શોધખોળ કરો

Canada Row: કેનેડા સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે ટીવી ચેનલોને આપી સલાહ, આ લોકોને ટીવી ડિબેટમાં ન બોલાવો

Canada Row: કેનેડા સાથે ચાલી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે માહિતી અને પ્રસારણ મંત્રાલયે મીડિયા પ્લેટફોર્મને કડક એડવાયઝરી જારી કરી છે. સરકારે ટીવી ચેનલોને દેશના દુશ્મનોને ડિબેટમાં આમંત્રિત ન કરવાની સલાહ આપી છે.

Canada Row: કેનેડા સાથે ચાલી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે માહિતી અને પ્રસારણ મંત્રાલયે મીડિયા પ્લેટફોર્મને કડક એડવાયઝરી જારી કરી છે. સરકારે ટીવી ચેનલોને દેશના દુશ્મનોને ડિબેટમાં આમંત્રિત ન કરવાની સલાહ આપી છે. મંત્રાલયે કહ્યું કે તાજેતરમાં એવા વ્યક્તિઓને ટીવી પર ચર્ચા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા જેમની સામે ગંભીર ગુનાહિત કેસ નોંધાયેલા છે.

ગુરુવારે જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, મંત્રાલયના ધ્યાન પર આવ્યું છે કે એક વિદેશી વ્યક્તિને ટેલિવિઝન ચેનલ પર ચર્ચા માટે આમંત્રિત કરવામાં આવ્યો હતો. આ વ્યક્તિ વિરુદ્ધ આતંકવાદ સહિતના ગંભીર ગુના નોંધાયેલા છે અને ભારતમાં કાયદા દ્વારા પ્રતિબંધિત છે. આ વ્યક્તિએ ઘણી ટિપ્પણીઓ કરી હતી જે દેશની સાર્વભૌમત્વ/અખંડિતતા, ભારતની સુરક્ષા, એક વિદેશી દેશ સાથે ભારતના મૈત્રીપૂર્ણ સંબંધો માટે પ્રતિકૂળ હતી. તેનાથી દેશમાં જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચવાની પણ સંભાવના હતી.

 

ટેલિવિઝન ચેનલોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના એજન્ડા માટે આવી પૃષ્ઠભૂમિની વ્યક્તિઓને કોઈપણ પ્લેટફોર્મ આપવાનું ટાળે, એમ એક સત્તાવાર રિલીઝમાં જણાવાયું છે. આમાં એવા લોકોનો પણ સમાવેશ થાય છે જેમની સામે ગંભીર ગુના/આતંકવાદના આરોપો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, સરકાર મીડિયાની સ્વતંત્રતા જાળવી રાખે છે અને બંધારણ હેઠળ તેના અધિકારોનું સન્માન કરે છે, ટીવી ચેનલો દ્વારા પ્રસારિત કરવામાં આવતી સામગ્રીને સીટીએન એક્ટ, 1995નું પાલમ કરવું જોઈએ, જેમાં કલમ 20 ની પેટા-કલમ (2) સામેલ છે.

ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધ્યો છે. પહેલા બંને દેશોના રાજદ્વારીઓને દેશમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. હવે ભારત સરકારે કેનેડાના નાગરિકો માટે વિઝા સેવાઓ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે. કેનેડાના વડાપ્રધાને ભારત પર ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવતા બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. સરકારનું આ નોટિફિકેશન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને રાજદ્વારી વિવાદ ચાલી રહ્યો છે. નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની 'સંભવિત' સંડોવણીના કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના આરોપોને પગલે વિવાદ ફાટી નીકળ્યો હતો. ભારતે મંગળવારે આરોપોને "વાહિયાત" અને "પ્રેરિત" ગણાવીને ફગાવી દીધા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget