શોધખોળ કરો

Fact Check: અરવિંદ કેજરીવાલે પોતાને ક્યારેય નથી ગણાવ્યા RSSના સભ્ય, એડિટેડ ક્લિપ વાયરલ

Fact Check: ઘણા લોકો આ પોસ્ટ શેર કરી રહ્યા છે અને કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની મજાક ઉડાવી રહ્યા છે.

Fact Check:  દિલ્હી વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને ચૂંટણી પંચે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. દરમિયાન સોશિયલ મીડિયા પર પણ ખોટી માહિતી ફેલાવા લાગી છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અરવિંદ કેજરીવાલ કથિત રીતે કહેતા જોવા મળી રહ્યા છે કે તેઓ અને તેમનો પરિવાર વર્ષોથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય છે. ઘણા લોકો આ પોસ્ટ શેર કરી રહ્યા છે અને કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની મજાક ઉડાવી રહ્યા છે.

વિશ્વાસ ન્યૂઝે પોતાની તપાસમાં શોધી કાઢ્યું કે આ દાવો ખોટો છે. વાસ્તવમાં આ વિડીયો એડિટ કરવામાં આવ્યો છે. આ ક્લિપ 3 ફેબ્રુઆરી, 2020ના રોજ કેજરીવાલે NDTV ને આપેલા ઇન્ટરવ્યૂમાંથી લેવામાં આવી છે. ઇન્ટરવ્યૂમાં તેઓ એક ભૂતપૂર્વ ભાજપ સમર્થક વિશે વાત કરી રહ્યા હતા જેમણે કહ્યું હતું કે તેઓ દિલ્હી રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મત આપશે.

શું વાયરલ થઈ રહ્યું છે?

વાયરલ વીડિયો શેર કરતા મિહિર રોય નામના ફેસબુક યુઝર દાવો કરી રહ્યા છે કે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક ઇન્ટરવ્યૂમાં સ્વીકાર્યું છે કે તેઓ અને તેમનો પરિવાર RSS સાથે સંકળાયેલા છે.

પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં છે. 


Fact Check: અરવિંદ કેજરીવાલે પોતાને ક્યારેય નથી ગણાવ્યા RSSના સભ્ય, એડિટેડ ક્લિપ વાયરલ

તપાસ

આ વીડિયો પહેલા પણ એક વાર વાયરલ થયો હતો અને તે સમયે પણ વિશ્વાસ ન્યૂઝે આ દાવાની તપાસ કરી હતી. તે સમયે આ પોસ્ટની તપાસ કરવા માટે અમે કીફ્રેમ્સને ગૂગલ રિવર્સ ઈમેજ પર સર્ચ કર્યું હતું. અમને આખો વીડિયો 4 ફેબ્રુઆરી, 2020ના રોજ NDTVની સત્તાવાર YouTube ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો. વીડિયો સાથે લખ્યું હતું કે આ વીડિયો 3 ફેબ્રુઆરીના રોજ લાઈવ સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો. વીડિયો શરૂ થયાના 7 મિનિટ 16 સેકન્ડમાં કેજરીવાલ કહી રહ્યા છે કે “હું એક ટીવી ચેનલ પર જોઈ રહ્યો હતો જ્યાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના એક સમર્થક કહી રહ્યા હતા કે અમારો પરિવાર એક જનસંઘનો પરિવાર છે, અમે જન્મથી ભાજપના સભ્યો તરીકે પેદા થયા છીએ. મારા પિતા જનસંઘમાં હતા અને કટોકટી દરમિયાન જેલમાં ગયા હતા. પણ તેમણે કહ્યું કે તેઓ આ વખતે કેજરીવાલને મત આપશે.


Fact Check: અરવિંદ કેજરીવાલે પોતાને ક્યારેય નથી ગણાવ્યા RSSના સભ્ય, એડિટેડ ક્લિપ વાયરલ

અમે આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રવક્તા સૌરભ ભારદ્વાજ સાથે પણ વાત કરી. તેમણે આ દાવાને ખોટો ગણાવ્યો હતો. ઘણા લોકો આ પોસ્ટને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. તેમાંથી એક મિહિર રોય નામનો ફેસબુક યુઝર છે. તેમની પ્રોફાઇલ મુજબ, તેઓ કોલકાતાના રહેવાસી છે.

નિષ્કર્ષ

વિશ્વાસ ન્યૂઝે તેની તપાસમાં શોધી કાઢ્યું કે વાયરલ થયેલી સાત સેકન્ડની ક્લિપ 22 મિનિટના એક ઇન્ટરવ્યૂમાંથી લેવામાં આવી છે જે કેજરીવાલે 3 ફેબ્રુઆરી 2020ના રોજ એનડીટીવીને આપ્યું હતું. ઇન્ટરવ્યૂમાં કેજરીવાલ એક ભૂતપૂર્વ ભાજપ સમર્થક વિશે વાત કરી રહ્યા હતા જેમણે કહ્યું હતું કે તેઓ દિલ્હી રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મત આપશે.

(ડિસ્ક્લેમર: આ સમાચારનું ફેક્ટ ચેક vishvasnewsએ કર્યુ છે, એબીપી અસ્મિતાએ શક્તિ કલેક્ટિવની સાથે ભાગીદારી અંતર્ગત આ ફેક્ટ ચેકમાં કોઇપણ ફેરફાર વિના પુનઃપ્રકાશિત કર્યુ છે)

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય

વિડિઓઝ

Goa night club fire: ગોવાની નાઈટ ક્લબમાં અગ્નિકાંડમાં 25નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Low Calorie Snacks: મગફળી કે મખાના... વજન ઘટાડવા માટે કયો નાસ્તો છે શ્રેષ્ઠ?
Low Calorie Snacks: મગફળી કે મખાના... વજન ઘટાડવા માટે કયો નાસ્તો છે શ્રેષ્ઠ?
"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
Embed widget