શોધખોળ કરો

coronavirus: દેશમાં વધતા કોરોનાના કેસથી ફરી વધ્યું ટેન્શન, છ રાજ્યોને કેન્દ્ર સરકારે આપ્યા નિર્દેશ

કેન્દ્ર સરકારે દેશના 6 રાજ્યોને ખાસ તકેદારી રાખવાની સૂચના આપી છે.

કોરોના વાયરસે ફરી એકવાર દેશમાં સરકારનું ટેન્શન વધાર્યું છે. આ જ કારણ છે કે કેન્દ્ર સરકારે દેશના 6 રાજ્યોને ખાસ તકેદારી રાખવાની સૂચના આપી છે. સરકારે આ રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગ અને ટ્રેકિંગ પર નજર રાખવા જણાવ્યું છે. આ સાથે રસીકરણ પણ પાંચ ગણું ઝડપી કરવા જણાવાયું છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા, તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં કોરોના દર્દીઓમાં સતત વધારો થવાના રિપોર્ટ છે. આવી સ્થિતિમાં આ છ રાજ્યોની સરકારને એક પત્ર લખવામાં આવ્યો છે અને કોરોનાને લઈને દર્દીઓના ટેસ્ટ, ટ્રેક, સારવાર અને રસીકરણને પાંચ ગણી ઝડપી બનાવવા સૂચના આપવામાં આવી છે. સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.

આરોગ્ય મંત્રાલયે રાજ્યોને સ્થિતિ પર નજીકથી નજર રાખવા કહ્યું અને ઉલ્લેખ કર્યો કે દેશમાં છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન COVID-19 કેસની સંખ્યામાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. જો કે, છેલ્લા કેટલાક અઠવાડિયાથી ખાસ કરીને દેશના કેટલાક ભાગોમાં કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. 8 માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં કુલ 2,082 કેસ નોંધાયા છે અને 15 માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં આ આંકડો વધીને 3,264 થઈ ગયો છે.

મહારાષ્ટ્રમાં બુધવારે 176 નવા કેસ નોંધાયા છે.

ભારતમાં થોડા સમયથી ફરી કોવિડ-19ના કેસ વધી રહ્યા છે. આ ખાસ કરીને મહારાષ્ટ્રમાં વધુ કેસ નોંધાઇ રહ્યા છે.  આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં બુધવારે 176 નવા કોરોનાવાયરસ કેસ નોંધાયા હતા, જે એક દિવસ અગાઉ 155 હતા. આ સાથે રાજ્યની કોવિડ-19ની સંખ્યા વધીને 81,38,829 થઈ ગઈ છે જ્યારે મૃત્યુઆંક 1,48,426 થયો છે, એમ વિભાગે એક બુલેટિનમાં જણાવ્યું હતું.

બુધવારના ડેટા અનુસાર, દેશમાં 24 કલાકમાં કોરોના વાયરસના 402 કેસ જોવા મળ્યા છે જ્યારે એક્ટિવ કેસ પણ વધીને 3903 થઈ ગયા છે. અગાઉ, 13 માર્ચે, દેશમાં 444 કેસ મળી આવ્યા હતા જ્યારે 12 માર્ચે, 524 કેસ મળી આવ્યા હતા. 11 માર્ચે 456 અને 10 માર્ચે 440 કેસ નોંધાયા હતા.

H3N2 ઈન્ફલ્યુએન્ઝા નવી સમસ્યા બની

નોંધપાત્ર વાત એ છે કે, કોવિડ-19ની સાથે ભારતમાં H3N2 પણ છે. આ વાયરસના કેસ પણ સતત સામે આવી રહ્યા છે. એટલે કે ભારતમાં કોરોના અને H3N2 બંનેના કેસ વધવાને કારણે લોકોની ચિંતા વધી ગઈ છે. એક તરફ કોરોના અને બીજી તરફ H3N2ના વધતા જતા કેસોને કારણે આરોગ્ય વિભાગે યોગ્ય સાવચેતી રાખવાની સલાહ આપી છે. H3N2 એ ઈન્ફલ્યુએન્ઝા A વાયરસનો પેટા પ્રકાર છે. H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસ ચેપગ્રસ્ત વ્યક્તિમાંથી તંદુરસ્ત વ્યક્તિમાં ઉધરસ અથવા છીંક દ્વારા ફેલાય છે. H3N2 વાયરસના ચેપના સામાન્ય લક્ષણો ફ્લૂ જેવા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું સત્ય
Embed widget