શોધખોળ કરો
Advertisement
Corona Update: દેશમાં 24 કલાકમાં નોંધાયા 52 હજારથી વધારે કેસ, મૃતકોની સંખ્યા 35 હજાર નજીક
કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ત્રીજો સૌથી પ્રભાવિત દેશ છે. અમેરિકા, બ્રાઝિલ બાદ કોરોના મહામારીથી સૌથી વધારે ભારત પ્રભાવિત છે.
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ વિકરાળ રૂપ ધારણ કરી રહ્યું છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા હવે 16 લાખ નજીક પહોંચી ગઈ છે અને મૃતકોની સંખ્યા 35 હજાર નજીક પહોંચવા આવી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 775 લોકોના મોત થયા છે અને 52,123 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 15,83,792 પર પહોંચી છે અને 34,968 લોકોના મોત થયા છે. 10,20,582 લોકો સાજા થઈ ગયા છે અને 5,28,242 એક્ટિવ કેસ છે.
કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ત્રીજો સૌથી પ્રભાવિત દેશ છે. અમેરિકા, બ્રાઝિલ બાદ કોરોના મહામારીથી સૌથી વધારે ભારત પ્રભાવિત છે. ભારતથી વધારે મામલા અમેરિકા અને બ્રાઝીલમાં છે. એક દિવસમાં સૌથી વધારે મામલા અમેરિકા બાદ ભારતમાં નોંધાઈ રહ્યા છે.
ભારતમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્રમાં દોઢ લાખ જેટલા એક્ટિવ કેસ છે. જે પછી કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધારે છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion