શોધખોળ કરો

ભક્તે દાનપેટીમાં 100 કરોડનો ચેક નાખ્યો, મંદિર સંચાલકો બેંક પહોંચ્યા તો ખાતામાં હતા આટલા રુપિયા....

મંદિરને દાનમાં ચેક મળ્યો તેને લઈ હાલ તો સોશિયલ મીડિયામાં જોરદાર ચર્ચા ચાલી રહી છે .

Devotee gives Rs 100 crore cheque : ભક્તો દ્વારા અવારનવાર મંદિરોમાં દાન કરવામાં આવે છે. દાનમાં ભક્તો સોનુ-ચાંદી અને રોકડ રકમ પણ આપતા હોય છે. આંધ્ર પ્રદેશના એક મંદિરમાં દાનમાં ચેક મળ્યો હતો. આ ચેકને લઈ લઈ હાલ તો સોશિયલ મીડિયામાં જોરદાર ચર્ચાઓ ચાલી રહી છે .  આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમના શ્રી વરાહ લક્ષ્મી નરસિંહ સ્વામી વારી દેવસ્થાનમ મંદિરનું મેનેજમેન્ટ ચોંકી ગયું જયારે તેમને દાન પેટીમાંથી 100 કરોડ રૂપિયાનો ચેક મળ્યો.   જ્યારે મંદિરના અધિકારીઓએ આ ચેકને બેન્કમાં  મોકલ્યો ત્યારે ભક્તના ખાતામાં માત્ર 17 રૂપિયા હતા. હાલ તો સોશિયલ મીડિયામાં આ ચેકની તસવીર જોરદાર વાયરલ થઈ રહી છે.  


ભક્તે દાનપેટીમાં 100 કરોડનો ચેક નાખ્યો, મંદિર સંચાલકો બેંક પહોંચ્યા તો ખાતામાં હતા આટલા રુપિયા....

ભક્તે દાનપેટીમાં 100 કરોડ રૂપિયાનો ચેક જમા કર્યો હતો

આંધ્ર પ્રદેશના સિંહાચલમ સ્થિત શ્રી નસિમ્હા સ્વામી મંદિરમાં એક ભક્તે દાનપેટીમાં 100 કરોડ રૂપિયાનો ચેક જમા કર્યો હતો. ચેકની તસવીર ગુરૂવારે સોશિયલ મીડિયા પર સામે આવી છે. ચેક પર બોડ્ડેપલ્લી રાધાકૃષ્ણનની સહી હતી. ભક્તે ચેક પર તારીખ લખી નથી. આ ચેક  કોટક મહિન્દ્રા બેન્કનો છે. ચેકથી ખ્યાલ આવે છે કે ભક્ત વિશાખાપટ્ટનમમાં બેન્કની શાખામાં ખાતાધારક છે.  જ્યારે મંદિર સંસ્થાના અધિકારીઓને દાનમાં ચેક મળ્યો  ત્યારે તેઓ તેને કાર્યકારી અધિકારી પાસે લઈ ગયા.  અધિકારીઓને સંબંધિત બેંક શાખામાં તપાસ કરવા કહ્યું કે શું ચેક આપનારના ખાતામાં ખરેખર 100 કરોડ રૂપિયા છે ? બેંક અધિકારીઓએ મંદિર સંસ્થાને જાણ કરી કે જે વ્યક્તિએ ચેક ઈશ્યુ કર્યો તેના ખાતામાં માત્ર 17 રૂપિયા હતા. મંદિરના સત્તાવાળાઓ દાતાની ઓળખ માટે બેંકની મદદ લેવાનું વિચારી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે જો દાતાનો ઈરાદો મંદિર સત્તાવાળાઓ સાથે છેતરપિંડી કરવાનો હતો તો બેંકને તેની સામે ચેક બાઉન્સનો કેસ શરૂ કરવા વિનંતી કરવામાં આવી શકે છે. ભક્તની આ હરકતને કારણે ઈન્ટરનેટ પર  જોરદાર ચર્ચાઓ શરૂ થઈ છે. સોશિયલ મીડિયા પર લોકો આ ભક્ત પર અલગ-અલગ પ્રકારની ટિપ્પણીઓ કરી રહ્યા છે.           

જો કે આ અંગે કોઇ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. એવું માનવામાં આવે છે કે કોઈએ મજાકમાં આટલી મોટી રકમનો ચેક મંદિરની દાનપેટીમાં મૂકી દીધો હતો.  

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget