શોધખોળ કરો

Bathinda Military Station: ભઠિંડા મિલિટ્રી સ્ટેશન ગોળીબારમાં થયો સનસની ખુલાસો

Bathinda Military Station Updates: પંજાબના ભટિંડા સ્થિત આર્મી બેઝ પર આજે વહેલી સવારે થયેલા ફાયરિંગમાં ચાર જવાનો શહીદ થયા હતા. હવે આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે.

Bathinda Military Station Updates: પંજાબના ભટિંડા સ્થિત આર્મી બેઝ પર આજે વહેલી સવારે થયેલા ફાયરિંગમાં ચાર જવાનો શહીદ થયા હતા. હવે આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. જાણવા મળ્યું છે કે, ભટિંડા મિલિટરી સ્ટેશન ફાયરિંગ કેસમાં એફઆઈઆર મુજબ, ચાર સૈનિક તેમની ડ્યુટી બાદ તેમના રૂમમાં સૂઈ રહ્યા હતા ત્યારે સફેદ કુર્તા અને પાયજામામાં સજ્જ માસ્ક પહેરેલા બે હુમલાખોરોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં ચાર જવાનો શહીદ થયા છે.

હુમલાખોરોમાંથી એકના જમણા હાથમાં ઇન્સાસ રાઇફલ અને બીજા હાથમાં કુહાડી હતી. સવારે ગોળીબાર કર્યા બાદ બંને મેસની પાછળના ભાગે આવેલા જંગલમાં ભાગીને જતા જોવા મળ્યા હતા. મેસ પાસે સ્ટાફના રહેવા માટે બનાવેલી બેરેકમાં સૂતા હતા ત્યારે ચારેય જવાનને INSAS રાઈફલથી ગોળી મારી દેવામાં આવી હતી. શહીદ થયેલા જવાનોના નામ ગનર સાગર, ગનર કમલેશ, ગનર યોગેશ કુમાર અને ગનર સંતોષ છે. તમામની ઉંમર 25 થી 30 વર્ષની વચ્ચે છે.

9મી એપ્રિલે રાઈફલ થઈ હતી ગુમ

આ ઘટનામાં વપરાયેલી INSAS રાઈફલ 9 એપ્રિલે ગુમ થઈ ગઈ હતી. આ રાઈફલ લાન્સ 31 માર્ચ 2023ના રોજ મૂપડી હરીશના નામે ફાળવવામાં આવ્યો છે. પંજાબ પોલીસે મેજર આશુતોષ શુક્લાના નિવેદન પર હત્યા અને આર્મ્સ એક્ટની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. સેનાના સાઉથ વેસ્ટર્ન કમાન્ડના નિવેદન અનુસાર ગુમ થયેલી INSAS રાઈફલ અને તેના 28 રાઉન્ડની સાથે કેસ સાથે જોડાયેલા તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

ઘટના કેટલા વાગ્યે બની?

સેનાએ જણાવ્યું હતું હતું કે, ગોળીબારની ઘટના સવારે 4.30 વાગ્યે બની હતી, જેના પગલે ક્વિક રિસ્પોન્સ ટીમોને તાત્કાલિક સક્રિય કરવામાં આવી હતી અને વિસ્તારને ઘેરી લીધો હતો. મળતી માહિતી મુજબ આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ રક્ષા મંત્રી રાજનાથ સિંહને સમગ્ર મામલાની જાણકારી આપી છે.

