શોધખોળ કરો

'હિન્દુ ભારત માટે જવાબદાર છે', બેંગુલુરુમાં મોહન ભાગવતનું મોટું નિવેદન, બતાવ્યો RSS નો ટાર્ગેટ

Mohan Bhagwat: RSS વડા મોહન ભાગવતે કહ્યું, "જ્યારે RSS જેવી સંગઠિત શક્તિ ઉભરી આવે છે, ત્યારે તે સત્તાની લાલસા રાખતી નથી

Mohan Bhagwat: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે શનિવારે (8 નવેમ્બર, 2025) જણાવ્યું હતું કે RSS નો ધ્યેય હિંદુ સમાજને સત્તા માટે નહીં, પરંતુ રાષ્ટ્રીય ગૌરવ માટે સંગઠિત કરવાનો છે, અને હિન્દુઓ ભારત માટે જવાબદાર છે.

તેમણે કહ્યું કે ભારતમાં કોઈ બિન-હિંદુ નથી કારણ કે દરેક વ્યક્તિ એક જ પૂર્વજોના વંશજ છે અને દેશની મુખ્ય સંસ્કૃતિ હિન્દુ છે. ભાગવતે કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં "સંઘની 100 વર્ષની યાત્રા: નવા ક્ષિતિજ" વિષય પર વ્યાખ્યાન આપતી વખતે આ ટિપ્પણી કરી હતી. RSS ના મહાસચિવ દત્તાત્રેય હોસાબલે અને જીવનના વિવિધ ક્ષેત્રના લોકો હાજર હતા.

RSS સત્તાની લાલસા રાખતું નથી - ભાગવત 
RSS વડા મોહન ભાગવતે કહ્યું, "જ્યારે RSS જેવી સંગઠિત શક્તિ ઉભરી આવે છે, ત્યારે તે સત્તાની લાલસા રાખતી નથી. તે સમાજમાં પ્રસિદ્ધિ મેળવવા માંગતી નથી. તે ફક્ત ભારત માતાના ગૌરવ માટે સમાજની સેવા અને સંગઠિત કરવા માંગે છે. આપણા દેશમાં, લોકોને આ માનવું ખૂબ મુશ્કેલ લાગતું હતું, પરંતુ હવે તેઓ માને છે." તેમણે કહ્યું કે જ્યારે પૂછવામાં આવ્યું કે RSS હિન્દુ સમાજ પર કેમ ધ્યાન કેન્દ્રિત કરે છે, તો જવાબ એ છે કે હિન્દુઓ ભારત માટે જવાબદાર છે.

તેમણે કહ્યું, "એવું નથી કે અંગ્રેજોએ આપણને રાષ્ટ્રત્વ આપ્યું; આપણે એક પ્રાચીન રાષ્ટ્ર છીએ. દુનિયામાં દરેક જગ્યાએ લોકો સહમત છે કે દરેક રાષ્ટ્રની પોતાની મૂળ સંસ્કૃતિ હોય છે. ત્યાં ઘણા રહેવાસીઓ છે, પરંતુ એક મૂળ સંસ્કૃતિ છે. ભારતની મૂળ સંસ્કૃતિ શું છે? આપણે જે કંઈ પણ વર્ણન કરીએ છીએ તે આપણને હિન્દુ શબ્દ તરફ દોરી જાય છે."

ભારતમાં કોઈ બિન-હિન્દુ નથી - ભાગવત
ભાગવતે કહ્યું, "ભારતમાં ખરેખર કોઈ બિન-હિન્દુ નથી, અને બધા મુસ્લિમો અને ખ્રિસ્તીઓ એક જ પૂર્વજોના વંશજ છે. કદાચ તેઓ આ વાતથી અજાણ હોય અથવા ભૂલી ગયા હોય." તેમણે ઉમેર્યું, "જાણીને કે અજાણતાં, દરેક વ્યક્તિ ભારતીય સંસ્કૃતિનું પાલન કરે છે, તેથી કોઈ બિન-હિન્દુ નથી, અને દરેક હિન્દુએ સમજવું જોઈએ કે તેઓ હિન્દુ છે, કારણ કે હિન્દુ હોવાનો અર્થ ભારત માટે જવાબદાર હોવું છે."

સંગઠનને 60-70 વર્ષ સુધી ભારે વિરોધનો સામનો કરવો પડ્યો - સરસંઘચાલક
સરસંગચાલક કહે છે, "સનાતન ધર્મ એ હિન્દુ રાષ્ટ્ર છે, અને સનાતન ધર્મની પ્રગતિ એ ભારતની પ્રગતિ છે. RSS માટેનો માર્ગ સરળ નહોતો, અને સંગઠનને લગભગ 60-70 વર્ષ સુધી ભારે વિરોધનો સામનો કરવો પડ્યો, જેમાં બે પ્રતિબંધ અને સ્વયંસેવકો પર હિંસક હુમલાઓનો સમાવેશ થાય છે."

તેમણે કહ્યું, "અમારા પર બે વાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્રીજો પ્રતિબંધ હતો, પરંતુ તે કોઈ મોટો પ્રતિબંધ નહોતો. વિરોધ થયો, ટીકા થઈ. સ્વયંસેવકોની હત્યા કરવામાં આવી. અમારા વિકાસને રોકવા માટે દરેક પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ સ્વયંસેવકો સંઘને પોતાનું સર્વસ્વ આપે છે અને બદલામાં કંઈ અપેક્ષા રાખતા નથી. આ આધારે, અમે આ બધી પરિસ્થિતિઓને પાર કરી અને હવે એવી સ્થિતિમાં છીએ જ્યાં સમાજમાં અમારી પાસે થોડી વિશ્વસનીયતા છે." તેમણે કહ્યું કે આ શતાબ્દી વર્ષમાં, RSS તેના કાર્યને દરેક ગામ અને સમાજના દરેક વર્ગ, બધી જાતિઓ અને વર્ગો સુધી વિસ્તારવા માંગે છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
Advertisement

વિડિઓઝ

Congress Protest: ગાંધીનગરમાં ટાઈફોઈડ વકરતા કોંગ્રેસનો મનપા કચેરીએ હોબાળો
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
Mahesh Vasava Join Congress: ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર
Rajkot News: ગાંધીનગરમાં ઈન્દોરવાળી બાદ રાજકોટ મહાપાલિકા એકશનમાં
Surat News: સુરતમાં પાટીદાર સગીરાને ભગાડી જવાના કેસમાં પોલીસને મળી સફળતા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
Embed widget