શોધખોળ કરો

દારુ પીને પરણવા પહોંચ્યો યુવક, લગ્નમંડપમાં મંગેતરની સામે ગુટખાની પડીકી ખાધી ને ગુસ્સે ભરાયેલી મંગેતરે કર્યુ એવુ કે બધા ચોંક્યા

મનિયર પોલીસ સ્ટેશન પ્રભારી શૈલેન્દ્ર સિંહે જણાવ્યુ કે, મિશ્રૌલી ગામ નિવાસી પ્રિયંકા રાજભરના લગ્ન ખેજૂરી વિસ્તારના ખેજૂરી ગામ નિવાસી સંદીપ રાજભર સાથે નક્કી થયા હતા. લગ્ન કાર્યક્રમ પાંચ જૂનનો હતો, અને નક્કી સમય-તિથીએ જાન મિશ્રૌલી ગામ પહોંચી હતી.

બલિયાઃ ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લામાં એક ચોંકવાનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં બલિયાના મનિયર વિસ્તારના મિશ્રૌલી ગામમાં એક દુલ્હને પરણવા આવેલા દુલ્હાને લીલા તોરણે જાન સાથે પાછો કાઢી મુક્યો હોવાની ઘટના ઘટી છે. મિશ્રૌલી ગામમાં એક લગ્ન સમારંભ હતો આ દરમિયાન દુલ્હાએ દારુની હાલતમાં લગ્નમંડપમાં પ્રવેશ કર્યો અને બાદમાં પોતાની મંગેતરની સામે ગુટખાની પડીકી ખાવવા લાગ્યો હતો, આ જોઇને ગુસ્સે ભરાયેલી દુલ્હન યુવતીએ પોતાના લગ્ન રદ્દ કરી દીધા અને લગ્ન કર્યા વિના જ યુવકને જાન સાથે પાછો કાઢી મુક્યો હતો. 

મનિયર પોલીસ સ્ટેશન પ્રભારી શૈલેન્દ્ર સિંહે જણાવ્યુ કે, મિશ્રૌલી ગામ નિવાસી પ્રિયંકા રાજભરના લગ્ન ખેજૂરી વિસ્તારના ખેજૂરી ગામ નિવાસી સંદીપ રાજભર સાથે નક્કી થયા હતા. લગ્ન કાર્યક્રમ પાંચ જૂનનો હતો, અને નક્કી સમય-તિથીએ જાન મિશ્રૌલી ગામ પહોંચી હતી. સ્ટેશન પ્રભારીએ કહ્યું કે, લગ્નની તૈયારીઓ અંતિમ તબક્કામાં હતી, કે દુલ્હનને ખબર પડી કે તેનો મંગેતર દારુ પીને નશો કરીને આવ્યો છે, અને એટલુ જ નહીં લગ્ન મંડપમાં ગુટખાની પડીકી ખાઇ રહ્યો છે, આ કારણથી પ્રિયંકાએ લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી, અને જાન દુલ્હનને લીધા વિના જ પાછી ગઇ હતી. 

ગયા મહિને પણ ઘટી હતી આવી વિચિત્ર ઘટના
ઉલ્લેખનીય છે કે ગયા મહિને પણ એક વિચિત્ર ઘટના કાનપુરમાં ઘટી, અહીં રહસ્યમય રીતે દુલ્હો લગ્ન સ્થળ પરથી ગાયબ થઇ જતા, દુલ્હને જાનમાં આવેલા એક જાનૈયા સાથે લગ્ન કરી લીધા હતા. આ ઘટના મહારાજપુર વિસ્તારમાં ઘટી હતી. રિપોર્ટ પ્રમાણે, જયમાલાનો વિધિ થઇ ચૂકી હતી, અને બન્ને પરિવારો લગ્નના મુખ્ય સમારોહની તૈયારીઓ કરી રહ્યાં હતા, ત્યારે દુલ્હો અચાનક ગાયબ થઇ ગયો. બન્ને પરિવારોએ દુલ્હાની તપાસ શરૂ કરી અને ઘટનાક્રમમાં આવેલા મૉડથી દુલ્હન ગભરાઇ ગઇ.

થોડીક વાર બાદ તપાસ કર્યા બાદ દુલ્હનના પરિવારના સભ્યોને ખબર પડી કે દુ્લ્હો આમ જ ગાયબ નથી થયો, પરંતુ જાણીજોઇને ભાગી ગયો હતો, અને આનુ કારણ તેને સારી રીતે ખબર હતી. દુલ્હનના પરિવારને જોઇને, દુલ્હાના તરફથી એક મહેમાને સલાહ આપી કે લગ્ન જાનમાં આવેલા કોઇ બીજા યોગ્ય છોકરા સાથે કરી દેવા જોઇએ. દુલ્હનના પરિવારે લગ્નમાં આવેલા છોકરાઓમાંથી એકને પસંદ કર્યો, અને સંબંધિત પરિવારોએ વાતચીત કર્યા બાદ ગઠબંધનની વિધિ પુરી કરવા માટે સહમતી દર્શાવી. બાદમાં લગ્ન તે જ સમારોહ સ્થળ પર સંપન્ન થયા હતા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
T20 વર્લ્ડ કપ પહેલા 33 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી,આ ભારતીય બેટ્સમેનથી વિરોધી ટીમોમાં ફફડાટ
T20 વર્લ્ડ કપ પહેલા 33 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી,આ ભારતીય બેટ્સમેનથી વિરોધી ટીમોમાં ફફડાટ
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
7 જાન્યુઆરીએ રશિયામાં કેમ ઉજવવામાં આવે છે નાતાલ? જાણો તારીખોનું રહસ્ય અને કેલેન્ડરનો ખેલ
7 જાન્યુઆરીએ રશિયામાં કેમ ઉજવવામાં આવે છે નાતાલ? જાણો તારીખોનું રહસ્ય અને કેલેન્ડરનો ખેલ
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
Embed widget