શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
દિલ્હીમાં કોરોના દર્દી પર થયું પ્લાઝ્મા થેરાપીનું ટ્રાયલ, જાણો શું હોય છે આ થેરાપી અને કેવી રીતે કરે છે કામ?
વાસ્તવમાં આપણું લોહી ચાર વસ્તુથી બનેલું છે. રેડ બ્લડ સેલ, વાઇટ બ્લડ સેલ, પ્લેટલેટ્સ અને પ્લાઝ્મા, જેમાંથી પ્લાઝ્મા લોહીનું તરલ હિસ્સો છે.
![દિલ્હીમાં કોરોના દર્દી પર થયું પ્લાઝ્મા થેરાપીનું ટ્રાયલ, જાણો શું હોય છે આ થેરાપી અને કેવી રીતે કરે છે કામ? coronavirus what is plasma therapy and how does it treat દિલ્હીમાં કોરોના દર્દી પર થયું પ્લાઝ્મા થેરાપીનું ટ્રાયલ, જાણો શું હોય છે આ થેરાપી અને કેવી રીતે કરે છે કામ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/24195431/coronavirus-what-is-plasma-therapy-and-how-does-it-treat.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ કોરોના વાયરસના વધતા દર્દીની વચ્ચે દિલ્હીના LNJP હોસ્પિટલના 4 દર્દી પર પ્લાઝ્મા ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે તેના પરિણામ પણ સારા આવી રહ્યા છે. પરંતુ લોકોના મનમાં એ સવાલ વારંવાર ઉઠે છે કે પ્લાઝ્મા થેરાપી શું છે અને તેના દ્વારા દર્દીને કેવી રીતે ઠીક કરી શકાય છે.
વાસ્તવમાં પ્લાઝ્મા ટ્રીટમેન્ટનું નામ ભલે પ્રથમવાર સાંભળવામાં આવી રહ્યું હોય પરંતુ આ કોઇ નવી રીત નથી. આ 130 વર્ષ અગાઉ એટલે કે 1890માં જર્મનીના ફિઝિયોલોજીસ્ટ એમિલ વોન બેહિંગે શોધી હતી. આ માટે તેમને નોબેલ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ મેડિસિન ક્ષેત્રમાં પ્રથમ નોબેલ હતું.
વાસ્તવમાં આપણું લોહી ચાર વસ્તુથી બનેલું છે. રેડ બ્લડ સેલ, વાઇટ બ્લડ સેલ, પ્લેટલેટ્સ અને પ્લાઝ્મા, જેમાંથી પ્લાઝ્મા લોહીનું તરલ હિસ્સો છે. જેની મદદથી જરૂરત પડવા પર એન્ટીબોડી બને છે. કોરોના અટેક બાદ શરીર વાયરસથી લડવાનું શરૂ કરે છે. આ લડાઇ એન્ટીબોડી લડે છે જે પ્લાઝ્માની મદદથી જ બને છે. જો શરીર પર્યાપ્ત એન્ટી બોડી બનાવી લે છે તો કોરોના હારી જાય છે. દર્દી સ્વસ્થ થયા બાદ પણ એન્ટીબોડી પ્લાઝ્મા સાથે શરીરમાં રહે છે જેને ડોનેટ કરી શકાય છે.
જેને એકવખત કોરોના થઇ જાય છે અને બાદમાં સ્વસ્થ થઇ જાય છે તો તેમના શરીરમાં એન્ટીબોડી ડેવલપ થાય છે. આ એન્ટીબોડી તેને ઠીક કરવામાં મદદ કરે છે. એવો વ્યક્તિ રક્તદાન કરે છે. તેમના લોહીમાંથી પ્લાઝ્મા કાઢવામાં આવે છે અને પ્લાઝ્મામાં આવેલા એન્ટીબોડી જ્યારે કોઇ અન્ય દર્દીના શરીરમાં નાખવામાં આવે છે તો બીમાર દર્દીમાં આ એન્ટીબોડી પહોંચી જાય છે અને જેને સ્વસ્થ થવામાં મદદ મળે છે. એક વ્યક્તિમાંથી કાઢેલા પ્લાઝ્માની મદદથી બે લોકોની સારવાર સંભવ થાય છે. કોરોના નેગેટિવ આવ્યાના બે સપ્તાહ બાદ તે પ્લાઝ્મા ડોનેટ કરી શકે છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)