શોધખોળ કરો
વર્ષના પ્રથમ દિવસે ISRO ચીફની જાહેરાત- ચંદ્રયાન-3ને મળી લીલી ઝંડી, આગામી વર્ષે થશે લોન્ચ
ચંદ્રયાન-2ને લઈને ઇન્ડિય સેપ્સ રિસર્ચ ઓર્ગેનાઈઝેન (ઈસરો)ના પ્રમુખ કે. સિવને બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

નવી દિલ્હીઃ ભારત સરકારે ચંદ્રયાન-3ને લીલી ઝંડી આપી દીધી છે. ઇસરો પ્રમુખ કે. સિવને પ્રસ કોન્ફરન્સ કરી આ વાતની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, તેનો પ્રોજેક્ટ તૈયાર થઈ ગયો છે અને ચંદ્રયાન-3ને આગામી વર્ષે 2021માં લોન્ચ કરવામાં આવી શકે છે. આ દરમિયાન તેમણે ગગનયાન પ્રોજેક્ટ વિશે પણ જણાવ્યું. ચંદ્રયાન-2ને લઈને ઇન્ડિય સેપ્સ રિસર્ચ ઓર્ગેનાઈઝેન (ઈસરો)ના પ્રમુખ કે. સિવને બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પીસી દરમિયાન સિવને જણાવ્યું કે, ‘ચંદ્રયાન-3ને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે અને તેની તમામ પ્રક્રિયા સુચારુ રીતે ચાલી રહી છે.’ સિવને જાણકારી આપતા કહ્યું, ‘ચંદ્રયાન-3 એ ચંદ્રયાન-2 જેવું જ હશે. ચંદ્રયાન-2માં ઓર્બિટર, લેન્ડર અને રોવર હતા. ચંદ્રયાનમાં પણ આ બધું હશે.’
ઈસરો ચીફે કહ્યું હતું કે, 2020માં કોસ્ટ ઈફેક્ટિવ ચંદ્રયાન-3 લોંચ કરવામાં આવશશે. તેવી જ રીતે ગગનયાનના અવકાશયાત્રીઓને જાન્યુઆરી 2020ના બીજા સપ્તાહથી ટ્રેનિંગ આપવામાં આવશે. ગગનયાનના મિશન માટે અવકાશયાત્રીઓની પસંદગી માટે રાષ્ટ્રીય સ્તરની વિચારણા સમિતિની રચના કરવામાં આવી છે. તેમણે 4 અવકાશયાત્રીઓની પસંદગી કરી છે. 2019માં ગગનયાન પ્રોજેક્ટમાં અમે ખાસી પ્રગતિ કરી છે.Indian Space Research Organisation Chief K Sivan: Government has approved Chandrayan-3, the project is ongoing. pic.twitter.com/KcJVQ1KHG7
— ANI (@ANI) January 1, 2020
ઈસરો ચીફે કહ્યું હતું કે, 2019ની સફળતાઓ અને 2020ના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખી તમિળનાડુના થુથુકુડીમાં નવુ સ્પેસ પોર્ટ બનાવવામાં આવશે. સાથે જ તેમણે કહ્યું હતું કે, ચંદ્રયાન-2નું ઓર્બિટર ખુબ જ સારૂ કામ કરી રહ્યું છે.
વધુ વાંચો























