![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Vaccine : કોરોનાની રસી સુરક્ષીત કે પછી થાય છે ગંભીર સાઈડ ઈફેક્ટ? લોકોના ટપોટપ મોત બાદ ઉઠ્યા સવાલ
હવે મ્યોકાર્ડિટિસ (હૃદયની બળતરા) ને બીજા કોવિડ ડોઝ સાથે જોડતા અભ્યાસો પણ સામે આવ્યા છે. જાહેર છે કે, COVID-19 રોગચાળો ડિસેમ્બર 2019 માં શરૂ થયો હતો.
![Vaccine : કોરોનાની રસી સુરક્ષીત કે પછી થાય છે ગંભીર સાઈડ ઈફેક્ટ? લોકોના ટપોટપ મોત બાદ ઉઠ્યા સવાલ Covid 19 Vaccines Are Safe Or Do They Have Any Side Effects Experts Opinion Vaccine : કોરોનાની રસી સુરક્ષીત કે પછી થાય છે ગંભીર સાઈડ ઈફેક્ટ? લોકોના ટપોટપ મોત બાદ ઉઠ્યા સવાલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/11/11bf1867d454b467a668f88639bf46e2167076821576381_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Covid 19 Vaccines Side Effects : છેલ્લા કેટલાક સમયથી અચાનક દેશમાં હાર્ટ એટેકથી મૃત્યુના કેસ સતત વધી રહ્યા છે. આ મોત પાછળનું સાચું કારણ શું છે? અત્યાર સુધી આ અંગે ભારત સરકાર દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી, પરંતુ કોરોના વેક્સીનને લઈને ચોક્કસ સવાલો ઉભા થવા લાગ્યા છે.
હવે મ્યોકાર્ડિટિસ (હૃદયની બળતરા) ને બીજા કોવિડ ડોઝ સાથે જોડતા અભ્યાસો પણ સામે આવ્યા છે. જાહેર છે કે, COVID-19 રોગચાળો ડિસેમ્બર 2019 માં શરૂ થયો હતો અને વિશ્વભરના દેશો તેના ભરડામાં આવ્યા હતાં. વાયરસ સામે લડવાનો એકમાત્ર રસ્તો એક રસી વિકસાવવાનો હતો જે રોગપ્રતિકારક તંત્રને કોરોનાના ચેપ સામે રક્ષણ પૂરું પાડે. આ રસી શરીરની અનુકૂલનશીલ રોગપ્રતિરક્ષાને વિકસીત કરે છે અને રોગને અટકાવે છે. જેથી રોગચાળાના નિયંત્રણને સુનિશ્ચિત કરવા COVID-19 રસી વિકસાવવી જરૂરી હતી. જે વિકસાવવામાં પણ આવી. આ રસી ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં અબજો લોકોને આપવામાં આવી હતી.
જાણો કોવિડ રસીની આડ અસરો
COVID-19 રસીઓ બનાવવા માટે આરોગ્ય એજન્સીઓ, યુનિવર્સિટીના સંશોધકો અને તબીબી કંપનીઓએ અનેક સંસાધનો હાથ ધર્યા હતાં. પરંતુ આ તમમ રસીની અસરકારકતા અને સલામતી અંગે હજુ પણ કેટલીક અનિશ્ચિતતાઓ રહેલી છે જ. કોવિડ-19 રસીની સૌથી સામાન્ય આડ અસરોમાં થાક (58.20 ટકા), ઈન્જેક્શનના સ્થળે દુખાવો અને સોજો (53.45 ટકા), માથાનો દુખાવો (46.99 ટકા), ઊંઘ અને સુસ્તી (45.36 ટકા), શરદી (43.87 ટકા), માયાલ્જીયા (43.87 ટકા), સાંધાનો દુખાવો (41.48 ટકા), અને તાવ (37.37 ટકા) સામે આવી છે. વધુમાં COVID-19 રસીના ડોઝની સંખ્યા અને પરિણામી આડઅસરોની સંખ્યા (પી 0.001) વચ્ચે નોંધપાત્ર સંબંધ છે. પ્રથમ ડોઝ પછી આડઅસરો વધુ નોંધપાત્ર બની છે.
નિષ્ણાતોનો શું મત?
યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, બીજા ડોઝ બાદ આડઅસરો વધુ ગંભીર બની શકે છે. તેવી જ રીતે રસીનો બીજો ડોઝ (P 0.001) લેનારાઓમાં COVID-19ના ચેપની વૃત્તિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, એટલે કે તેઓએ સંપૂર્ણ રસીકરણ મેળવ્યું હતું. મ્યોકાર્ડિટિસ જે હૃદયના સ્નાયુઓની બળતરા છે, તે જાણવા મળ્યું છે કે જેમણે પણ COVID-19 રસી લીધી છે તેમનામાં COVID-19 વાયરસને કારણે થતા ગંભીર તીવ્ર શ્વસન સિન્ડ્રોમ વધુ હતો. જો કે ક્રમશઃ રસીના ડોઝને અનુસરતા યુવાન લોકોમાં જોખમ ઓછું ધ્યાને આવ્યું છે. અમેરિકામાં નિષ્ક્રિય સર્વેલન્સ રિપોર્ટિંગના આધારે એમઆરએનએ-આધારિત કોવિડ-19 રસી લીધા બાદ વિવિધ વય અને લિંગ જૂથોમાં મ્યોકાર્ડિટિસનું જોખમ વધ્યું હતું. કિશોર વયના પુરુષો અને યુવાન પુરુષોમાં બીજા ટીકાકરણ બાદ તે સૌથી વધુ હતું. આ જોખમને COVID-19 રસીકરણના ફાયદાના સંદર્ભમાં ધ્યાનમાં લેવું જોઈએ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)