શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં 2 થી 5 દિવસમાં નવી સરકાર બનશેઃ સંજય રાઉત

સંજય રાઉતે કહ્યું, મહારાષ્ટ્રના લોકોની ઈચ્છા શિવસેનાનો મુખ્યમંત્રી બને તેવી છે. ઉદ્ધવ ઠાકરે નેતૃત્વ કરે તેવી રાજ્યની ભાવના છે.

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવામાં થઈ રહેલા વિલંબ વચ્ચે શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે, જલદી સારા સમાચાર મળશે. કોંગ્રેસ-એનસીપી અને શિવસેના સાથે મળીને 2-5 દિવસમાં સરકાર બનાવશે. જ્યારે ત્રણ પાર્ટી ભેગી મળીને સરકાર બનાવતી હોય ત્યારે પ્રક્રિયા ઘણી લાંબી હોય છે, જે આજે શરૂ થઈ છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રના લોકોની ઈચ્છા શિવસેનાનો મુખ્યમંત્રી બને તેવી છે. ઉદ્ધવ ઠાકરે નેતૃત્વ કરે તેવી રાજ્યની ભાવના છે. એનસીપી પ્રમુખ શરદ પવાર પ્રધાનમંત્રીને મળવા અંગે તેમણે કહ્યું, પીએમને મળવામાં કોઈ આશ્વર્ય નથી. અમે પણ તેમને મળતા રહીએ છીએ. સંજય રાઉતે કહ્યું કે, મહારાષ્ટ્ર માટે એક કોમન મિનિમમ પ્રોગ્રામ જલદી આવી જશે. ભાજપ સાથે ફરી સરકાર બનાવવા અંગે તેમણે કહ્યું, આ અંગે ચર્ચા હવે બંધ થઈ ચુકી છે. એનસીપી નેતા શરદ પવારના ઘર પર થયેલી મીટિંગ બાદ કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું કે, એનસીપી અને કોંગ્રેસ વચ્ચે રાજ્યમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવવાને લઇ વાત થઈ છે. રાજ્યને એક સ્થિર અને મજબૂત સરકારની જરૂર છે. અમારી વચ્ચે સકારાત્મક વાત થઈ છે. રાજ્યમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવવાની જરૂર છે. આ દરમિયાન એનસીપી નેતા નવાબ મલિકે કહ્યુ કે, રાજ્યમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપી વગર સ્થિર સરકાર બની શકે નહીં. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હટાવવું જરૂરી છે. મહારાષ્ટ્રમાં ગત મંગળવારથી રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યું છે. શિવસેનાએ પરિણામો બાદ ભાજપ સાથે છેડો ફાડી નાંખ્યો હતો પરંતુ સરકાર બનાવવા રાજ્યપાલને મનાવવામાં નિષ્ફળ રહી હતી. રાજ્યની સૌથી મોટી પાર્ટી ભાજપે પહેલા જ સરકાર બનાવવાને લઈ તેમના હાથ પાછા ખેંચી લીધા હતા. વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાએ 56, એનસીપીએ 54 અને કોંગ્રેસે 44 સીટ પર જીત મેળવી છે. ત્રણેય મળીને આસાનીથી સરકાર બનાવી શકે છે. રાજ્યમાં બહુમત માટેના 145ના આંકડા સામે ત્રણેય પાર્ટીઓના મળીને 154 ધારાસભ્યો છે. 105 સીટ જીતીને રાજ્યમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભર્યું હતું.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ગુજરાતમાં અલ-કાયદા સાથે જોડાયેલા 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ: ATS એ મોટો ખુલાસો કર્યો
ગુજરાતમાં અલ-કાયદા સાથે જોડાયેલા 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ: ATS એ મોટો ખુલાસો કર્યો
અમદાવાદમાં વધુ એક ફ્લાઈટમાં લાગી આગ, ટેક-ઓફ પહેલાં જ પાઈલોટે ‘મેડે’ કોલ આપ્યો, 60 મુસાફરોનો જીવ તાળવે
અમદાવાદમાં વધુ એક ફ્લાઈટમાં લાગી આગ, ટેક-ઓફ પહેલાં જ પાઈલોટે ‘મેડે’ કોલ આપ્યો, 60 મુસાફરોનો જીવ તાળવે
ખેડૂતોનું આંદોલન, રાઘવ ચઢ્ઢાથી લઈને જસ્ટિસ વર્મા સુધી... એ મુદ્દાઓ જેના પર જગદીપ ધનખડે 'લક્ષ્મણ રેખા' પાર કરી
ખેડૂતોનું આંદોલન, રાઘવ ચઢ્ઢાથી લઈને જસ્ટિસ વર્મા સુધી... એ મુદ્દાઓ જેના પર જગદીપ ધનખડે 'લક્ષ્મણ રેખા' પાર કરી
Gujarat Rain: આવતીકાલે ગુજરાતના 6 જિલ્લામાં વરસાદ તબાહી મચાવશે, હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું
Gujarat Rain: આવતીકાલે ગુજરાતના 6 જિલ્લામાં વરસાદ તબાહી મચાવશે, હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું
Advertisement

વિડિઓઝ

Aaj No Muddo : સાયબર ફ્રોડથી મહિલાઓ સાવધાન
Fix Pay employees chat viral : હમણા કરપ્શન કરતા નહીં , ફિક્સ પે કર્મીઓના ગ્રુપની વાયરલ ચેટથી હડકંપ
Gujarat ATS : અલકાયદા સાથે જોડાયેલા 4 આતંકવાદી ઝડપાયા , ગુજરાત એટીએસને મળી મોટી સફળતા
Gujarat Rain Forecast : ગુજરાતમાં 4 દિવસ વરસાદ બોલાવશે ભુક્કા! મોટી આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish: ગરીબોના નામે કોનું કલ્યાણ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં અલ-કાયદા સાથે જોડાયેલા 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ: ATS એ મોટો ખુલાસો કર્યો
ગુજરાતમાં અલ-કાયદા સાથે જોડાયેલા 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ: ATS એ મોટો ખુલાસો કર્યો
અમદાવાદમાં વધુ એક ફ્લાઈટમાં લાગી આગ, ટેક-ઓફ પહેલાં જ પાઈલોટે ‘મેડે’ કોલ આપ્યો, 60 મુસાફરોનો જીવ તાળવે
અમદાવાદમાં વધુ એક ફ્લાઈટમાં લાગી આગ, ટેક-ઓફ પહેલાં જ પાઈલોટે ‘મેડે’ કોલ આપ્યો, 60 મુસાફરોનો જીવ તાળવે
ખેડૂતોનું આંદોલન, રાઘવ ચઢ્ઢાથી લઈને જસ્ટિસ વર્મા સુધી... એ મુદ્દાઓ જેના પર જગદીપ ધનખડે 'લક્ષ્મણ રેખા' પાર કરી
ખેડૂતોનું આંદોલન, રાઘવ ચઢ્ઢાથી લઈને જસ્ટિસ વર્મા સુધી... એ મુદ્દાઓ જેના પર જગદીપ ધનખડે 'લક્ષ્મણ રેખા' પાર કરી
Gujarat Rain: આવતીકાલે ગુજરાતના 6 જિલ્લામાં વરસાદ તબાહી મચાવશે, હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું
Gujarat Rain: આવતીકાલે ગુજરાતના 6 જિલ્લામાં વરસાદ તબાહી મચાવશે, હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું
કેજરીવાલનું ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં મોટું નિવેદન, કહ્યું - 'ગુજરાતમાં ભાજપ-કૉંગ્રેસ ગઠબંધનની સરકાર'
કેજરીવાલનું ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં મોટું નિવેદન, કહ્યું - 'ગુજરાતમાં ભાજપ-કૉંગ્રેસ ગઠબંધનની સરકાર'
પોસ્ટ ઓફિસમાં મેચ્યોરિટી પછી પૈસા નહીં ઉપાડો તો ખાતું થઈ જશે ફ્રીઝ, નિયમો બદલાયા
પોસ્ટ ઓફિસમાં મેચ્યોરિટી પછી પૈસા નહીં ઉપાડો તો ખાતું થઈ જશે ફ્રીઝ, નિયમો બદલાયા
Ambalal patel: ભારેથી અતિભારે વરસાદની અંબાલાલની ચેતવણી, 10 ઈંચ વરસાદ ખાબકશે
Ambalal patel: ભારેથી અતિભારે વરસાદની અંબાલાલની ચેતવણી, 10 ઈંચ વરસાદ ખાબકશે
Gujarat Rain: આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Embed widget