શોધખોળ કરો

સ્તનપાન કરાવતી માતાએ ન લેવી જોઈએ રસી ? કોરોના રસી લેવાથી નપુંસકતા આવી જાય છે ? મોદી સરકારે શું કર્યો ખુલાસો

નેશનલ એક્સપર્ટ ગ્રૂપ ઓન વેક્સિન એડમિનિસ્ટ્રેશન ફોર કોવિડ-19 (એનઈજીવીએસી)એ સ્તનપાન કરાવતી તમામ મહિલાઓ માટે પણ કોવિડ-19 રસીકરણની ભલામણ કરી છે

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનાને નાથવા રસીકરણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ દરમિયાન કોવિડ-19 રસીને કારણે વંધ્યત્વ સંબંધે ચિંતાઓ વ્યક્ત કરતા અને સ્તનપાન કરાવતી મહિલાઓ માટે કોવિડ-19 રસીકરણ સલામત છે કે કેમ એ અંગેના અહેવાલો આવ્યા છે. જે બાદ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ચોખવટ કરી છે કે ઉપલબ્ધ રસીઓમાંની કોઈપણ રસી પુરુષો કે મહિલા બેમાંથી એકેયની ફળદ્રુપતાને અસર કરતી નથી. કારણ કે તમામ રસીઓ અને એના ઘટકોનું પહેલાં પ્રાણીઓ પર અને બાદમાં માનવો પર કોઈ આડઅસર છે કે નહીં તે નક્કી કરવા પરીક્ષણ કરાયું હતું. રસીઓની સલામતી અને અસરકારકતાની ખાતરી થયા બાદ જ આ રસીઓને વપરાશ માટે અધિકૃત કરવામાં આવે છે.

નેશનલ એક્સપર્ટ ગ્રૂપ ઓન વેક્સિન એડમિનિસ્ટ્રેશન ફોર કોવિડ-19 (એનઈજીવીએસી)એ સ્તનપાન કરાવતી તમામ મહિલાઓ માટે પણ કોવિડ-19 રસીકરણની ભલામણ કરી છે અને આને સલામત ગણાવતા કહ્યું છે કે રસીકરણ પહેલાં કે પછી, સ્તનપાન બંધ કરી દેવાની કે અટકાવી દેવાની કોઇ જ જરૂર નથી.

કોવિડ-19 રસીકરણને કારણે વંધ્યત્વ બાબતે પ્રવર્તતી ખોટી માન્યતાઓ પર અંકુશ લાવવા માટે, ભારત સરકારે ચોખવટ કરી છે કે કોવિડ-19 રસીકરણ પુરુષો અને મહિલાઓમાં વંધ્યત્વ લાવી શકે છે એવું સૂચવતા કોઇ પણ વૈજ્ઞાનિક પુરાવાઓ નથી. રસીઓ સલામત અને અસરકારક માલૂમ પડી છે.

 નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રૂપ ઓન ઈમ્યુનાઇઝેશન (એનટીએજીઆઇ)ના કોવિડ-19 કાર્યકારી ગ્રૂપના અધ્યક્ષ ડૉ. એન.કે. અરોરાએ આવા આક્ષેપો અને દહેશતોને રદિયો આપ્યો છે. તેમણે કહ્યું હતું કે ભારતમાં અને વિદેશમાં પોલિયોની રસી આપવા દરમ્યાન પણ એવી ખોટી માહિતી ઊભી કરવામાં આવી હતી કે રસી લેનારા બાળકોને ભવિષ્યમાં વંધ્યત્વનો સામનો કરવો પડશે. તેમણે ખાતરી આપી હતી કે તમામ રસીઓ સઘન વૈજ્ઞાનિક સંશોધનોમાંથી પસાર થાય છે અને આમાંની કોઇ પણ રસીમાં આ પ્રકારની આડઅસર નથી.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ગુજરાતમાં અલ-કાયદા સાથે જોડાયેલા 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ: ATS એ મોટો ખુલાસો કર્યો
ગુજરાતમાં અલ-કાયદા સાથે જોડાયેલા 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ: ATS એ મોટો ખુલાસો કર્યો
અમદાવાદમાં વધુ એક ફ્લાઈટમાં લાગી આગ, ટેક-ઓફ પહેલાં જ પાઈલોટે ‘મેડે’ કોલ આપ્યો, 60 મુસાફરોનો જીવ તાળવે
અમદાવાદમાં વધુ એક ફ્લાઈટમાં લાગી આગ, ટેક-ઓફ પહેલાં જ પાઈલોટે ‘મેડે’ કોલ આપ્યો, 60 મુસાફરોનો જીવ તાળવે
ખેડૂતોનું આંદોલન, રાઘવ ચઢ્ઢાથી લઈને જસ્ટિસ વર્મા સુધી... એ મુદ્દાઓ જેના પર જગદીપ ધનખડે 'લક્ષ્મણ રેખા' પાર કરી
ખેડૂતોનું આંદોલન, રાઘવ ચઢ્ઢાથી લઈને જસ્ટિસ વર્મા સુધી... એ મુદ્દાઓ જેના પર જગદીપ ધનખડે 'લક્ષ્મણ રેખા' પાર કરી
Gujarat Rain: આવતીકાલે ગુજરાતના 6 જિલ્લામાં વરસાદ તબાહી મચાવશે, હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું
Gujarat Rain: આવતીકાલે ગુજરાતના 6 જિલ્લામાં વરસાદ તબાહી મચાવશે, હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું
Advertisement

