શોધખોળ કરો

કૉંગ્રેસના સ્થાપના દિવસ પર CAA-NRC મુદ્દો છવાયો: આ નોટબંધી 2 છે, ગરીબ ફરી એકવાર લાઈનમાં હશે: રાહુલ ગાંધી

આ રેલી દરમિયાન કૉંગ્રેસ નાગરિકતા કાયદા અને વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી સહિત સામાન્ય જનતાને પ્રભાવિત કરતા મુદ્દાઓ ઉઠાવશે.

નવી દિલ્હી: કૉંગ્રેસ પાર્ટી આજે પોતાનો 135મો સ્થાપના દિવસની ઉજવણી કરી રહી છે. કોંગ્રેસ સ્થાપના દિવસ પર દિલ્હીમા પાર્ટી મુખ્યાલય પર સોનિયા ગાંધીએ ધ્વજ લહેરાવ્યો હતો. સ્થાપના દિવસ પર કૉંગ્રેસમાં નાગરિકતા કાયદાનો મુદ્દો છવાયેલો રહ્યો. કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નાગરિકતા કાયદા અને એનઆરસીને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ સીએએ અને એનઆરસીને બીજી નોટબંધી ગણાવી હતી. રાહુલ ગાંધીએ કહ્યું, સીએએ અને એનઆરસી નોટબંધી નંબર 2 છે. આ જે મામલો ચાલી રહ્યો છે તે નોટબંધી જેવો છે જેમાં ગરીબ લોકોને લાઈનમાં ઉભા રાખવા માંગે છે. આમા કોઈ અમીર લાઈનમાં નહી ઉભા રહે કારણ કે તેઓ તેમના મિત્રો છે. ડિટેન્શન સેન્ટરને લઈને રાહુલ ગાંધીએ કહ્યું, તમે મારૂ ટ્વિટ જોયુ હશે તેમા મોદીજીનું ભાષણ સાંભળ્યું હશે હવે તેમે નક્કી કરો કોણ ખોટું છે. કૉંગ્રેસ પાર્ટીનો આજે સ્થાપના દિવસ છે. કૉંગ્રેસ નાગરિકતા કાયદાના વિરૂદ્ધમાં દેશના તમામ રાજ્યોની રાજધાનીમાં આજે પોતાના સ્થાપના દિવસ પર સંવિધાન બચાઓ-ભારત બચાઓ રેલીનો આયોજન કર્યું છે. દિલ્હીમાં ભારત બચાઓ રેલીની સફળતા બાદ અલગ-અલગ રાજ્યોમાં આ પ્રકારની રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ રેલી દરમિયાન કૉંગ્રેસ નાગરિકતા કાયદા અને વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી સહિત સામાન્ય જનતાને પ્રભાવિત કરતા મુદ્દાઓ ઉઠાવશે. કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે પાર્ટીના સ્થાપના દિવસ પર ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં રહેશે. સ્થાપના દિવસ પર આયોજીત વિશેષ કાર્યક્રમમાં તે મુખ્ય મહેમાન તરીકે સામેલ થશે. આ કાર્યક્રમ લખનઉ સ્થિત પાર્ટી ઓફિસમાં થશે. સીએએની વિરૂદ્ધમાં યૂપીમાં છેલ્લા ઘણા દિવસોમાં હિંસા થઈ અને ઘણા લોકોના મોત થયા છે, એવામાં પ્રિયંકા પીડિતોના પરિવારજનોને મળવા જઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’
CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ, અભિજીત દિપકે કહ્યું - ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે...’
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ, અભિજીત દિપકે કહ્યું - ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે...’

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
Embed widget