શોધખોળ કરો

'જો બાંગ્લાદેશ જેવી સ્થિતિ ભારતમાં થાય તો...', બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન

Pandit Dhirendra Shastri: પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે અમે કોઈ ધર્મની વિરુદ્ધ નથી પરંતુ બાંગ્લાદેશમાં નિર્માણ થયેલી પરિસ્થિતિ ઘણા પ્રશ્નો ઉભા કરી રહી છે.

Bangladesh Crisis: દેશમાં વારંવાર હિંદુ રાષ્ટ્રની માંગ ઉઠાવનારા બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ બાંગ્લાદેશમાં બનેલી પરિસ્થિતિ પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો બાંગ્લાદેશ જેવી સ્થિતિ ભારતમાં થાય તો હિંદુઓ ક્યાં જશે. તેમના નિવેદન બાદ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે.

જણાવી દઈએ કે તાજેતરમાં વિદેશ યાત્રાથી પરત ફરેલા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે સરકાર પાસે મદદની અપીલ પણ કરી હતી. આ સાથે તેમણે બાંગ્લાદેશી હિંદુઓને ભારતમાં આશ્રય આપવા બદલ સરકારનો આભાર પણ માન્યો હતો. તેમણે કહ્યું, "બાંગ્લાદેશના હિંદુઓની વ્યવસ્થા થઈ જશે, તેમને ભારતમાં આશ્રય મળી જશે. પરંતુ જો આવી જ સ્થિતિ ભારતમાં ઉત્પન્ન થઈ ગઈ તો ભારતનો હિંદુ ક્યાં જશે." તેમણે કહ્યું કે શું ભારતનો હિંદુ હિંદ મહાસાગર, એટલાન્ટિક કે હિમાલય પર આશ્રય લેશે.

ભારતનો હિંદુ ક્યાં જશે?

બાગેશ્વર ધામના પીઠાધીશ્વરે આગળ કહ્યું, "અમે કોઈ ધર્મની વિરુદ્ધ નથી પરંતુ બાંગ્લાદેશમાં નિર્માણ થયેલી પરિસ્થિતિ ઘણા પ્રશ્નો ઉભા કરી રહી છે. ભારતમાં બધાને રહેવાનો અધિકાર છે, બંધારણમાં બધાને અધિકાર આપવામાં આવ્યો છે પરંતુ હિંદુઓને સવાલ છે કે જો આવી સ્થિતિ ભારતમાં નિર્માણ થઈ તો તમે ક્યાં જશો?"

'હિંદુને જાગૃત કરવાની જરૂર છે, ભાગવાની નહીં'

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે આવી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને તેઓ હિંદુ રાષ્ટ્રની માંગ ઉઠાવી રહ્યા છે. તેમણે કહ્યું કે હિંદુને જાગૃત કરવાની જરૂર છે, ભાગવાની નહીં, નહીંતર બાંગ્લાદેશીઓની જેમ હિંદુઓને ભારત પણ છોડવું પડશે. તેમણે કહ્યું કે તેઓ બાંગ્લાદેશના હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે બાલાજી સરકારને અરજી કરશે અને પ્રાર્થના કરશે કે બાંગ્લાદેશમાં ફરી સુખ શાંતિ સ્થપાય. જણાવી દઈએ કે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અવારનવાર પોતાના નિવેદનોથી ચર્ચાઓમાં રહે છે. આ પહેલા પણ તેઓ હિંદુ રાષ્ટ્ર બનાવવાની માંગ અંગે ઘણી વાર નિવેદન આપી ચૂક્યા છે.

બાગેશ્વર સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીએ બાંગ્લાદેશમાં સંકટનો સામનો કરી રહેલા હિન્દુઓને સંદેશ આપ્યો કે તમે લોકો ધીરજ રાખો અને એકતા જાળવી રાખો. કોઈનો વિરોધ ન કરો, નમ્ર રહો જેથી શાંતિ જળવાઈ રહે. હનુમાનજી તમારી રક્ષા કરશે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ હિંદુઓને સંદેશ આપ્યો કે લોકોએ હનુમાન ચાલીસાની ચોપાઈ “સબ સુખ લહાઈ તુમ્હારી સરના – તુમ રક્ષક કહુ કો ડરના” નો પાઠ કરવો જોઈએ. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે ભારત સરકારને અપીલ છે કે તે તેના દરવાજા ખોલે અને બાંગ્લાદેશી હિન્દુઓને આશ્રય આપે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ ફટાકડા બ્લાસ્ટ CCTVમાં કેદ, પ્રચંડ બ્લાસ્ટથી 300 મીટર દૂર મકાનમાં પડી તિરાડો, 5 કિમી સુધી સંભળાયો અવાજ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટ CCTVમાં કેદ, પ્રચંડ બ્લાસ્ટથી 300 મીટર દૂર મકાનમાં પડી તિરાડો, 5 કિમી સુધી સંભળાયો અવાજ
Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન
Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન
આજનું હવામાન 19 જુલાઈ: આજે 15 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 70 ની સ્પીડે ફૂંકાશે પવન
આજનું હવામાન 19 જુલાઈ: આજે 15 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 70 ની સ્પીડે ફૂંકાશે પવન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
Embed widget