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : શાબાશ શકુબેન !
Hun To Bolish: હું તો બોલીશ : ભેળસેળિયાઓનું જેલ જવાનું નક્કી !
Hun To Bolish: હું તો બોલીશ : કરપ્શન કરવાનું પણ 'ફિક્સ'?
Aaj No Muddo : સાયબર ફ્રોડથી મહિલાઓ સાવધાન
Fix Pay employees chat viral : હમણા કરપ્શન કરતા નહીં , ફિક્સ પે કર્મીઓના ગ્રુપની વાયરલ ચેટથી હડકંપ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં અલ-કાયદા સાથે જોડાયેલા 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ: ATS એ મોટો ખુલાસો કર્યો
ગુજરાતમાં અલ-કાયદા સાથે જોડાયેલા 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ: ATS એ મોટો ખુલાસો કર્યો
અમદાવાદમાં વધુ એક ફ્લાઈટમાં લાગી આગ, ટેક-ઓફ પહેલાં જ પાઈલોટે ‘મેડે’ કોલ આપ્યો, 60 મુસાફરોનો જીવ તાળવે
અમદાવાદમાં વધુ એક ફ્લાઈટમાં લાગી આગ, ટેક-ઓફ પહેલાં જ પાઈલોટે ‘મેડે’ કોલ આપ્યો, 60 મુસાફરોનો જીવ તાળવે
ખેડૂતોનું આંદોલન, રાઘવ ચઢ્ઢાથી લઈને જસ્ટિસ વર્મા સુધી... એ મુદ્દાઓ જેના પર જગદીપ ધનખડે 'લક્ષ્મણ રેખા' પાર કરી
ખેડૂતોનું આંદોલન, રાઘવ ચઢ્ઢાથી લઈને જસ્ટિસ વર્મા સુધી... એ મુદ્દાઓ જેના પર જગદીપ ધનખડે 'લક્ષ્મણ રેખા' પાર કરી
Gujarat Rain: આવતીકાલે ગુજરાતના 6 જિલ્લામાં વરસાદ તબાહી મચાવશે, હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું
Gujarat Rain: આવતીકાલે ગુજરાતના 6 જિલ્લામાં વરસાદ તબાહી મચાવશે, હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું
કેજરીવાલનું ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં મોટું નિવેદન, કહ્યું - 'ગુજરાતમાં ભાજપ-કૉંગ્રેસ ગઠબંધનની સરકાર'
કેજરીવાલનું ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં મોટું નિવેદન, કહ્યું - 'ગુજરાતમાં ભાજપ-કૉંગ્રેસ ગઠબંધનની સરકાર'
પોસ્ટ ઓફિસમાં મેચ્યોરિટી પછી પૈસા નહીં ઉપાડો તો ખાતું થઈ જશે ફ્રીઝ, નિયમો બદલાયા
પોસ્ટ ઓફિસમાં મેચ્યોરિટી પછી પૈસા નહીં ઉપાડો તો ખાતું થઈ જશે ફ્રીઝ, નિયમો બદલાયા
Ambalal patel: ભારેથી અતિભારે વરસાદની અંબાલાલની ચેતવણી, 10 ઈંચ વરસાદ ખાબકશે
Ambalal patel: ભારેથી અતિભારે વરસાદની અંબાલાલની ચેતવણી, 10 ઈંચ વરસાદ ખાબકશે
Gujarat Rain: આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.