શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

Corona : મહારાષ્ટ્રમાં રીતસરનો કોરોના વિસ્ફોટ, 1000 કેસ ને 9ના મોતથી ફફડાટ

Corona Virus Cases in Maharashtra : મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસો ખતરાની ઘંટડી સમાન છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના 1000 થી વધુ કેસ નોંધાયા છે અને નવ લોકોના મોત થતા ફફડાટ વ્યાપી જવા પામ્ય છે.

Corona Virus Cases in Maharashtra : મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસો ખતરાની ઘંટડી સમાન છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના 1000 થી વધુ કેસ નોંધાયા છે અને નવ લોકોના મોત થતા ફફડાટ વ્યાપી જવા પામ્ય છે. ગઈ કાલે મંગળવારે રાજ્યમાં 919 નવા કેસ નોંધાયા હતા. જ્યારે ગઈકાલે કોરોના સંક્રમિત દર્દીનું મૃત્યુ નોંધાયું હતું. રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા વધીને 5421 થઈ ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા હેલ્થ બુલેટિન મુજબ મહારાષ્ટ્રમાં કોરોનાના 1115 નવા કેસ નોંધાયા છે.

મુંબઈમાં સૌથી વધુ સક્રિય કેસ

હેલ્થ બુલેટિન અનુસાર, મુંબઈમાં સૌથી વધુ સક્રિય કેસ 1577 છે. તે જ સમયે, એક દિવસમાં 560 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનામાંથી રિકવરીનો દર એટલે કે રિકવરી રેટ 98.11 ટકા છે. થાણે જિલ્લો સક્રિય કેસોની દ્રષ્ટિએ રાજ્યમાં બીજા ક્રમે છે જ્યાં 953 સક્રિય કેસ છે. પાલઘરમાં 160 અને રાયગઢમાં 237 સક્રિય કેસ છે.

મુંબઈમાં છેલ્લા 10 દિવસમાં કોરોનાના કેસ

એપ્રિલ 2 - 172 કેસ, કોઈ મૃત્યુ નથી.

એપ્રિલ 3- 75 કોરોના કેસ, કોઈ મૃત્યુ નથી.

4 એપ્રિલ - 218 કોરોના કેસ, કોઈ મૃત્યુ નથી.

5 એપ્રિલ- કોરોનાના 221 કેસ, એક દર્દીનું મોત.

એપ્રિલ 6- 216 કેસ નોંધાયા, એક મૃત્યુ થયું.

એપ્રિલ 7- 276 કેસ નોંધાયા, કોઈ મૃત્યુ થયું નથી.

એપ્રિલ 8- 207 કેસ મળી આવ્યા, કોઈ મૃત્યુ થયું નથી.

એપ્રિલ 9- 221 કેસ, કોઈ મૃત્યુ નથી.

એપ્રિલ 10- 95 કેસ સામે આવ્યા, કોઈ મૃત્યુ નથી.

એપ્રિલ 11- 242 કેસ મળ્યા, કોઈ મૃત્યુ નથી.

Covid-19 : દેશવાસીઓ માટે આગામી 10 થી 12 દિવસ મહત્વના, આવી ગઈ ત્રીજી લહેર

Corona Cases In India: કોરોના લોકોના જીવ ફરી એકવાર અદ્ધર કરી દીધા છે. દેશમાં છેલ્લા કેટલાક દિવસથી જે પ્રકારે કોરોનાના વિસ્ફોટ થઈ રહ્યો છે તેનાથી દેશવાસીઓમાં ફફડાટ પેઠો છે. સરકારે પણ આવનાર સમય મુશ્કેલીભર્યો હોવાનું જણાવ્યું છે. જોકે ડરી નહીં ને સાવચેતી રાખવાની સરકારે સલાહ આપી છે.

કોરોનાના કેસને લઈને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ ઓમિક્રોનના વેરિઅન્ટ XBB 1.16 પર સંશોધન કર્યું છે. ICMRએ કહ્યું છે કે, આ વેરિએન્ટ ઝડપથી ફેલાશે. જો કે તેનાથી ડરવાની જરૂર નથી, પરંતુ સાવધાન રહેવાની જરૂર છે. સૌથી મોટી વાત એ છે કે, સરકારે ઝડપથી ફેલાતા કોરોના કેસને નવી લહેર તરીકે સ્વીકારી લીધી છે. પરંતુ હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા ઘણી ઓછી છે.

ICMRના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે દેશમાં કોરોના સ્થાનિક તબક્કા તરફ આગળ વધી રહ્યો છે. આગામી 10-12 દિવસ સુધી કોરોના કેસ વધી શકે છે. જો કે, ત્યાર બાદ નવા કેસોમાં ઝડપથી ઘટાડો થશે. ICMRનું માનવું છે કે, કેસોમાં વર્તમાન ઉછાળો ઓમિક્રોનના વેરિઅન્ટ XBB.1.16ને કારણે છે.

નવા વેરિઅન્ટને કરાયો આઇસોલેટેડ

ICMR એ પણ કહ્યું હતું કે, નવા વેરિઅન્ટને અલગ કરવામાં આવ્યું છે. સારી વાત એ છે કે, હાલની રસીઓ કોરોનાના વર્તમાન વેરિએન્ટ પર અસરકારક છે, જે આપણી પાસે પુરતા પ્રમાણમાં રહેલી છે. કોરોનાના વધતા કેસો વચ્ચે હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા ઈ-ફાર્મસી કંપનીઓ સાથે બેઠક કરશે. ઈ-ફાર્મસી અંગે સરકાર કડક છે. ઈ-ફાર્મસી અંગે સરકાર પહેલાથી જ પોતાનું વલણ સ્પષ્ટ કરી ચૂકી છે. સરકાર ઈ-પ્રિસ્ક્રિપ્શનની તરફેણમાં છે, પરંતુ સરકાર આ અંગે નિયમો પણ બનાવી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડાPune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTV

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget