શોધખોળ કરો

Surat Lok Sabha Seat: સુરત લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થતાં રાહુલ ગાંધીએ શું કહ્યું? જાણો

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીમાં સુરતથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ જાહેર થયા હતા. ગુજરાતમાં પ્રથમ વખત લોકસભાના બિનહરીફ સાંસદ ચૂંટાયા હતા.

Rahul Gandhi: ગુજરાતમાં સુરત લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ સાંસદ તરીકે ચૂંટાયા છે. સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન રદ થતાં તથા અન્ય ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લેતા તેઓ બિનહરીફ ચૂંટાયા છે. ચૂંટણી પહેલા જ કોંગ્રેસે હવે ભાજપની આ બિનહરીફ જીત પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે બાકીના ઉમેદવારો દ્વારા નામાંકન પાછું ખેંચવા પર પણ સવાલો ઉઠાવ્યા છે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે દેશની સામે ફરી એકવાર સરમુખત્યારનો અસલી ચહેરો આવી ગયો છે. તેમણે કહ્યું કે લોકોનો તેમના નેતા પસંદ કરવાનો અધિકાર છીનવી લેવો એ બાબા સાહેબ આંબેડકરના બંધારણને નષ્ટ કરવા તરફનું બીજું પગલું છે. હું ફરી એકવાર કહી રહ્યો છું કે આ માત્ર સરકાર બનાવવાની ચૂંટણી નથી. આ દેશને બચાવવા અને બંધારણની રક્ષા માટેની ચૂંટણી છે.

જયરામ રમેશે જીત પાછળનો ઘટનાક્રમ સમજાવ્યો

 કોંગ્રેસના નેતા અને પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરીને સુરતમાં ભાજપના ઉમેદવારની બિનહરીફ જીત પાછળના ઘટનાક્રમનો ખુલાસો કર્યો છે. રમેશે જણાવ્યું હતું કે અગાઉ સુરત જિલ્લા ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું નામાંકન તેમાં ખામીઓ દર્શાવીને રદ કર્યું હતું. આવી જ રીતે કોંગ્રેસના વૈકલ્પિક ઉમેદવાર સુરેશ પડસાલાનું નામાંકન પણ ફગાવી દેવામાં આવ્યું હતું. બે ઉમેદવારીપત્રો ફગાવી દેવાયા બાદ કોંગ્રેસ પક્ષ અહીં ઉમેદવાર વગરનો રહ્યો હતો.

કોંગ્રેસે કહ્યું- ભાજપ ડરી ગઈ છે

જયરામ રમેશે વધુમાં જણાવ્યું હતું કે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સિવાય અન્ય તમામ ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્રો પાછા ખેંચી લીધા હતા. 7 મેના રોજ યોજાનાર મતદાનના લગભગ બે અઠવાડિયા પહેલા ભાજપના ઉમેદવારને બિનહરીફ વિજય અપાયો હતો. તેમણે કહ્યું કે MSME માલિકો અને વેપારીઓની સમસ્યાઓ અને ગુસ્સો જોઈને ભાજપ એટલો ડરી ગયો છે કે તે સુરત લોકસભાની મેચ ફિક્સ કરવાનો પ્રયાસ કરી રહી છે.

જયરામ રમેશે કહ્યું- બધું જોખમમાં છે

તેમણે કહ્યું કે 1984ની લોકસભાની ચૂંટણી બાદ ભાજપ સતત સુરત બેઠક જીતી રહ્યું છે. અત્યારે આપણી ચૂંટણીઓ, આપણી લોકશાહી, બાબાસાહેબ આંબેડકરનું બંધારણ બધું જ જોખમમાં છે. હું પુનરોચ્ચાર કરું છું કે આ આપણા જીવનકાળની સૌથી મહત્વપૂર્ણ ચૂંટણી છે.

સુરતમાં ઉમેદવારી પરત ખેંચવાના છેલ્લા દિવસે 8 ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી હતી. ઉમેદવારીપત્રો પાછા ખેંચનારાઓમાં બહુજન સમાજ પાર્ટીના પ્યારેલાલ ભારતી તેમજ મોટાભાગના અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. રવિવારે જ કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન નામંજૂર કરવામાં આવ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી!
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી! "ચૂંટણી જીતવા વાયદા કર્યા, પણ હવે અમલ માટે પૈસા નથી"
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ

વિડિઓઝ

Arvind Ladani : માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી એકવાર સોશલ મીડિયા પર થયા ટ્રોલ
Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી!
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી! "ચૂંટણી જીતવા વાયદા કર્યા, પણ હવે અમલ માટે પૈસા નથી"
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
આ 5 લોકો માટે તુલસીનું પાણી છે વરદાન સમાન, જાણો તેના ચોંકાવનારા ફાયદાઓ
આ 5 લોકો માટે તુલસીનું પાણી છે વરદાન સમાન, જાણો તેના ચોંકાવનારા ફાયદાઓ
Embed widget