શોધખોળ કરો

Cyclone Michaung: તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં મિચોંગનો કહેર, ચેન્નઇમાં પાંચ લોકોના મોત

Cyclone Michaung: તીવ્ર ચક્રવાતી વાવાઝોડું મંગળવારે સવારે નેલ્લોર અને મછલીપટ્ટનમ વચ્ચે દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના છે.

Cyclone Michaung:  ચક્રવાત મિચોંગ દેશના દક્ષિણી રાજ્યો તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં તબાહી મચાવી રહ્યું છે. ચેન્નઈમાં ભારે તોફાન અને ભારે વરસાદને કારણે 5 લોકોના મોત થયા છે. આ સાથે જ ઘણી ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહે તમિલનાડુના સીએમ સાથે વાત કરી છે અને તમામ શક્ય મદદની ખાતરી આપી છે. ચક્રવાત મિચોંગ પૂર્વ કિનારે પહોંચતા ભારે વરસાદને કારણે ચેન્નઈમાં જનજીવન ખોરવાઈ ગયું છે. તેને ધ્યાનમાં રાખીને 12 ફ્લાઈટ રદ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ચક્રવાત આજે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. તીવ્ર ચક્રવાતી વાવાઝોડું મંગળવારે સવારે નેલ્લોર અને મછલીપટ્ટનમ વચ્ચે દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના છે.

ચક્રવાતી તોફાન આજે બાપટલા કિનારે પહોંચવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડીએ અધિકારીઓને રાહત પગલાં લેવાના નિર્દેશ આપ્યા છે. ગંભીર ચક્રવાતી વાવાઝોડાની અસરને કારણે આંધ્રપ્રદેશમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે 8 જિલ્લાઓ - તિરુપતિ, નેલ્લોર, પ્રકાશમ, બાપટલા, કૃષ્ણા, પશ્ચિમ ગોદાવરી, કોનસીમા અને કાકીનાડા માટે ચેતવણી જાહેર કરી છે.

સમીક્ષા બેઠકમાં સીએમ રેડ્ડીએ અધિકારીઓને જીવન અને સંપત્તિના નુકસાનને ટાળવા માટે તોફાનને એક મોટા પડકાર તરીકે લેવાના નિર્દેશ આપ્યા હતા. તોફાન દરમિયાન પ્રતિ કલાક 110 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી અપેક્ષા છે. રેડ્ડીએ જણાવ્યું હતું કે ચક્રવાતથી પ્રભાવિત તમામ જિલ્લાઓ માટે વિશેષ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. બચાવ અને રાહત કામગીરી માટે 2 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. વિશેષ અધિકારીઓ કલેક્ટર સાથે સંકલનમાં રહીને કામ કરશે અને જો વધુ ભંડોળની જરૂર પડશે તો સરકાર તેની વ્યવસ્થા કરશે.

રેડ્ડીએ જણાવ્યું હતું કે જો કોઈપણ વિસ્તારમાં નાગરિક સુવિધાઓ પર પ્રતિકૂળ અસર થાય છે તો અધિકારીઓએ તેને તાત્કાલિક યોગ્ય કરવી જોઈએ. મુખ્યમંત્રી કાર્યાલયના એક નિવેદન અનુસાર, તીવ્ર ચક્રવાતી તોફાન મંગળવારે બપોરના સુમારે બાપટલા પહોંચવાની ધારણા છે, જેમાં 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

તિરુપતિ એરપોર્ટના ડાયરેક્ટર કેએમ બસવરાજુએ જણાવ્યું કે ખરાબ હવામાનને કારણે સોમવારે તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. અવિરત વરસાદને કારણે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે ભક્તોને શ્રી કપિલતીર્થમ ધોધમાં પવિત્ર સ્નાન કરવાથી અસ્થાયી રૂપે રોક લગાવી દેવામાં આવી છે

