શોધખોળ કરો

Election Survey: મમતા સાથે 2024માં 'ખેલા હોબે'!!! NDAએ મારી શકે છે બાજી

તાજેતરમાં એક સર્વે કર્યો હતો જેમાં દેશનો મૂડ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સર્વેમાં દેશભરમાં 1.39 લાખથી વધુ લોકએ ભાગ લીધો હોવાનો દાવો કરવામાં આવ્યો છે

Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીને આડે માંડ એક વર્ષ બાકી છે. તમામ પક્ષોએ પોતાના રથને ચૂંટણીના મેદાન તરફ વાળ્યા છે. પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએ ત્રીજી વખત સ્પષ્ટ બહુમતિ સાથે જીતવા પ્રયાસ કરી રહી છે, તો પીએમ બનવાની આશા રાખતા અન્ય ઘણા ચહેરાઓ પુરી તાકાત લગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મમતા બેનર્જીનું નામ પણ તેમાંથી એક છે. આ દરમિયાન એક સર્વે આવ્યો સામે છે જેના પરિણામો મમતા બેનર્જીની આશાઓ પર પાણી ફેરવતો સાબિત થઈ શકે છે.

સી વોટર અને ઈન્ડિયા ટુડેએ તાજેતરમાં એક સર્વે કર્યો હતો જેમાં દેશનો મૂડ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સર્વેમાં દેશભરમાં 1.39 લાખથી વધુ લોકએ ભાગ લીધો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સર્વેના પરિણામો મમતા બેનર્જી માટે ખરાબ સમાચાર લઈને આવ્યા છે. સર્વે મુજબ રાજ્યમાં એનડીએની બેઠકો વધી રહી છે. માત્ર છ મહિનામાં રાજ્યનું સમગ્ર ચિત્ર જ બદલાતુ દર્શાવવામાં આવતા મમતા બેનરજીની ઉંઘ ઉડી શકે છે.

સર્વેમાં એનડીએને જબ્બર ફાયદો

પશ્ચિમ બંગાળમાં લોકસભાની 42 બેઠકો છે. 2019ની લોકસભા ચૂંટણીમાં NDAએ શાનદાર પ્રદર્શન કરતા 18 બેઠકો કબજે કરી હતી. જ્યારે શાસક તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને રાજ્યમાં માત્ર 22 બેઠકો મળી હતી. પરંતુ જાન્યુઆરી 2023માં આવેલા તાજેતરના સર્વેમાં NDAની બેઠકો વધી રહી હોવાનું દર્શાવવામાં આવ્યું છે.

સર્વે અનુસાર પશ્ચિમ બંગાળમાં એનડીએને 20 સીટો મળવાની આશા છે. માત્ર 6 મહિના પહેલા કરવામાં આવેલા સર્વેમાં ભાજપ રાજ્યમાં બે આંકડાને પણ સ્પર્શી શક્યું ન હતું. ઓગસ્ટ 2022માં આ જ એજન્સીએ સર્વે કર્યો હતો. તે સમયે એનડીએને માત્ર 7 બેઠકો મળવાનો અંદાજ હતો.

મમતા માટે ખતરાની ઘંટડી

સર્વેમાં NDAની બેઠકો જે રીતે વધી છે તે TMC સુપ્રીમો મમતા બેનર્જી માટે ખતરાની ઘંટડી સમાન છે. 2021માં યોજાયેલી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં TMC એકતરફી જીતી હતી. રાજ્યની 284 સીટોમાંથી 211 સીટો ટીએમસીના ખાતે ગઈ હતી. પરંતુ જો તાજેતરના સર્વે પર નજર નાખવામાં આવે તો લોકસભાની ચૂંટણીમાં TMCની લોકપ્રિયતા ઘટી છે અને ભાજપ તરફ લોકોનો ઝુકાવ વધ્યો છે.

વિરોધ પક્ષના નેતા બનવાની રેસમાં મોખરે

મમતા બેનર્જી માટે રાહતની વાત છે કે, વિપક્ષના નેતા તરીકે તેમને પસંદ કરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. જાન્યુઆરી 2022ના સર્વેમાં 17 ટકા લોકોએ મમતા બેનર્જી વિપક્ષના નેતા બનવાની સંભાવના દર્શાવી હતી, જે એક વર્ષ પછી જાન્યુઆરી 2023માં વધીને 20 ટકા થઈ ગઈ છે.

દેશમાં કોણ?

સર્વે અનુસાર જો આજે લોકસભાની ચૂંટણી યોજાય તો 298 સીટો સાથે ફરી એનડીએની સરકાર બનશે. કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએને 153 બેઠકો મળી શકે છે. જ્યારે અન્ય પક્ષોને 92 બેઠકો મળવાનું અનુમાન છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget