શોધખોળ કરો

Corona Vaccine: કોરોના વેક્સિન અને અચાનક આવતા હાર્ટ અટેક વચ્ચે કોઇ સંબંધ હોઇ શકે? રિસર્ચમાં થયો ખુલાસો

Corona Vaccine: ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને AIIMS એ સંયુક્ત રીતે એક અભ્યાસ હાથ ધર્યો છે, જેના આધારે એવો દાવો કરવામાં આવ્યો છે કે, દેશમાં અચાનક મૃત્યુનું કારણ કોરોના રસી નથી

Corona Vaccine: આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે, દેશની વિવિધ એજન્સીઓએ અચાનક થયેલા મૃત્યુની તપાસ કરી છે અને તપાસમાં જાણવા મળ્યું છે કે, તેમનો કોરોના રસી સાથે કોઈ સીધો સંબંધ નથી. ICMR અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલે પણ તેમના અભ્યાસમાં આ વાતની પુષ્ટિ કરી છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને AIIMS એ સંયુક્ત રીતે એક અભ્યાસ હાથ ધર્યો છે, જેના આધારે એવો દાવો કરવામાં આવ્યો છે કે, દેશમાં અચાનક મૃત્યુનું કારણ કોરોના રસી નથી. દેશમાં 40 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના કેસોમાં વધારો થયો છે અને ખાસ કરીને કોરોના મહામારી પછી, તેમાં નોંધપાત્ર વધારો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પણ પુષ્ટિ આપી છે કે યુવાનોમાં કોરોના રસી અને હાર્ટ એટેક વચ્ચે કોઈ સંબંધ નથી.

કર્ણાટકના મુખ્યમંત્રીના નિવેદન પર સરકારની સ્પષ્ટતા

નોંધનિય છે કે, કર્ણાટકના હસન જિલ્લામાં ઘણા યુવાનોના હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયા છે, ત્યારબાદ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ તેમના એક નિવેદનમાં હૃદયરોગના હુમલા માટે કોરોના રસીને જવાબદાર ઠેરવી હતી, પરંતુ કેન્દ્ર સરકારે તેમના દાવાને ફગાવી દીધો છે. સિદ્ધારમૈયાએ મંગળવારે કહ્યું હતું કે, કોરોના રસીને ઉતાવળમાં મંજૂરી આપવામાં આવી હતી અને પછી રસીનું ઝડપથી વિતરણ કરવામાં આવ્યું હતું, આવી સ્થિતિમાં, શક્ય છે કે કોરોના રસી પણ અચાનક મૃત્યુનું કારણ બની શકે છે. તેમણે લોકોને અપીલ કરતા કહ્યું કે 'જો કોઈને છાતીમાં દુખાવો થાય, અથવા શ્વાસ લેવામાં તકલીફ થાય, તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં તમારી તપાસ કરાવો, આવા કોઇપણ  લક્ષણોને બિલકુલ અવગણશો નહીં.'

સરકારે કહ્યું - અચાનક મૃત્યુના ઘણા કારણો છે

આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે, દેશની વિવિધ એજન્સીઓએ અચાનક મૃત્યુની તપાસ કરી છે અને તપાસમાં જાણવા મળ્યું છે કે, તેમનો કોરોના રસી સાથે કોઈ સીધો સંબંધ નથી. ICMR અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલે પણ તેમના અભ્યાસમાં આ વાતની પુષ્ટિ કરી છે. સરકારે કહ્યું કે કોરોના રસી સલામત અને અસરકારક છે અને તેના ભાગ્યે જ ગંભીર પરિણામો જોવા મળ્યા છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, અચાનક મૃત્યુના ઘણા કારણો હોઈ શકે છે, જેમાં આનુવંશિકતા, આપણી જીવનશૈલી અને દિનચર્યા, કોઈપણ પહેલાથી અસ્તિત્વમાં રહેલી બીમારી અને કોરોનાથી સંક્રમિત થયા પછી સમસ્યાઓનો સમાવેશ થાય છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
Tata અને Maruti ની કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! લીસ્ટમાં Harrier, Punch, Fronx અને Invicto સામેલ
Tata અને Maruti ની કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! લીસ્ટમાં Harrier, Punch, Fronx અને Invicto સામેલ

વિડિઓઝ

Goa night club fire: ગોવાની નાઈટ ક્લબમાં અગ્નિકાંડમાં 25નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
Tata અને Maruti ની કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! લીસ્ટમાં Harrier, Punch, Fronx અને Invicto સામેલ
Tata અને Maruti ની કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! લીસ્ટમાં Harrier, Punch, Fronx અને Invicto સામેલ
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
Anandiben Patel on Education System: ‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
Ahmedabad PMLA Court: પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
Embed widget