શોધખોળ કરો

શું કોરોનાથી મરનાર વ્યક્તિના પરિવારને ચાર લાખ રૂપિયા મળશે ? જાણો સરકારે શું કહ્યું.....

આ મામલે એક ફોર્મની તસવીર પણ સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવી રહી છે.

છેલ્લા ઘણાં દિવસથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક અહેવાલ વાયરલ થઈ રહ્યા છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોરોનાને કારણે જે લોકોના મોત થયા છે તેના પરિવારને કેન્દ્ર સરકાર 4-4 લાખ રૂપિયા વળતર તરીકે આપશે. આ મામલે એક ફોર્મની તસવીર પણ સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવી છે. કહેવાય છે કે, આ ફોર્મ  ભર્યા બાદ જિલ્લા મુખ્યાલયમાં તેને જમા કરાવાવનું હોય છે. આ ફોર્મની સાથે એક સૂચના પણ છે. તેમાં લખ્યું છે કે કોરોનાને કારણે નિધન થયેલ સામાન્ય વ્યક્તિનું ફોર્મ ભરીને જિલ્લા કલેક્ટર ફિસમાં જમા કરાવો. તેને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફંડમાંથી 4 લાખ રૂપિયાનું વળતર સરકાર આપશે. તમારા નજીકના સંબંધીઓ અને મિત્રોને જાણ કરો જેથી આ મહામારીમાં પીડિત પરિવારોને થોડી મદદ મળી શકે.

સત્ય શું છે

આ પ્રકારની કોઈ યોજના કેન્દ્ર કે રાજ્ય સરકાર તરફથી જાહેર કરવામાં નથી આવી. હાલમાં જ કેન્દ્ર સરકારે સુપ્રીમ કર્ટમાં સોગંદનામું કરીને કહ્યું હતું કે, આવી કોઈ યોજના નથી. કેન્દ્ર સરકારે કહ્યું કે, જો આવું કરવામાં આવે તો દેશનું ડિઝાસ્ટર ફંડ ખાલી થઈ જશે. જોકે જ્યારે કોરોનાથી વિતેલા વર્ષે લોકોના મોત થવાના શરૂ થયા ત્યારે સરકારે શરૂમાં કહ્યું હતું કે, કોરોનાને મહામારી તરીકે નોટિફાઈ કરવામાં આવી છે અને સ્ટેટ ડિઝાસ્ટર ફંડમાંથી કોરોનાથી થયેલ મોત માટે વળતર આપવામાં આવશે. ઉપરાંત કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ લોકોને પણ આર્થિક સહાયતા આપવાની વાત કહી હતી. એક કલાકની અંદર જ સરકારે આ નોટિફિકેશન પરત લઈ લીઘું હતું.

પીઆઈબીએ કરી સ્પષ્ટતા

બાદમાં સંશોધિત નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે, આર્થિક લાભ કોરેન્ટાઈન, સેમ્પલ કલેક્શન અને સ્ક્રીનિંગ પર આપવામાં આવશે. વળતર આપવાની તમામ વાત તરત જ ડિલીટ કરવામાં આવી હતી. કેટલાક રાજ્યની સરકારોએ આવું જ નોટિફિકેશન બહાર પાડ્યું છે. ગોવા સરકારે એક ટ્વીટમાં કહ્યું હતું કે, સ્ટેટ ડિઝાસ્ટર ફંડમાંથી કોરોનાથી થયેલ મોત પર કોઈપણ વળતરની જોગવાઈ નથી. બાદમાં કેન્દ્ર સરકારના પીઆઈબીએ પણ આ વાતને ફગાવી દીધી હતી. પીઆઈબીએ પોતાના ટ્વીટમાં કહ્યું હતું કે, કોરોનાથી થયેલ મોત પર ચાર લાખ સ્ટેટ ડિઝાસ્ટર ફંડમાંથી આપવાની વાત કહેવામાં આવી રહી છે. આ અહેવાલ ખોટા છે. આ પ્રકારની કોઈ જ જોગવાઈ નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
US Firing: અમેરિકામાં એક ઘરમાં પાર્ટી દરમિયાન થયું ફાઇરિનગ, 4 લોકોના મૃત્ય
US Firing: અમેરિકામાં એક ઘરમાં પાર્ટી દરમિયાન થયું ફાઇરિનગ, 4 લોકોના મૃત્ય
Embed widget