની વિરુદ્ધ નથી પરંતુ બાંગ્લાદેશમાં નિર્માણ થયેલી પરિસ્થિતિ ઘણા પ્રશ્નો ઉભા કરી રહી છે.

Bangladesh Crisis: દેશમાં વારંવાર હિંદુ રાષ્ટ્રની માંગ ઉઠાવનારા બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ બાંગ્લાદેશમાં બનેલી પરિસ્થિતિ પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો બાંગ્લાદેશ જેવી સ્થિતિ ભારતમાં થાય તો હિંદુઓ ક્યાં જશે. તેમના નિવેદન બાદ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે.

જણાવી દઈએ કે તાજેતરમાં વિદેશ યાત્રાથી પરત ફરેલા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે સરકાર પાસે મદદની અપીલ પણ કરી હતી. આ સાથે તેમણે બાંગ્લાદેશી હિંદુઓને ભારતમાં આશ્રય આપવા બદલ સરકારનો આભાર પણ માન્યો હતો. તેમણે કહ્યું, "બાંગ્લાદેશના હિંદુઓની વ્યવસ્થા થઈ જશે, તેમને ભારતમાં આશ્રય મળી જશે. પરંતુ જો આવી જ સ્થિતિ ભારતમાં ઉત્પન્ન થઈ ગઈ તો ભારતનો હિંદુ ક્યાં જશે." તેમણે કહ્યું કે શું ભારતનો હિંદુ હિંદ મહાસાગર, એટલાન્ટિક કે હિમાલય પર આશ્રય લેશે.

ભારતનો હિંદુ ક્યાં જશે?

બાગેશ્વર ધામના પીઠાધીશ્વરે આગળ કહ્યું, "અમે કોઈ ધર્મની વિરુદ્ધ નથી પરંતુ બાંગ્લાદેશમાં નિર્માણ થયેલી પરિસ્થિતિ ઘણા પ્રશ્નો ઉભા કરી રહી છે. ભારતમાં બધાને રહેવાનો અધિકાર છે, બંધારણમાં બધાને અધિકાર આપવામાં આવ્યો છે પરંતુ હિંદુઓને સવાલ છે કે જો આવી સ્થિતિ ભારતમાં નિર્માણ થઈ તો તમે ક્યાં જશો?"

'હિંદુને જાગૃત કરવાની જરૂર છે, ભાગવાની નહીં'

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે આવી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને તેઓ હિંદુ રાષ્ટ્રની માંગ ઉઠાવી રહ્યા છે. તેમણે કહ્યું કે હિંદુને જાગૃત કરવાની જરૂર છે, ભાગવાની નહીં, નહીંતર બાંગ્લાદેશીઓની જેમ હિંદુઓને ભારત પણ છોડવું પડશે. તેમણે કહ્યું કે તેઓ બાંગ્લાદેશના હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે બાલાજી સરકારને અરજી કરશે અને પ્રાર્થના કરશે કે બાંગ્લાદેશમાં ફરી સુખ શાંતિ સ્થપાય. જણાવી દઈએ કે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અવારનવાર પોતાના નિવેદનોથી ચર્ચાઓમાં રહે છે. આ પહેલા પણ તેઓ હિંદુ રાષ્ટ્ર બનાવવાની માંગ અંગે ઘણી વાર નિવેદન આપી ચૂક્યા છે.

બાગેશ્વર સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીએ બાંગ્લાદેશમાં સંકટનો સામનો કરી રહેલા હિન્દુઓને સંદેશ આપ્યો કે તમે લોકો ધીરજ રાખો અને એકતા જાળવી રાખો. કોઈનો વિરોધ ન કરો, નમ્ર રહો જેથી શાંતિ જળવાઈ રહે. હનુમાનજી તમારી રક્ષા કરશે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ હિંદુઓને સંદેશ આપ્યો કે લોકોએ હનુમાન ચાલીસાની ચોપાઈ “સબ સુખ લહાઈ તુમ્હારી સરના – તુમ રક્ષક કહુ કો ડરના” નો પાઠ કરવો જોઈએ. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે ભારત સરકારને અપીલ છે કે તે તેના દરવાજા ખોલે અને બાંગ્લાદેશી હિન્દુઓને આશ્રય આપે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
Embed widget