શોધખોળ કરો

" PK નહીં ફેલ થઈ જનતા',બિહાર ચૂંટણીમાં કારમી હાર બાદ પ્રશાંત કિશોરની પાર્ટીએ આપ્યું નિવેદન

Bihar Election 2025: બિહાર જનસુરાજના પ્રમુખ મનોજ ભારતીએ કહ્યું, "અમે શરૂઆતથી જ બિહારમાં એક નવી રાજનીતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જનતા સુધી આ વાત પહોંચાડવી સરળ કાર્ય નથી."

Bihar Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણીના મત ગણતરીના શરૂઆતના વલણોમાં ભાજપની આગેવાની હેઠળના NDAનો વિજય થયો છે, ત્યારે પ્રશાંત કિશોરની પાર્ટી, જનસુરાજ માટે ચિત્ર અસ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પ્રારંભિક વલણો દર્શાવે છે કે પાર્ટી હાલમાં એક પણ બેઠક જીતે તેવું લાગતતું નથી. આ અંગે પ્રતિક્રિયા આપતા, પાર્ટી પ્રમુખ મનોજ ભારતીએ કહ્યું કે તેમનો પક્ષ પોતે લોકો સુધી પોતાનો સંદેશ યોગ્ય રીતે પહોંચાડવામાં નિષ્ફળ ગયો છે.

 

મનોજ ભારતીનું નિવેદન
બિહાર જનસુરાજના પ્રમુખ મનોજ ભારતીએ કહ્યું, "શરૂઆતથી જ, અમે બિહારમાં એક નવી રાજનીતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. લોકો સુધી પહોંચવાનું આ સરળ કાર્ય નથી. પ્રશાંત કિશોર હંમેશા કહેતા હતા કે જો લોકો અમને સમજે છે, તો અમે ટોચ પર રહીશું; જો તેઓ નહીં સમજે, તો અમે નિષ્ફળ જઈશું. આ શરૂઆતના વલણો સ્પષ્ટપણે દર્શાવે છે કે લોકો અમને સમજવામાં નિષ્ફળ ગયા, અને અમે તેમને મનાવવામાં નિષ્ફળ ગયા."

બિહારમાં મગગણનાની સ્થિતિ
બિહાર વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી સવારે 8 વાગ્યે કડક સુરક્ષા વચ્ચે શરૂ થઈ. રાજ્યના 38 જિલ્લાઓમાં 46 ગણતરી કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. તમામ 243 બેઠકો માટે પ્રારંભિક વલણો સામે આવી રહ્યા છે, જેમાં NDA 189 બેઠકો પર આગળ છે અને મહાગઠબંધન 51 બેઠકો પર આગળ છે.

ચૂંટણી પંચના વલણો અનુસાર, NDAમાં, જનતા દળ (યુનાઇટેડ) 84 બેઠકો પર, ભારતીય જનતા પાર્ટી 78 બેઠકો પર, લોક જનશક્તિ પાર્ટી-રામવિલાસ પાર્ટી 22 બેઠકો પર, HAM ચાર બેઠકો પર અને RLM એક બેઠકો પર આગળ છે. આ દરમિયાન, મહાગઠબંધનના ઘટક જૂથો રાષ્ટ્રીય જનતા દળ (RJD) 39 બેઠકો પર, કોંગ્રેસ સાત બેઠકો પર, CPI (ML)-લેનિન અને CPI (ML) એક-એક બેઠકો પર અને અન્ય ત્રણ બેઠકો પર આગળ છે.

ગણતરી પ્રક્રિયા અને સુરક્ષા
સમગ્ર ગણતરી પ્રક્રિયાની દેખરેખ માટે 243 ચૂંટણી અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે, જેમાં 243 મતગણતરી નિરીક્ષકોની સહાયતા પ્રાપ્ત થશે. બધા ઉમેદવારો અને તેમના અધિકૃત એજન્ટો ગણતરી કેન્દ્રો પર હાજર છે. નિષ્પક્ષ અને પારદર્શક ગણતરી સુનિશ્ચિત કરવા માટે, ઉમેદવારોએ 18,000 થી વધુ એજન્ટોની નિમણૂક કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
Advertisement

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ
Ambalal Patel Prediction: અંબાલાલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી!
Indigo Flights Cancellation: ઈન્ડિગોની ફ્લાઈટ રદ થતા  અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી
Kutch Earthquake: કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેંદ્રબિંદુ રાપરથી 19 કિમી દૂર નોંધાયું
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
ઈન્ડિગોએ ટેન્શન વધાર્યું તો મુસાફરોનો સહારો બની ભારતીય રેલવે, કરી દિધી મોટી જાહેરાત 
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
પાકિસ્તાની ખેલાડી સામે ICC એ કરી મોટી કાર્યવાહી, અમ્પાયર સાથે ખરાબ વર્તનને લઈ ફટકાર્યો મોટો દંડ  
પાકિસ્તાની ખેલાડી સામે ICC એ કરી મોટી કાર્યવાહી, અમ્પાયર સાથે ખરાબ વર્તનને લઈ ફટકાર્યો મોટો દંડ  
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
Embed widget