શોધખોળ કરો

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય- જન્મ અને મૃત્યુના રજીસ્ટ્રેશન માટે આધાર ઑથેન્ટિફિકેશનને આપી મંજૂરી

રજિસ્ટ્રાર જનરલ ઑફ ઇન્ડિયાની ઓફિસે આ હેતુ માટે આધારનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે.

Aadhaar: કેન્દ્ર સરકારે જન્મ અને મૃત્યુના રજીસ્ટ્રેશન માટે આધાર ઑથન્ટિફિકેશનને મંજૂરી આપી છે. રજિસ્ટ્રાર જનરલ ઑફ ઇન્ડિયાની ઓફિસે આ હેતુ માટે આધારનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગૃહ મંત્રાલયે એક ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે અને કહ્યું છે કે રજિસ્ટ્રાર જનરલના કાર્યાલયની સાથે સાથે સેન્સસ કમિશનર પણ આવા રજિસ્ટ્રેશન માટે આધાર ઑથેન્ટિફિકેશનને સ્વીકારવું જોઈએ.

સરકારનો હેતુ શું છે

આની પાછળ સરકારનો ઉદ્દેશ્ય સેવાઓને સુધારવાનો છે અને જીવનને સરળ બનાવવાનું છે જેની મારફતે ભારતીયોના જીવનમાં સુધારો થઇ શકે. દરમિયાન, આધાર જાહેર કરતી સંસ્થા UIDAI લોકોને તેમના મોબાઈલ નંબર સાથે આધાર લિંક કરવા પ્રોત્સાહિત કરી રહી છે જેથી તેઓ વધુ સારી રીતે સામાજિક કલ્યાણ સેવાઓનો લાભ લઈ શકે.

સરકારના ગુડ ગવર્નન્સ રૂલ્સના ડ્રાફ્ટમાં સંશોધનનો પ્રસ્તાવ

સરકારના ગુડ ગવર્નન્સ રૂલ્સના ડ્રાફ્ટમાં સંશોધન મારફતે આઇટી મંત્રાલયનું કહેવું છે કે સરકારી મંત્રાલય અથવા વિભાગ સિવાયની કોઈપણ સંસ્થા જે લોકોનું જીવન વધુ સરળ બનાવવા માંગે છે અને સેવાઓની પહોંચ વધુ સારી બનાવવાના ઉદ્દેશ્યથી આધાર ઑથેન્ટિફિકેશનનો ઉપયોગ કરવા માંગે છે તેમના માટે આધાર ઑથેન્ટિફિકેશનને માન્યતા આપવામા આવે.

આધાર-પાન લિંકની છેલ્લી તારીખ છે નજીક

આવકવેરા વિભાગે પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. હવે તેની ડેડલાઈન ખૂબ જ નજીક આવી ગઈ છે અને લોકો પાસે આ માટે માત્ર થોડા દિવસોનો જ મોકો છે. જોકે ઘણા લોકો ફરિયાદ કરે છે કે તેઓ આમ કરી શકતા નથી. આવકવેરા વિભાગે પ્રયાસ નિષ્ફળ થવાનું કારણ આપ્યું છે. આ સાથે વિભાગે વૈકલ્પિક પગલાં પણ આપ્યા છે.

1 જુલાઈથી આટલો દંડ

સૌથી પહેલા જાણી લો કે ઈન્કમ ટેક્સ એક્ટ 1961 હેઠળ પાન કાર્ડને આધાર સાથે લિંક કરવું જરૂરી બની ગયું છે. જો તમે 30 જૂન, 2023 સુધી આ નહીં કરો, તો તે પછી તમારું PAN કામ કરવાનું બંધ કરી દેશે. તેની સમયમર્યાદા ઘણી વખત લંબાવવામાં આવી છે અને હવે તેને ભાગ્યે જ આગળ વધારી શકાય છે. જો 30 જૂન પછી એટલે કે 1 જુલાઈથી, તમારે આ માટે 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Embed widget