સેના અને પોલીસની સંયુક્ત ટીમ કરી રહી છે તપાસ

ભારતીય સેનાએ કહ્યું હતું કે, ભટિંડા મિલિટરી સ્ટેશન ફાયરિંગની ઘટનામાં સર્ચ ટીમે મેગેઝિન સાથેની એક ઇન્સાસ રાઇફલ મળી છે. વધુ વિગતો મેળવવા માટે હવે સેના અને પોલીસની સંયુક્ત ટીમો હથિયારનું ફોરેન્સિક વિશ્લેષણ કરશે. પંજાબ પોલીસ સાથે સંયુક્ત તપાસ ચાલુ છે. શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદીય સમિતિ મોકલશે Ranveer Allahbadiaને નોટિસ? વધી શકે છે યુ-ટ્યૂબરની મુશ્કેલી
સંસદીય સમિતિ મોકલશે Ranveer Allahbadiaને નોટિસ? વધી શકે છે યુ-ટ્યૂબરની મુશ્કેલી
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
Mahakumbh 2025: મહાકુંભમાં હવે કેટલા શાહી સ્નાન બાકી છે, ફેબ્રુઆરીની આ તારીખ નોંધી લો
Mahakumbh 2025: મહાકુંભમાં હવે કેટલા શાહી સ્નાન બાકી છે, ફેબ્રુઆરીની આ તારીખ નોંધી લો
Share Market Crash Today: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1200 પોઇન્ટથી વધુ તૂટ્યો
Share Market Crash Today: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1200 પોઇન્ટથી વધુ તૂટ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nursing recruitment News: નર્સિંગની ભરતી પરીક્ષાની આન્સર કી જાહેર થતા ચોંક્યા ઉમેદવારોMayabhai Ahir : ચાલુ ડાયરામાં લોકસાહિત્યકાર માયાભાઈની તબિયત લથડી, તબિયતને લઈને સૌથી મોટા સમાચારRajkot Crime News: મધરાત્રે બે સગ્ગા ભાઈની કરાઈ હત્યા,રૂમમેટે જ કાઢી નાંખ્યુ કાસળ | Abp AsmitaMAHAKUMBH 2025: મહાકુંભમાં ભક્તોનું કીડિયારું , બે દિવસથી ટ્રાફિક જામ ABP ASMITA

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદીય સમિતિ મોકલશે Ranveer Allahbadiaને નોટિસ? વધી શકે છે યુ-ટ્યૂબરની મુશ્કેલી
સંસદીય સમિતિ મોકલશે Ranveer Allahbadiaને નોટિસ? વધી શકે છે યુ-ટ્યૂબરની મુશ્કેલી
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
Mahakumbh 2025: મહાકુંભમાં હવે કેટલા શાહી સ્નાન બાકી છે, ફેબ્રુઆરીની આ તારીખ નોંધી લો
Mahakumbh 2025: મહાકુંભમાં હવે કેટલા શાહી સ્નાન બાકી છે, ફેબ્રુઆરીની આ તારીખ નોંધી લો
Share Market Crash Today: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1200 પોઇન્ટથી વધુ તૂટ્યો
Share Market Crash Today: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1200 પોઇન્ટથી વધુ તૂટ્યો
નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ, 30થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા
નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ, 30થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા
IND Vs ENG 3rd ODI Live Streaming: આવતીકાલે અમદાવાદમાં ઇગ્લેન્ડ સામે ત્રીજી વન-ડે મેચ, જાણો કેવી રીતે જોઇ શકશો લાઇવ?
IND Vs ENG 3rd ODI Live Streaming: આવતીકાલે અમદાવાદમાં ઇગ્લેન્ડ સામે ત્રીજી વન-ડે મેચ, જાણો કેવી રીતે જોઇ શકશો લાઇવ?
Prayagraj Traffic Jam: ત્રણ દિવસમાં પ્રયાગરાજમાં પહોંચી 15 લાખ ગાડીઓ, કોણે કહ્યુ- સેના તૈનાત કરો'
Prayagraj Traffic Jam: ત્રણ દિવસમાં પ્રયાગરાજમાં પહોંચી 15 લાખ ગાડીઓ, કોણે કહ્યુ- સેના તૈનાત કરો'
18 વર્ષ પછી બંધ કરી રહી છે Apple, હવે iPhoneમાં નહી મળે આ ફીચર
18 વર્ષ પછી બંધ કરી રહી છે Apple, હવે iPhoneમાં નહી મળે આ ફીચર
Embed widget