શોધખોળ કરો

રાજસ્થાનઃ રામ મંદિર નિર્માણ માટે કોંગ્રેસ એકત્રિત કરી રહી છે ફાળો, કાર્યક્રમનું નામ રાખ્યું- એક રૂપિયો રામના નામે

કોંગ્રેસ વિદ્યાર્થી સંગઠન તરફથી આ મામલે કહેવામાં આવ્યું છે કે, આ કાર્યક્રમ 15 દિવસ સુધી ચાલશે.

જયપુરઃ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે કોંગ્રેસે ફાળો લેવા માટે કાર્યક્રમ શૂ કર્યો છે. કોંગ્રેસેના વિદ્યાર્થી સંગઠન નેશનલ સ્ટૂડન્ટ યૂનિયન ઓફ ઇન્ડિયા (એનએસયૂાઈ) તરફથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ તરફથી આ અભિયાનું નામ રાખવામાં આવ્યું છે ‘એક રૂપિયો રામના નામે’. કાર્યક્રની શરૂઆત જયપુરની કોમર્સ કોલેજથી કરવામાં આવી છે. એએસયૂઆઈના પ્રદેશ અધ્યક્ષ અભિષેક ચૌધરીએ કહ્યું કે, તેનો ઉદ્દેશ સ્પષ્ટ છે કે સમાજના તમામ લોકોને આ ઉમદા કાર્ય સાથે જોડવામાં આવે. અભિષેક ચૌધરીએ કહ્યું કે, રામમંદિર નિર્માણ માટે ફાળો એકત્રિત કરવાનું કામ પ્રદેશના તમામ જિલ્લામાં સંગઠનના પદાધિકારી કરશે. કોંગ્રેસ વિદ્યાર્થી સંગઠન તરફથી આ મામલે કહેવામાં આવ્યું છે કે, આ કાર્યક્રમ 15 દિવસ સુધી ચાલશે. વિદ્યાર્થી સંગઠન તરફતી કાર્યક્રમને લઈને કહેવામાં આવ્યું છે કે, આ માત્ર કોલેજમાં જ નહીં પરંતુ રાજ્યની તમામ સ્કૂલના વિદ્યાર્થીઓ પાસે ફાળો લેવા જઈશું. આરએસએસ પર પ્રહાર રામ મંદિર માટે ફાળો જમા કરાવાવને લઈને રાજસ્થાન કોંગ્રેસ વિદ્યાર્થી સંગઠનના અધ્યક્ષ અભિષેક ચૌધરીએ આરએસએસ પર પ્રહાર કર્યા છે. અભિષેક ચૌધરીએ કહ્યું કે, “આરએસએસ અને ભાજપ સાથે જોડાયેલ લોકો રામ મંદિર પર ફાળાના નામે લોકો પર દબાણ કરી રહ્યા છે. મારું માનવું છે કે સમર્પિત થઈને એક રૂપિયો આપવો અને એક કરોડ રૂપિયા આપવા બન્ને સરખા છે. આરએસએસ અને ભાજપ સાથે જોડાયેલ લોકો આ કામને લૂટનો ધંધો બનાવી દીધો છે.” અભિષેક ચૌધરીએ કહ્યું કે, કોંગ્રેસનું આ અભિયાન સાંપ્રદાયિક તાકતોને મેસેજ આપવાનું કામ કરશે. તેમણે કહ્યું, “અમે રાજનીતિ કરવા માટે કોઈ ધર્મની મદદ લેવાની જરૂરત નથી. ભારત એક ધર્મનિરપક્ષે દેશ છે અને કોંગ્રેસ એક એવી પાર્ટી છે જે બંધારણ અનુસાર કામ કરે છે. અમારું આ અભિયાન એ સાંપ્રદાયિક તાકતો માટે મેસેજ છે જે રામ મંદિરના નામે દેશને તોડવાનો પ્રયત્ન કરે છે.” ‘રામ’ બધાના છે રાજસ્તાન એનએસયૂઆઈના પ્રવક્તા રમેશ ભાટીએ કહ્યું કે, રાજ્યમાં રામ મંદિર નિર્માણ માટે ચલાવવામાં આવી રહેલ અભિયાનથી જેટલી રકમ ભેગી થશે તે રામ મંદિર ટ્રસ્ટને આપવામાં આવશે. આ દરમિયાન રમેશ ભાટીએ કહ્યું, “ભાજપના પ્રચારથી વિપરીત, અમારા અભિયાનનો ઉદ્દેશ એ મેસેજ આપવાનો છે કે ભગવાન રામ માત્ર હિંદુઓના કે કોઈ વિશિષ્ટ સમુદાયના નથી. ભગવાન રામ બધાના છે અને તેમ પ્રત્યે તમામ ધર્મોમાં વિશ્વાસ એક સરખો છે.”

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
RRB JE recruitment 2026: રેલ્વેમાં ખાલી 4098 જગ્યાઓ માટે થશે ભરતી, જાણો અરજીની ડેડલાઇન અને લાયકાત
RRB JE recruitment 2026: રેલ્વેમાં ખાલી 4098 જગ્યાઓ માટે થશે ભરતી, જાણો અરજીની ડેડલાઇન અને લાયકાત
CJP Protest: દિલ્હીમાં CJPના વિરોધ વચ્ચે સરકાર ઝુકી, 'જ્યારે કહેશો ત્યારે વાતચીત માટે તૈયાર'
CJP Protest: દિલ્હીમાં CJPના વિરોધ વચ્ચે સરકાર ઝુકી, 'જ્યારે કહેશો ત્યારે વાતચીત માટે તૈયાર'
Train Cancelled: 27થી 29 જુલાઈ સુધી અનેક ટ્રેનો રદ, કેટલીકના બદલાયા રૂટ, જુઓ સંપૂર્ણ યાદી
Train Cancelled: 27થી 29 જુલાઈ સુધી અનેક ટ્રેનો રદ, કેટલીકના બદલાયા રૂટ, જુઓ સંપૂર્ણ યાદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી
Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 8 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 8 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર
Navsari Rain: ધોધમાર વરસાદથી નવસારી જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
Navsari Rain: ધોધમાર વરસાદથી નવસારી જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લામાં પૂરનો ખતરો, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લામાં પૂરનો ખતરો, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Embed widget