શોધખોળ કરો

Corona Vaccine: કોરોના વેક્સિન અને અચાનક આવતા હાર્ટ અટેક વચ્ચે કોઇ સંબંધ હોઇ શકે? રિસર્ચમાં થયો ખુલાસો

Corona Vaccine: ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને AIIMS એ સંયુક્ત રીતે એક અભ્યાસ હાથ ધર્યો છે, જેના આધારે એવો દાવો કરવામાં આવ્યો છે કે, દેશમાં અચાનક મૃત્યુનું કારણ કોરોના રસી નથી

Corona Vaccine: આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે, દેશની વિવિધ એજન્સીઓએ અચાનક થયેલા મૃત્યુની તપાસ કરી છે અને તપાસમાં જાણવા મળ્યું છે કે, તેમનો કોરોના રસી સાથે કોઈ સીધો સંબંધ નથી. ICMR અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલે પણ તેમના અભ્યાસમાં આ વાતની પુષ્ટિ કરી છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને AIIMS એ સંયુક્ત રીતે એક અભ્યાસ હાથ ધર્યો છે, જેના આધારે એવો દાવો કરવામાં આવ્યો છે કે, દેશમાં અચાનક મૃત્યુનું કારણ કોરોના રસી નથી. દેશમાં 40 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના કેસોમાં વધારો થયો છે અને ખાસ કરીને કોરોના મહામારી પછી, તેમાં નોંધપાત્ર વધારો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પણ પુષ્ટિ આપી છે કે યુવાનોમાં કોરોના રસી અને હાર્ટ એટેક વચ્ચે કોઈ સંબંધ નથી.

કર્ણાટકના મુખ્યમંત્રીના નિવેદન પર સરકારની સ્પષ્ટતા

નોંધનિય છે કે, કર્ણાટકના હસન જિલ્લામાં ઘણા યુવાનોના હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયા છે, ત્યારબાદ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ તેમના એક નિવેદનમાં હૃદયરોગના હુમલા માટે કોરોના રસીને જવાબદાર ઠેરવી હતી, પરંતુ કેન્દ્ર સરકારે તેમના દાવાને ફગાવી દીધો છે. સિદ્ધારમૈયાએ મંગળવારે કહ્યું હતું કે, કોરોના રસીને ઉતાવળમાં મંજૂરી આપવામાં આવી હતી અને પછી રસીનું ઝડપથી વિતરણ કરવામાં આવ્યું હતું, આવી સ્થિતિમાં, શક્ય છે કે કોરોના રસી પણ અચાનક મૃત્યુનું કારણ બની શકે છે. તેમણે લોકોને અપીલ કરતા કહ્યું કે 'જો કોઈને છાતીમાં દુખાવો થાય, અથવા શ્વાસ લેવામાં તકલીફ થાય, તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં તમારી તપાસ કરાવો, આવા કોઇપણ  લક્ષણોને બિલકુલ અવગણશો નહીં.'

સરકારે કહ્યું - અચાનક મૃત્યુના ઘણા કારણો છે

આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે, દેશની વિવિધ એજન્સીઓએ અચાનક મૃત્યુની તપાસ કરી છે અને તપાસમાં જાણવા મળ્યું છે કે, તેમનો કોરોના રસી સાથે કોઈ સીધો સંબંધ નથી. ICMR અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલે પણ તેમના અભ્યાસમાં આ વાતની પુષ્ટિ કરી છે. સરકારે કહ્યું કે કોરોના રસી સલામત અને અસરકારક છે અને તેના ભાગ્યે જ ગંભીર પરિણામો જોવા મળ્યા છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, અચાનક મૃત્યુના ઘણા કારણો હોઈ શકે છે, જેમાં આનુવંશિકતા, આપણી જીવનશૈલી અને દિનચર્યા, કોઈપણ પહેલાથી અસ્તિત્વમાં રહેલી બીમારી અને કોરોનાથી સંક્રમિત થયા પછી સમસ્યાઓનો સમાવેશ થાય છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
Embed widget