શોધખોળ કરો

Corona Vaccine: દેશમાં કયા કયા રાજ્યોએ ફ્રી રસી આપવાની કરી જાહેરાત ? જાણો વિગત

ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે, ભારતે 95 દિવસાં 13 કરોડ રસીના ડોઝ લોકોને આપ્યા છે.આવુ કરનાર ભારત દુનિયાનો પહેલો દેશ છે.

નવી દિલ્હીઃ દેશમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાના સંક્રમણ (Corona Cases in India) વચ્ચે ભારતમાં કોરોનાની રસી (Corona Vaccine) મુકવાનુ કામ પણ ચાલી રહ્યુ છે અને આ મામલે ભારતે ચીન અને અમેરિકાને પાછળ પાડી દીધા છે. ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે, ભારતે 95 દિવસાં 13 કરોડ રસીના ડોઝ લોકોને આપ્યા છે.આવુ કરનાર ભારત દુનિયાનો પહેલો દેશ છે.

દેશમાં રસી આપવાનુ અભિયાન 16 નવેમ્બરથી શરુ થયુ હતુ.સરકારે તો હવે 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને રસી આપવાની અને વિદેશની રસી ઓપન માર્કેટમાં પણ વેચવાની યોજના બનાવી હોવાથી દેશમાં રસીકરણ અભિયાન ઝડપી બનશે.સરકારે તો સાડા ત્રણ મહિનામાં દેશના તમામ લોકોનુ રસીકરણ કરવાની મહત્વાકાંક્ષી યોજના પર પણ તૈયારી શરુ કરી છે.  આ દરમિયાન કેટલાક રાજ્યોએ ફ્રી રસી આપવાની જાહેરાત કરી છે.

મધ્યપ્રદેશઃ મધ્યપ્રદેશની શિવરાજ સિંહ ચૌહાણ સરકારે જાહેરાત કરી છે કે રાજ્યમાં 18 વર્ષથી મોટા તમામ લોકને કોરોના રસી ફ્રી અપાશે.

ઉત્તરપ્રદેશઃ ઉત્તરપ્રદેશમાં રાજ્ય સરકારે 18 વર્ષથી મોટા તમામ લોકોને ફ્રીમાં કોરોના રસી આપવાની જાહેરાત કરી છે.

છત્તીસગઢઃ છત્તીસગઢ સરકારે 1 મેથી 18 વર્ષથી મોટા તમામ લોકોને ફ્રીમાં કોરોના રસી આપવાની જાહેરાત કરી છે. સીએમ ભૂપેશ બધેલે ટ્વીટ કરીને કહ્યું, લોકોના જીવવની રક્ષા માટે આપણે શક્ય તમામ પગલાં ભરીશું. કોરોના વેક્સીનનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે.

આસામઃ આસામે પણ 18 વર્ષથી મોટા તમામ લોકોને ફ્રીમાં રસી આપવાની જાહેરાત કરી છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી હિમંતા બિસ્વ સરમાએ આ અગે ટ્વીટ કર્યુ હતું. આજે જ અમે એક કરોડ ડોઝ માટે ભારત બાયોટેકને ઓર્ડર આપ્યો છે.

બિહારઃ બિહારમાં પહેલાથી જ લોકોને ફ્રી રસી આપવામાં આવી છે. ખાનગી કે સરકારી હોસ્પિટલ તમામ જગ્યાએ ફ્રી રસી આપવામાં આવે છે. બુધવારે સીએમ નીતીશ કુમારે ટ્વીટ કરીને કહ્યુ, રાજ્યમાં તમામ લોકોને ફ્રી રસી અપાશે તેમ કહ્યું હતું.

કેરળઃ કેરળમાં તમામ લોકોને ફ્રી રસી આપાશે. રાજ્યના સીએમે કહ્યું, કોરોના મહામારીના કારણે રાજ્ય નાણાકીય સંકટનો સામનો કરી રહ્યા છે, આ સ્થિતિમાં કેન્દ્રએ રાજ્યોને ફ્રીમાં રસી અપાશે.

13 કરોડથી વધારેને રસી અપાઈ

દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 13 કરોડ 23 લાખ 30 હજાર 644 ડોઝ આપવામાં આવ્યા છે.

અમેરિકાને આટલા ડોઝ આપવામાં 101 દિવસ અને ચીનને 109 દિવસ લાગ્યા હતા.આજે સવારના સાત વાગ્યાના આંકડા પ્રમાણે ભારતમાં 13 કરોડ ડોઝ લોકોને અપાયા છે અને તેમાંથી 29.90 લાખ ડોઝ તો છેલ્લા 24 કલાકમાં લોકોને મુકવામાં આવ્યા છે.અત્યાર સુધી લોકોને જે રસી અપાઈ છે તેમાંથી 59 ટકા ડોઝ દેશના આઠ રાજ્યો મહારાષ્ટ્ર, રાજસ્થાન, યુપી, ગુજરાત, પશ્ચિમ બંગાળ ,કર્ણાટક અને મધ્યપ્રદેશ તથા કેરલમાં અપાયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સરકારી રાહે સંસ્કૃતિનું ચીરહરણ!Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી?Tarnetar Mela Controversy | તરણેતરના મેળામાં અશ્લીલ ડાન્સ મુદ્દે પ્રવાસન મંત્રીએ શું કર્યો ખુલાસો?Vadodara BJP | વડોદરા ભાજપમાં ભડકાના એંધાણ, ભાજપ પ્રમુખની બેફામ બયાનબાજી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
Embed widget