શોધખોળ કરો

CM Yogi : યોગીની ફ્રંટ ફૂટ પર બેટિંગ શરૂ, અતિકનું નામ લીધા વગર કહ્યું - ગરમી ઉતારી દીધી ને...

સીએમ યોગીના નિવાસસ્થાને મુલાકાતીઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ વાતાવરણમાં પલટો આવતા જ સીએમ યોગી હવે અતિક અહેમદનું નામ લીધા વગર જ ખુલ્લેઆમ આતિક પર પ્રહારો કરવાના શરૂ કરી દીધા છે.

Uttar Pradesh Chief Minister : માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની હત્યા બાદ ઉત્તર પ્રદેશની સરકારે આખા રાજ્યમાં કલમ 144 લાગુ કરી દીધી હતી. દરેક જગ્યાએ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. યુપીના સીએમ યોગી આદિત્યનાથે આ ઘટના બાદ તાબડતોબ બેઠક યોજીને તપાસના આદેશ આપ્યા હતા. ગુનેગારો પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવનારા સીએમ યોગી આ ઘટના પછી થોડા દિવસો સુધી શાંત રહ્યા બાદ હવે હુંકાર ભર્યો છે. યોગીએ હવે ફ્રંટ ફૂટ પર આવીને આ મામલે બેટિંગ કરવાનું શરૂ કરી દીધું છે. 

સીએમ યોગીના નિવાસસ્થાને મુલાકાતીઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ વાતાવરણમાં પલટો આવતા જ સીએમ યોગી હવે અતિક અહેમદનું નામ લીધા વગર જ ખુલ્લેઆમ આતિક પર પ્રહારો કરવાના શરૂ કરી દીધા છે.

શામલીથી આપ્યો મોટો સંદેશ

ઉત્તર પ્રદેશના શામલીમાં મ્યુનિસિપલ ચૂંટણીના પ્રચાર દરમિયાન સીએમ યોગીએ સ્પષ્ટ રીતે કોઈનું નામ તો લીધું નહોતું. પરંતુ ગરમી હવે ટાઢી પડી ગઈ હોવાનું કહી દીધું હતું. ખાસ વાત એ છે કે, ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન સીએમ યોગીએ શામલીમાં જ ગુનેગારોને ટાઢા પાડી દીધા હોવાનો હુંકાર ભર્યો હતો. તેમના નિવેદન બાદ વિપક્ષોએ તેમના પર પ્રહારો કર્યા હતાં, પરંતુ ગુનાખોરી અને ગુનેગારો પર તેમની કઠોર છબીએ તેમને ફરીથી રાજ્યની સત્તા અપાવી હતી. હવે જ્યારે 2024ની લોકસભાની ચૂંટણી નજીકમાં જ છે ત્યારે યોગીના ગરમી શાંત કરી દીધાનું નિવેદન આપી મોટો દાવ ચાલી દીધો છે.

અતીકનું નામ તો ના લીધું પણ કર્યા જોરદાર પ્રહાર

શામલીમાં જનસભાને સંબોધતા યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં માફિયાઓની ગરમી ટાઢી થઈ ગઈ છે. તેમના માટે આંસુ વહાવનાર કોઈ નથી રહ્યું. સીએમ યોગીના આ નિવેદનને માફિયા અતીક અહેમદ સાથે જોડવામાં આવી રહ્યું છે. સીએમ યોગી  સારી રીતે જાણે છે કે, તેમની અને ભાજપની યુએસપી સાથે ચૂંટણીમાં જવું જોઈએ. તેમને ગુનેગારો સામે યોગીની આકરી છબી અને બુલડોઝર બાબાનો ટેગ મળ્યો છે. આ સ્થિતિમાં યોગીએ નાગરિક ચૂંટણીમાં આ જ દાવ ખેલી દીધો છે અને તેની શરૂઆત એ જ શામલીથી થઈ છે, જ્યાં તેમણે ગુનેગારોની ગરમીને ટાઢી પાડી દીધી હોવાનું નિવેદન આપ્યું છે.

વેઈટ એન્ડ વોચ બાદ યોગી બન્યા આક્રમક

માફિયા અતીકની હત્યા બાદ યુપીમાં પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. દરેક જગ્યાએ પોલીસ બંદોબસ્ત હતો. વહીવટીતંત્રને ડર હતો કે, બેકાબૂ તત્વો રાજ્યનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી શકે છે. પરંતુ રાજ્ય સરકારની વહીવટી કડકતા અને ત્વરિત કાર્યવાહી બાદ ક્યાંય કોઈ ગડબડ જોવા મળી નથી. વેઈટ એન્ડ વૉચનો અંત આવતાં સીએમ યોગી સક્રિય થઈ ગયા છે. તેમણે અતીકનું નામ લીધા વિના એક તીર વડે અનેક નિશાન સાધ્યા હતાં. તેમણે કહ્યું હતું કે, યુવાનોના હાથમાં ટેબલેટ હોવું જોઈએ બંદૂક નહીં. એટલું જ નહીં, તેમણે આગામી સમયમાં પણ આ પ્રકારની કાર્યવાહી યથાવત રહેશે તેવી માફિયાઓને ચેતવણી પણ આપી દીધી છે. તેમણે કહ્યું હતું કે, શોહદોનો આતંક કાબૂમાં આવી ગયો છે અને હવે કોઈ વેપારીઓ પાસેથી ખંડણીની માંગણી કરતું નથી. હવે ટેક્સ વસૂલનારા ગુંડાઓની ગરમી ટાઢી પડી ગઈ છે.

શું છે યોગીના ફ્રંટ ફૂટ પર રમવાનું કારણ? 

યોગીએ શામલીમાં વિપક્ષી નેતા અખિલેશ યાદવને પણ ઘેર્યા હતા. તેમણે કહ્યું હતું કે, આજે કોઈ કર્ફ્યુ નથી, તોફાનો નથી, બધું બરાબર છે. કાવડ યાત્રા નીકળી રહી છે. તેમણે અખિલેશનું નામ લીધા વગર નિશાન સાધ્યું હરું. તેમણે કહ્યું હતું કે, કર્ફ્યુ લગાવનારા પણ આવ્યા હશે અને આવશે. તમારો મત માંગશે. તેમના શબ્દો પર વિશ્વાસ ના કરતા. સીએમ યોગી સારી રીતે જાણે છે કે, રાજ્યના લોકો તેમની આકરી છબીને પસંદ કરે છે. અખિલેશ યાદવનું નામ લીધા વિના લાદવામાં આવેલા કર્ફ્યુનો ઉલ્લેખ કરીને યોગીએ કહ્યું હતું કે, તેઓ આટલેથી પણ અટકવાના નથી. 

ઉલ્લેખનીય છે કે, ઉમેશ પાલ હત્યા કેસમાં અતીક અહેમદની પત્ની શાઇસ્તા પરવીન અને શૂટર ગુડ્ડુ મુસ્લિમ હજુ પણ ફરાર છે. આ મામલામાં સામેલ અતીકનો પુત્ર અસદ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. દરમિયાન, STF ચીફ અમિતાભ યશે કહ્યું છે કે, શાઇસ્તા અને ગુડ્ડુને પણ જલ્દી પકડવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
રેશનકાર્ડ ધારકો માટે સરકાર લાવી ડિજિટલ 'સાર્થક PDS' યોજના, જાણો તમને શું ફાયદો થશે
રેશનકાર્ડ ધારકો માટે સરકાર લાવી ડિજિટલ 'સાર્થક PDS' યોજના, જાણો તમને શું ફાયદો થશે
દુનિયા પર એક્સ્ટ્રીમ અલ નીનોનો મોટો ખતરો: 80% શક્યતા, ગરમી અને પૂર મચાવશે ભારે તબાહી
દુનિયા પર એક્સ્ટ્રીમ અલ નીનોનો મોટો ખતરો: 80% શક્યતા, ગરમી અને પૂર મચાવશે ભારે તબાહી
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
Embed widget