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'હિન્દુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી': RSSની નોંધણી અને કરમુક્તિ વિવાદ પર મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો કેમ કહી આ વાત
'હિન્દુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી': RSSની નોંધણી અને કરમુક્તિ વિવાદ પર મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો કેમ કહી આ વાત
અમદાવાદમાં ઝડપાયેલા આતંકીઓને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ, દેશમાં પહેલીવાર 'પોઇઝન એટેક'નું કાવતરું!
અમદાવાદમાં ઝડપાયેલા આતંકીઓને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ, દેશમાં પહેલીવાર 'પોઇઝન એટેક'નું કાવતરું!
Maharashtra: ઠાકરે પરિવારના ઘર પર ડ્રોન  ઉડતા મચ્યો હડકંપ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
Maharashtra: ઠાકરે પરિવારના ઘર પર ડ્રોન ઉડતા મચ્યો હડકંપ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Advertisement

વિડિઓઝ

Gujarat ATS: ગાંધીનગર પાસેથી  ઝડપાયેલા આતંકીઓને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ
Banaskantha News: બનાસકાંઠા જિલ્લામાં યુરિયા ખાતરની અછત, ખાતર ડેપો બહાર ખેડૂતોની લાંબી લાઈન
Cyber Fraud Case: સાયબર ફ્રોડ ગેંગનું પાકિસ્તાન કનેક્શન , USDTથી પાકિસ્તાન મોકલતા નાણા
Gujarat Weather Update: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 12 શહેરોમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન
Gujarat ATS: ગુજરાત ATSએ કરી મોટી કાર્યવાહી, આતંકી પ્રવૃત્તિ માટે આવેલા 3 શંકાસ્પદોની અટકાયત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હિન્દુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી': RSSની નોંધણી અને કરમુક્તિ વિવાદ પર મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો કેમ કહી આ વાત
'હિન્દુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી': RSSની નોંધણી અને કરમુક્તિ વિવાદ પર મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો કેમ કહી આ વાત
અમદાવાદમાં ઝડપાયેલા આતંકીઓને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ, દેશમાં પહેલીવાર 'પોઇઝન એટેક'નું કાવતરું!
અમદાવાદમાં ઝડપાયેલા આતંકીઓને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ, દેશમાં પહેલીવાર 'પોઇઝન એટેક'નું કાવતરું!
Maharashtra: ઠાકરે પરિવારના ઘર પર ડ્રોન  ઉડતા મચ્યો હડકંપ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
Maharashtra: ઠાકરે પરિવારના ઘર પર ડ્રોન ઉડતા મચ્યો હડકંપ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
આજે જૂનાગઢનો મુક્તિ દિવસ,CM એ આરઝી હકુમતના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું શાલ ઓઢાડી કર્યું સન્માન
આજે જૂનાગઢનો મુક્તિ દિવસ,CM એ આરઝી હકુમતના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું શાલ ઓઢાડી કર્યું સન્માન
દાદી પાસે સુતી હતી માસુમ....મચ્છરદાની કાપીને કર્યું અપહરણ પછી કર્યો બળાત્કાર, બીજા દિવસે લોહીથી લથપથ મળી લાશ
દાદી પાસે સુતી હતી માસુમ....મચ્છરદાની કાપીને કર્યું અપહરણ પછી કર્યો બળાત્કાર, બીજા દિવસે લોહીથી લથપથ મળી લાશ
રાજકોટ આહિર સમાજનો ક્રાંતિકારી નિર્ણય: પ્રિ-વેડિંગ ફોટોશૂટ, કંકુ પગલાં અને ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ
રાજકોટ આહિર સમાજનો ક્રાંતિકારી નિર્ણય: પ્રિ-વેડિંગ ફોટોશૂટ, કંકુ પગલાં અને ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ
હવે બેંક ખાતા વગર પણ ચાલશે UPI! બાળકો પણ કરી શકશે ઓનલાઈન પેમેન્ટ; જાણો સંપૂર્ણ વિગતો
હવે બેંક ખાતા વગર પણ ચાલશે UPI! બાળકો પણ કરી શકશે ઓનલાઈન પેમેન્ટ; જાણો સંપૂર્ણ વિગતો
Embed widget