શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
વધતા કોરોનાને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ કયા પ્રકારનો કર્ફ્યૂ લગાવવાની આપી મંજૂરી, જાણો વિગતે
કેન્દ્ર સરકારની ગાઇડલાઇનમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે અફવાઓ પર ધ્યાન ના આપો, દેશમાં હવે લૉકડાઉન નથી લાગી શકતુ, ફક્ત નાઇટ કર્ફ્યૂ લગાવવાની જ પરમીશન છે
![વધતા કોરોનાને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ કયા પ્રકારનો કર્ફ્યૂ લગાવવાની આપી મંજૂરી, જાણો વિગતે coronavirus: centre says states can impose night curfew વધતા કોરોનાને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ કયા પ્રકારનો કર્ફ્યૂ લગાવવાની આપી મંજૂરી, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/26200710/Lock-down-s-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ દેશમાં વધી રહેલા કોરોના કેસોની વચ્ચે ફરી એકવાર લૉકડાઉન અને કર્ફ્યૂની ચર્ચાએ જોર પકડ્યુ છે. કોરોનાને પ્રકોપને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે નવી ગાઇડ લાઇન જાહેર કરી દીધી છે, અને કેટલીય જગ્યાએ પાબંદીઓ લગાવી રાખી છે. ત્યારે આ બધાની વચ્ચે કર્ફ્યૂને લઇને પણ કેન્દ્ર સરકારે ચોખવટ કરી છે. કેન્દ્ર સરકારની ગાઇડલાઇનમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે અફવાઓ પર ધ્યાન ના આપો, દેશમાં હવે લૉકડાઉન નથી લાગી શકતુ, ફક્ત નાઇટ કર્ફ્યૂ લગાવવાની જ પરમીશન છે.
કર્ફ્યૂ અંગે શું કરાઇ ચોખવટ
કેટલાય રાજ્યોમાં કોરોના વાયરસનો ફરીથી ઉથલો માર્યો છે. કેસો સતત વધી રહ્યાં છે. કેન્દ્ર સરકારની ગાઇડલાઇનમાં આ વાતને ધ્યાનમાં રાખીને સાવધાની માટે માત્ર નાઇટ કર્ફ્યૂની પરમીશન આપવામાં આવી છે. કેન્દ્રએ એ સ્પષ્ટતા કરી છે કે રાજ્ય લૉકડાઉન નથી લગાવી શકતા માત્ર નાઇટ કર્ફ્યૂ લગાવી શકે છે.
કયા કયા રાજ્યોમાં વકર્યો છે કોરોના
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 61 ટકા નવા કેસો માત્ર 6 રાજ્યોમાંથી નોંધાયા છે, આમાં કેરાલા, મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ સામેલ છે. કેરાલામાં છેલ્લા 24 કલાકમાં 6,491 કેસો રિપોર્ટ થયા છે. મહારાષ્ટ્રમાં 6,159 અને દિલ્હીમાં 5,246 કેસો સામે આવ્યા છે. વળી પશ્ચિમ બંગાળમાં 3,528, રાજસ્થાનમાં 3,285 અને ઉત્તરપ્રદેશમાં 2,305 નવા કેસો સામે આવ્યા છે.
દેશમાં કોરોનાનો ઉથલો
કોરોના વાયરસે દેશમાંથી ઉથલો માર્યો છે. સંક્રમિત લોકોની સંખ્યા વધીને 92 લાખને પાર પહોંચી ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં 44,489 નવા કેસો સામે આવ્યા છે, અને 524 દર્દીઓના મોત થઇ ગયા છે. આની સાથે ભારતમાં 92,66,705 લોકો સંક્રમિત થયા છે, અને 1,35,223 લોકોના મોત થયા છે. વળી આ સંક્રમણથી અત્યાર સુધી 86,79,138 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion