શોધખોળ કરો

8 જૂનથી બદલાઈ જશે ભક્તિ કરવાની રીતભાત, મંદિરોમાં આ વસ્તું નહીં મળે, મૂર્તિને સ્પર્શ નહીં કરી શકાય

અનલોક શરૂ થતા જ દેશમાં મંદિર મસ્જિદ ગુરુદ્વારા અને ગિરજાઘરો માટે નવા નિયમો લાગુ થશે.

નવી દિલ્હીઃ કોરોના મહામારીની વચ્ચે ઘણુંબધું બદલાઈ ગયું છે અને હજુ પણ ઘણાં ફેરફાર આવવાના છે. હવે તમારી આસ્થા અને ભક્તિની રીતભાત પણ બદલાઈ જવાની છે જેની શરૂઆત 8 જૂનથી થવા જઈરહી છે. 8 જૂનથી કન્ટેનમેન્ટ ઝોનની બહાર દેશના ધાર્મિક સ્થળો ખોલવાની સરકારે મંજૂરી આપી દીધી છે. હવે તેના માટે એક નવી ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવી છે. મંદિરમાં, મસ્જિદમાં, ગુરુદ્વારા અથવા ચર્ચ જ્યાં પણ તમે પૂજા અથવા ઇબાદત કરો છો ત્યાં હવે બધું પહેલા જેવું નહીં રહે. 8 જૂનથી ધાર્મિક સ્થળોમાં શું શું બદલાઈ જશે? અનલોક શરૂ થતા જ દેશમાં મંદિર મસ્જિદ ગુરુદ્વારા અને ગિરજાઘરો માટે નવા નિયમો લાગુ થશે. કોરોના કાળમાં હાલમાં મંદિરોની અંદર હવે શ્રદ્ધાળુઓને ન તો પ્રસાદ મળશે, કે ન તો ચરણામૃત વહેંચવામાં આવશે. 8 જૂનથી ધાર્મિક સ્થળો ખોલવાને લઈને કેન્દ્ર સરકાર તરફથી જે નવી ગાઈડલાઈન આવી છે તેમાં અનેક પ્રકારના પ્રતિબંધોનો ઉલ્લેખ છે. નવી ગાઈડલાઈન અનુસાર જોતમે મંદિરમાં જઈ રહ્યા છો તો મૂર્તિઓને સ્પર્શ નહીં કરી શકો. ધાર્મિક પુસ્તકો અથવા પૂજા સ્થળને સ્પર્શ કરવાની પણ મનાઈ હશે. મંદિરોમાં મોટેભાગે લાગતી લાઈનો પણ કોરોનાકાળમાં બદલાઈ જશે. ધાર્મિક સ્થલોમાં ભીડની મનાઈ છે. એટલું જ નહીં જો તમે ધાર્મિક સ્થળ પર લાઈનમાં ઉભા છો તો એક બીજાથી અંદાજે 6 ફૂટથી વધારે અંતર રાખવું જરૂરી છે. શ્રદ્ધાળુઓ માટે માસ્ક અથવા ફેસ કવર કરવાનું ફરજિયાત હશે. તમારા ફોન પર આરોગ્ય સેતુ એપ રાખવાની પણ સલાહ આપવામાં આવી છે જે. સરકારની નવી ગાઈડલાઈનમાં ધાર્મિક સ્થળોને પણ કેટલાક જવાબદારી આપવામાં આવી છે. ધાર્મિક સ્થલોમાં આવનાર દરેક શ્રદ્ધાળુનું થર્મલ સ્ક્રીનિંગ કરવાનું રહેશે. પ્રવેશ દ્વાર પર અને બહાર નીકળવાના રસ્તા પર હેન્ડ સેનેટાઈઝરની સુવિધા રાખવી પડશે. શ્રદ્ધાળુઓની લાઈન હોય તે જગ્યાએ માર્કિંગ કરવામાં આવશે. ધાર્મિક સ્થળોમાં આવવા જવા માટે અલગ રસ્તાની વ્યવસ્થા થાય. સરકારની નવી ગાઇડલાઈનમાં ધાર્મિક સ્થળોની અંદર જતા પહેલા હાથ અને પગ સાબુથી ધોવાની સલાહ પણ આપવામાં આવી છે. મંદિર પરિસરમાં આવેલી દુકાનોમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે.

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget